SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ चोद्दसगदसगसत्तग - अट्ठारसगे य होइ बावीसा । ળિયમાં મનુષ્યપ, નિયમાં વિઠ્ઠિ સુવિષે | ૧૧ || चतुर्दशकदशकसप्तका - ऽष्टादशके च भवति द्वाविंशतिः । નિયમાન્મનુન તૌ, નિયમાવું દ્દષ્ટી તાયાં દ્વિતિયાયામ્ ।। ૧૯ || ગાથાર્થ :- ૧૪, ૧૦, ૭, ૧૮ એ ચાર પતગ્રહસ્થાનોમાં ૨૨ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે, અને તે નિશ્ચયથી મનુષ્યગતિમાં જ હોય છે. અને તે પણ સમ્યક્ત્વ તથા મિશ્ર એ બે દર્શનમોહનીયના સત્તાવાળા જીવને જ હોય છે. ટીકાર્થ :- ૧૪, ૧૦, ૭, ૧૮ એ ૪ પતગ્રહસ્થાનમાં ૨૨ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં ૧૪માં દેશવિરતિને, ૧૦માં પ્રમત્ત - અપ્રમત્તને, ૭માં ઉપશમશ્રેણિમાં રહેલા ઔપશમિક સમ્યગ્દષ્ટિને અને ૧૮માં અવિરત સમ્યગ્દૃષ્ટિને હોય છે. અને આ ૨૨ પ્રકૃતિઓનો સંક્રમ નિશ્ચયથી મનુષ્યગતિમાં જ હોય છે, બીજે નહીં, અને નિશ્ચયથી દ્વિવિધાયમાં વૃતામાં = સમ્યક્ત્વ અને મિશ્રની સત્તાવાળાને જ હોય છે. (એટલે કે અનંતા-૪ +મિથ્યા =૫ સિવાયની ૨૩ પ્રકૃતિઓની સત્તા હોય છે.) એ પ્રમાણે અર્થ છે. तेरसगणवगसत्तग - सत्तरसगपणगएक्कवीसासु । વાવીસા સંમરૂ, સુદ્ઘસાતાળમીસેતુ ।। ૧ ।। त्रयोदशनवकसप्तक - सप्तदशपञ्चकैकविंशतिषु । વિંશતિ સંામતિ, શુદ્ધસાવાવનમિશ્રેષુ || ૧૬ ।। ૩૪૧ ગાથાર્થ ઃ- અવિરત સમ્યગ્દષ્ટિ આદિ જીવો, સાસ્વાદની તથા મિશ્રસમ્યગ્દષ્ટિ જીવો ૧૩, ૯, ૭, ૧૭, ૫, ૨૧ એ છ પતગ્રહસ્થાનોમાં ૨૧ પ્રકૃતિઓને સંક્રમાવે છે. ટીકાર્થ :- ૧૩, ૯, ૭, ૧૭, ૫, ૨૧ એ ૬ પતગ્રહસ્થાનોમાં ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. કયા જીવોમાં સંક્રમે છે ? તો કહે છે. :- ‘‘શુદ્ધસાસાવમિત્રેવુ'' - શુદ્ધેલુ =વિશુદ્ધદ્રષ્ટિવાળા અવિરત સમ્યગ્દૃષ્ટિ આદિ, સાસાયમિશ્રેષુ =બીજા - ત્રીજા ગુણસ્થાનકમાં રહેલાને વિષે ૨૧નો સંક્રમ પ્રાપ્ત થાય. ત્યાં દેશવિરતિને ૧૩ના પતગ્રહમાં, પ્રમત્તાપ્રમત્તને ૯ના પતગ્રહમાં, ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગ્દૃષ્ટિવાળાને ૭ના પતગ્રહમાં, અવિરત સમ્યગ્દષ્ટિ અને મિશ્રદૃષ્ટિને ૧૭ના પતગ્રહમાં, ઉપશમશ્રેણિમાં રહેલ અથવા ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિને પના પતગ્રહમાં અને સાસ્વાદનદૃષ્ટિવાળા જીવને ૨૧ના પતગ્રહમાં ૨૧ પ્રકૃતિઓનું સંક્રમ હોય છે. અહીં જે મતે ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વ સન્મુખ થયેલા ૨૪ની સત્તાવાળા જીવોને મિથ્યાત્વાભિમુખતા એજ સાસ્વાદન એમ માને છે, તેઓના મતે સાસ્વાદન સંબંધી ૨૧ના પતગ્રહમાં ૨૧ પ્રકૃતિઓનો સંક્રમ કહ્યો છે. અન્યથા તો અનંતાનુબંધિના ઉદય સહિત સાસ્વાદની જીવને તો ૨૧ના પતગ્રહમાં ૨૫ પ્રકૃતિઓ જ સંક્રમે છે. તે પ્રમાણે પૂર્વે (ગાથા ૧૧માં) કહ્યું છે. Jain Education International एत्तो अविसेसा संकमति, उवसामगे व खवगे वा । वसाम હૈં, सत्तगे छक्क पणगे वा ।। १७ ।। एतस्मादविशेषाः संक्रामन्ति, उपशमके वा क्षपके वा । ઞૌપશમિવેષુ વિશતિજ્ઞ, સત્તવે ષટ્લે પ વા ।। ૧૭ || ગાથાર્થ :- અહીંથી આગળ બાકી રહેલ સંક્રમસ્થાનો ઉપશમક કે ક્ષપકમાં પ્રાપ્ત થાય છે. તે ૭-૬-૫ પતગ્રહમાં ઉપશમક ૨૦ પ્રકૃતિઓ સંક્રમે છે. ટીકાર્થ :- અહીંથી આગળના અવિશેષ બાકી રહેલ ૧૭ સંક્રમસ્થાનો ઉપશમક અથવા ક્ષપકમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૭ -૬-૫ એ ત્રણ પતગ્રહમાં સંક્રમ યોગ્ય ૨૦ પ્રકૃતિઓ ઉપશમક જીવ સંક્રમાવે છે. તેમાં પણ ૭-૬ બે પતગ્રહમાં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy