Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 396
________________ સંક્રમણકરણ चोद्दसगदसगसत्तग - अट्ठारसगे य होइ बावीसा । ળિયમાં મનુષ્યપ, નિયમાં વિઠ્ઠિ સુવિષે | ૧૧ || चतुर्दशकदशकसप्तका - ऽष्टादशके च भवति द्वाविंशतिः । નિયમાન્મનુન તૌ, નિયમાવું દ્દષ્ટી તાયાં દ્વિતિયાયામ્ ।। ૧૯ || ગાથાર્થ :- ૧૪, ૧૦, ૭, ૧૮ એ ચાર પતગ્રહસ્થાનોમાં ૨૨ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે, અને તે નિશ્ચયથી મનુષ્યગતિમાં જ હોય છે. અને તે પણ સમ્યક્ત્વ તથા મિશ્ર એ બે દર્શનમોહનીયના સત્તાવાળા જીવને જ હોય છે. ટીકાર્થ :- ૧૪, ૧૦, ૭, ૧૮ એ ૪ પતગ્રહસ્થાનમાં ૨૨ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં ૧૪માં દેશવિરતિને, ૧૦માં પ્રમત્ત - અપ્રમત્તને, ૭માં ઉપશમશ્રેણિમાં રહેલા ઔપશમિક સમ્યગ્દષ્ટિને અને ૧૮માં અવિરત સમ્યગ્દૃષ્ટિને હોય છે. અને આ ૨૨ પ્રકૃતિઓનો સંક્રમ નિશ્ચયથી મનુષ્યગતિમાં જ હોય છે, બીજે નહીં, અને નિશ્ચયથી દ્વિવિધાયમાં વૃતામાં = સમ્યક્ત્વ અને મિશ્રની સત્તાવાળાને જ હોય છે. (એટલે કે અનંતા-૪ +મિથ્યા =૫ સિવાયની ૨૩ પ્રકૃતિઓની સત્તા હોય છે.) એ પ્રમાણે અર્થ છે. तेरसगणवगसत्तग - सत्तरसगपणगएक्कवीसासु । વાવીસા સંમરૂ, સુદ્ઘસાતાળમીસેતુ ।। ૧ ।। त्रयोदशनवकसप्तक - सप्तदशपञ्चकैकविंशतिषु । વિંશતિ સંામતિ, શુદ્ધસાવાવનમિશ્રેષુ || ૧૬ ।। ૩૪૧ ગાથાર્થ ઃ- અવિરત સમ્યગ્દષ્ટિ આદિ જીવો, સાસ્વાદની તથા મિશ્રસમ્યગ્દષ્ટિ જીવો ૧૩, ૯, ૭, ૧૭, ૫, ૨૧ એ છ પતગ્રહસ્થાનોમાં ૨૧ પ્રકૃતિઓને સંક્રમાવે છે. ટીકાર્થ :- ૧૩, ૯, ૭, ૧૭, ૫, ૨૧ એ ૬ પતગ્રહસ્થાનોમાં ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. કયા જીવોમાં સંક્રમે છે ? તો કહે છે. :- ‘‘શુદ્ધસાસાવમિત્રેવુ'' - શુદ્ધેલુ =વિશુદ્ધદ્રષ્ટિવાળા અવિરત સમ્યગ્દૃષ્ટિ આદિ, સાસાયમિશ્રેષુ =બીજા - ત્રીજા ગુણસ્થાનકમાં રહેલાને વિષે ૨૧નો સંક્રમ પ્રાપ્ત થાય. ત્યાં દેશવિરતિને ૧૩ના પતગ્રહમાં, પ્રમત્તાપ્રમત્તને ૯ના પતગ્રહમાં, ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગ્દૃષ્ટિવાળાને ૭ના પતગ્રહમાં, અવિરત સમ્યગ્દષ્ટિ અને મિશ્રદૃષ્ટિને ૧૭ના પતગ્રહમાં, ઉપશમશ્રેણિમાં રહેલ અથવા ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિને પના પતગ્રહમાં અને સાસ્વાદનદૃષ્ટિવાળા જીવને ૨૧ના પતગ્રહમાં ૨૧ પ્રકૃતિઓનું સંક્રમ હોય છે. અહીં જે મતે ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વ સન્મુખ થયેલા ૨૪ની સત્તાવાળા જીવોને મિથ્યાત્વાભિમુખતા એજ સાસ્વાદન એમ માને છે, તેઓના મતે સાસ્વાદન સંબંધી ૨૧ના પતગ્રહમાં ૨૧ પ્રકૃતિઓનો સંક્રમ કહ્યો છે. અન્યથા તો અનંતાનુબંધિના ઉદય સહિત સાસ્વાદની જીવને તો ૨૧ના પતગ્રહમાં ૨૫ પ્રકૃતિઓ જ સંક્રમે છે. તે પ્રમાણે પૂર્વે (ગાથા ૧૧માં) કહ્યું છે. Jain Education International एत्तो अविसेसा संकमति, उवसामगे व खवगे वा । वसाम હૈં, सत्तगे छक्क पणगे वा ।। १७ ।। एतस्मादविशेषाः संक्रामन्ति, उपशमके वा क्षपके वा । ઞૌપશમિવેષુ વિશતિજ્ઞ, સત્તવે ષટ્લે પ વા ।। ૧૭ || ગાથાર્થ :- અહીંથી આગળ બાકી રહેલ સંક્રમસ્થાનો ઉપશમક કે ક્ષપકમાં પ્રાપ્ત થાય છે. તે ૭-૬-૫ પતગ્રહમાં ઉપશમક ૨૦ પ્રકૃતિઓ સંક્રમે છે. ટીકાર્થ :- અહીંથી આગળના અવિશેષ બાકી રહેલ ૧૭ સંક્રમસ્થાનો ઉપશમક અથવા ક્ષપકમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૭ -૬-૫ એ ત્રણ પતગ્રહમાં સંક્રમ યોગ્ય ૨૦ પ્રકૃતિઓ ઉપશમક જીવ સંક્રમાવે છે. તેમાં પણ ૭-૬ બે પતગ્રહમાં For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550