Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ અઘાતિ કર્મને ઉદય ચૌદમાં ગુણસ્થાનક પર્યન્ત હોય છે, ત્યાં સુધીમાં ઉપરોક્ત ત્રણે ઉદયસ્થાનકે સંભવે છે. તેમાં દશમાં ગુણસ્થાનક પર્યત આઠેને ઉદય અને સત્તા, અગિયારમે સાતને ઉદય અને આઠની સત્તા, બારમે મેહનીય વિના સાતને ઉદય અને સાતની સત્તા, તથા તેરમે અને ચૌદમે ઘાતકર્મ સિવાય ચારને ઉદય અને ચારની સત્તા હોય છે.
આ પ્રમાણે ઉદયને ઉદય અને સત્તા સાથે સંવેધ કહ્યો. હવે ઉદય અને સત્તા સાથે સત્તાને સંવેધ વિચારે છે. મોહનીય કર્મની સત્તા જ્યાં સુધી હોય છે ત્યાં સુધીમાં ઉદય આઠ અથવા સાત કર્મોને હોય છે. તેમાં સૂક્ષ્મ સં૫રાય પર્યન્ત આઠને અને ઉપશાંતમહે સાતને ઉદય હોય છે. સત્તામાં તે આઠ કર્મો હોય છે, કેમકે મેહનીય કર્મની સત્તા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી બીજા સઘળા કર્મો સત્તામાં અવશ્ય હેય છે.
જ્ઞાનાવરણદર્શનાવરણ અને અન્તરાયની સત્તા છતાં સાત અથવા આઠ કર્મોને ઉદય અને સત્તા હોય છે. તેમાં સૂમસં૫રાય પર્યન્ત અને ઉદય અને સત્તા, ઉપશાંત. મોહે સાતને ઉદય અને આઠની સત્તા અને ક્ષીણમેહે સાતને ઉદય અને સાતની સત્તા હોય છે. વેદનીય, આયુ, નામ અને ગેત્ર એ ચાર અઘાતિમાંથી કંઈપણ કર્મની સત્તા જ્યાં સુધી હોય ત્યાં સુધીમાં આઠ, સાત અથવા ચારને ઉદય અને સત્તા હોય છે. તેમાં આઠ અને સાતના ઉદય તેમજ સત્તાને વિચાર પહેલાંની જેમ કરી લે. ચારને ઉદય તથા સત્તા તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે હોય છે. ૩
આ પ્રમાણે ઉદય અને સત્તાને સંવેધ કહ્યો. હવે ઉદયને બંધ સાથે સંવેધ કહે છેबंधइ छ सत्त अट्ठ य मोहुदए सेसयाण एकं च । । पत्तेयं संतेहिं बंधइ एगं छ सत्तट्ठ ॥४॥
बध्यन्ते षड् सप्त अष्टौ च मोहोदए शेषाणां एकं च ।
प्रत्येकं सद्भिः बध्यन्ते एकं षड् सप्ताष्टौ ॥४॥
અર્થ_એનો ઉદય છતાં , સાત અને આઠ કર્મ બાંધે છે, અને શેષ કને ઉદય છતાં એક, છ, સાત અને આઠ પણ બાંધે છે. છ, સાત અને આઠ કમેને બંધ છતા મોહને ઉદય હોય છે, અને એકના બંધમાં મોહ વિના શેષ સાતને ઉદય હોય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મમાંથી કઈ પણ કર્મની સત્તા છતાં એક, છ, સાત અને આઠમાંથી કોઈપણ બંધસ્થાનકને બંધ કરે છે. ૪
ટીકાનુ—મહનીયકર્મને જ્યારે ઉદય હોય ત્યારે ગુણસ્થાનક પરત્વે છે, સાત, કે આઠ એ ત્રણ બંધસ્થાનકમાંથી કેઈપણ એકને બંધ કરે છે. મેહનીયને ઉદય કશમાં ગુણસ્થાનક પર્યન્ત હોય છે, તેમાં ત્રીજા ગુણસ્થાનક વિના સાતમા ગુણસ્થાન પર્યન્ત આયુના અંધકાળે આઠને બંધ અને આયુને બંધ ન થતું હોય ત્યારે સાતને બંધ થાય છે.