SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ કર્મપ્રકૃતિ 1 - અથ મોહનીયકર્મની પતગ્રહમાં સંક્રમસ્થાનોની સંકલના અને સ્વામી : छब्बीससत्तवीसाण, संकमो होइ चउसु ठाणेसु । વાવીસ વરસો, રસગુ વીસા / ૧૨ || षइविंशतिसप्तविंशत्योः, संक्रमो भवति चतुर्षु स्थानेषु । હાર્વિતિપશ્ચતશયો - વલોવોનશિલ્યોઃ || ૧૨ / ગાથાર્થ :- ૨૨, ૧૫, ૧૧, ૧૯ એ ચાર પતગ્રહસ્થાનોમાં ૨૬ અને ૨૭ બે સંક્રમસ્થાનો (પ્રત્યેકમાં) હોય છે. ટીકાર્ય - હવે જે પ્રમાણે કહ્યું તે પતગ્રહમાં સંક્રમસ્થાનની સંકલના = ગોઠવણ કહે છે. - ૨૨, ૧૫, ૧૧, ૧૯ એ ચાર પતઘ્રહસ્થાનોમાં ૨૬ - ૨૭ એ બેનો સંક્રમ થાય છે. ત્યાં મિથ્યાષ્ટિને - ૨૨માં, દેશવિરતિને - ૧૫માં, પ્રમત્તાપ્રમત્તને - ૧૧માં, અવિરત સમ્યગુદષ્ટિને ૧૯ના પતગ્રહસ્થાનમાં ર૬ - ૨૭ નો સંક્રમ હોય છે. सत्तरसइक्कवीसासु, संकमो होइ पन्नवीसाए । णियमा चउसु गईसुं, णियमा दिट्ठी कए तिविहे ।। १३ ॥ सप्तदशकैकविंशत्योः, संक्रमो भवति पञ्चविंशते । नियमाच्चतसृषु गतिषु, नियमाद् द्दष्टौ कृतायां त्रिविधायाम् ।। १३ ॥ ગાથાર્થ :- ૧૭ - ૨૧ ના પતદ્રગ્રહમાં ૨૫નો સંક્રમ છે. અને તે ચારે ગતિના જીવોને હોય છે. તે નિશ્ચયથી ૩ દર્શનમોહનીય (ત્રિપુંજ) કરે છતે જ જાણવો. ટીકાર્થ :- ૧૭ - ૨૧ ના પતગ્રહમાં રપનો સંક્રમ હોય છે. ત્યાં ૧૭માં મિશ્રદૃષ્ટિને અને ૨૧માં મિથ્યાદૃષ્ટિ તથા સાસ્વાદનને સંક્રમ હોય છે. અને આ ૧૭ - ૨૧માં ૨૫નો સંક્રમ નિશ્ચયથી જ ચારે ગતિના જીવો પામે છે. નિશ્ચયથી દર્શનમોહનીય પ્રકૃતિઓના ત્રણ પુંજ કરે છ“( “વતિવિરે''ત્તિ અહીં જે પુલિંગ નિર્દેશ છે તે પ્રાકૃત હોવાથી છે. બાકી ત્રિવિધ શબ્દ નપુંસક હોવાથી નપુંસક નિર્દેશ થાય.) અને આ ૧૭માં અને સાસ્વાદને - ૨૧ પતઘ્રહમાં ૨૫ પ્રકૃતિઓનો સંક્રમ આશ્રયીને જાણવો. દર્શનમોહનીયનો જ ત્રિપુંજ મિશ્ર સાસ્વાદને અસંભવ છે. મિથ્યાદૃષ્ટિને તો ૨૧ના પતગ્રહમાં ર૫ પ્રકૃતિઓનો સંક્રમ અનાદિ મિથ્યાત્વીને પણ જાણવો. बावीस पचरसगे, सत्तगएक्कारसिगुणवीसासु । तेवीसाए णियमा, पंच वि पंचिदिएसु भवे ॥ १४ ॥ द्वाविंशतिपञ्चदशकयोः, सप्तकैकादशैकोनविंशतिषु । त्रयोविंशतेर्नियमात्, पञ्चाऽपि पश्चिन्द्रियेषु भवन्ति ।। १४ ।। ગાથાર્થ - ૨૨, ૧૫, ૭, ૧૧, ૧૯ એ પાંચ પતઘ્રહમાં ૨૩નો સંક્રમ હોય છે, અને આ પાંચે પતગ્રહસ્થાનો પંચેન્દ્રિયોમાં જ હોય છે. ટીકાર્ચ - ૨૨, ૧૫, ૭, ૧૧, ૧૯ એ પાંચ પતગ્રહમાં ૨૩ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. ત્યાં ૨૨માં મિથ્યાષ્ટિને, ૧પમાં દેશવિરતિવાળાને, ૭માં ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગ્દષ્ટિવાળાને ૧૧માં પ્રમત્ત - અપ્રમત્તને અને ૧૯માં અવિરત સમ્યગુદૃષ્ટિવાળાને (૨૩નો સંક્રમ) હોય છે. અને આ પાંચે પતગ્રહસ્થાનો પંચેન્દ્રિયોને જ હોય છે. ૧૮ અહીં “કરે છતે” એ શબ્દનો ભાવાર્થ પૂર્વ પ્રતિન સત્તારૂપે જાણવો. પરંતુ પ્રત્યુત્પન્ન સત્તાભાવે નહીં. અર્થાત્ કરે છતે = સત્તા હોતે જ ઇતિ ભાવ. ૧૯ અહીં “પણ” કહેવાથી સમ્યકત્વ, મિશ્રની ઉદ્વલના કરેલા એ ૨૬ની સત્તાવાળા મિથ્યાદષ્ટિને પણ ૨૧માં ૨૫નો સંક્રમ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy