Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૧૩
ચાર થતા હતા. એ હૃદયને ગમ ભૂલવવા માટે, મનને બીજી દિશામાં વાળવા માટે અનેક પ્રયત્ન થતા હતા, છતાં રાજાના હૃદયની સ્મૃતિને તે બાહ્ય ઉપચારો ભૂલાવી શકતા નહિ, રાજા માટે। નિ:શ્વાસ મૂકતા, માલાના દર્શન માટે આકુલ વ્યાકુલ થઈ જતા, પણ એમાં બીજો ઉપાય પણ શું ! ઉતાવળે કાંઈ આંબા પાકી શકે? ધીરજનાં ફળ જ મીઠાં હાઈ શકે.
પ્રાત:કાળે રાજા રાજસભામાં બેઠા હતા, મત્રીઓ અનેક પ્રકારની વિનેાદ વાણીથી રાજાને પ્રસન્ન કરી રહ્યા હતા. તે દરમિયાન રાજાના ચરપુરૂષામાંના એક પુરૂષ રાજાસભામાં ધસી આવી રાજાને નમસ્કાર કરી એલ્યા. કૃપાનાથ ! ગજમ થઇ ગયા, કાઇક રાજા પેાતાના સફળ સૈન્ય સહિત આપણી હદમાં પ્રવેશ કરી આપણા નગર તરફ ધસી આવે છે. શસ્ત્રાસ્ત્રથી સનિષદ્ધ તેના અનેક ધોડેસ્વારો આપણી રૈયતને રંજાડતા ન જાણે કે તેઓ શું કરવા માગે છે? હવે આપને જે ચાગ્ય લાગે તે કરે. ” એ ચરપુરૂષ અત્યંત શ્રપિત થયેલા હતા, શ્વાસેાશ્વાસ પણ તે મુશ્કેલીએ લઈ શકતા હતા, અનેક ધાડવારાને દૂરથી પેાતાની હદમાં પ્રવેશ કરતા અને પેાતાના નગર તરફ ધસી આવતા જોઇ અજાયબ થતા તે શખરાજાને ખબર આપવા વેગથી ધસી આવેલા હતા તેણે પરાણે પરાણે રાજાને એ સમાચાર કહી સંભળાવ્યા હતા.
ચરપુરૂષની વાત સાંભળી રાજા અને મ`ત્રીએ અજાયમ થઈ ગયા. આપણે કાઇની સાથે વેર વિરાધ નથી છતાં અચાનક આ શુ' ? કાણુ દુશ્મન અત્યારે મરવાને તૈયાર થયા છે! સુતેલા સિંહને જગાડી તેનું માન મર્દન કરવાને કાણ તૈયાર થયા છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com