________________
લલિત-વિકસાવ હરિભદ્રસાર રચિત
{ A-૭) લલિતવિસ્તરાના એક એક વાક્યને વાગોળતા રહો ... સિદ્ધાર્ષિ ગણિને એ પ્રતીતિ થઈ તો આપણને કેમ નહીં થાય ? સિદ્ધર્ષિ ગણિ જો બોલી ઉઠયા કે ...
नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये ।
मदर्थं निर्मितायेन वृतिर्ललितविस्तरा ॥ આપણે પણ આ બોલી ઊઠશું. જેટલો ગોળ નંખાય એટલું ગળ્યું થાય. આ ગ્રન્થને જેટલું વધુ ને વધુ વાગોળવાનું થાય એટલા ગૂઢ રહસ્યો એમાંથી પ્રાપ્ત થાય છે.
શક્રસ્તવની મુખ્યતા સાથે ચૈત્યવંદનના આ સૂત્રો એક એક પદ પાછળ રહેલા ગૂઢ રહસ્યોના સાગરને યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ લલિતવિસ્તરા મહાગ્રન્થમાં ઉતાર્યો છે. એક એક પદને હેતુ તરીકે લઈ, આ ગ્રન્થ હેતુવાદથી એ સિદ્ધિ કરવામાં આવી છે કે શ્રી તીર્થંકરદેવ જેવું કોઈ પરમોચ્ચ તત્ત્વ આ વિશ્વમાં નથી અને શ્રી જૈનદર્શન જેવું કોઈ સંપૂર્ણ સત્ય દર્શન આ વિશ્વમાં નથી. ચૈત્યવંદનની મહાન ક્રિયાને ભાવોના પ્રાણ રેડી ચૈત્યવંદન કરવાનું માર્ગદર્શન આ ગ્રન્થમાંથી મેળવી શકાય છે.
આ લલિતવિસ્તરામાં કેવા રહસ્યો છુપાયેલા છે જાણવા માટે એનો કંઈક વિષય પરિચય મેળવીએ.
ગ્રન્થકારે મંગળ કરીને ચૈત્યવંદનની સફળતા દર્શાવ્યા બાદ એ સમ્યફ કઈ રીતે થાય એ માટેના વિધિમાં ઉપયોગ વગેરે ૫ અંગોનું નિરૂપણ કર્યું છે. ત્યાર બાદ ઘર્મના અને ચૈત્યવંદનના ૫ અધિકારીઓની વિશેષતાઓ દર્શાવી અનધિકારીને આપવામાં રહેલા દોષો-અધિકારીને આપવામાં થતા લાભોનું પ્રરૂપણ કર્યું છે. તદનન્તર અપવાદમાર્ગનું સ્વરૂપ, શાસ્ત્ર પરીક્ષા અને શુદ્ધદેશનાનું નિરૂપણ કરી ચૈત્યવંદનની પૂર્વવિધિ જણાવી છે. તે પછી સ્તોતવ્ય વગેરે ૯ સંપદાઓ જણાવી વ્યાખ્યાનના સંહિતા વગેરે ૬ પ્રકારના સ્વરૂપ અને જિજ્ઞાસા વગેરે ૭ પ્રકારના અંગો પર ગ્રન્થકારે સુંદર પ્રકાશ કર્યો છે. હવે પછી, નમોત્થણે અરિહંતાણં વગેરે એક એક પદને લઈ તેની વ્યાખ્યામાં ગ્રન્થકારે નીચેની બાબતો અંગે રહસ્યો ખોલ્યાં છે.
નમોત્થણે અરિહંતાણં- ઘર્મવૃક્ષના બીજ વગેરે, ભાવનમસ્કારમાં તરતમતા, ઈચ્છા વગેરે ૩ યોગ, ધર્મ-યોગ સંન્યાસ ભગવંતાણ
: ‘ભગ’ના ઐશ્વર્ય વગેરે ૬ અર્થોની શ્રી અરિહંતમાં વિદ્યમાનતા આઈગરાણે
: સાંખ્યના અકર્તુત્વવાદનું તેમજ સ્વભાવમાત્રવાદનું ખંડન તિસ્થયરાણે
: આગમ ધાર્મિકનાં વેદ અપૌરુષેયત્વવાદનું નિરસન .. સયસબુદ્ધાણં
: અનાદિ પરમેશ્વર મહેશના અનુગ્રહથી જ બોધ-નિયમની પ્રાપ્તિ થાય
એવા મહેશાનુગ્રહ મતનું નિરાકરણ ગજરાતી અનુવાદક. , ભદ્રકરસૂરિ મ