Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 484
________________ સંક્રમણકરણ ૪૨૫ -: અથ પમી જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા : पल्लासंखियभागोण, कम्मठिइमच्छिओ निगोएस । सुहुमेसुऽभवियजोगं, जहन्नयं कट्ठ निग्गम्म ॥ ९४ ॥ जोग्गेसुऽसंखवारे, सम्मत्तं लभिय देसविरइं च । अट्ठक्खुत्तो विरई, संजोयणहा तइयवारे ॥ ९५ ॥ चउरूवसमित्तु मोहं, लहुं खवंतो भवे खवियकम्मो । पाएण तहिं पगयं, पुडुच्च काओ वि सविसेसं ॥ ९६ ॥ पल्यासङ्ख्येभागोन, कर्मस्थितिं स्थित्वा निगोदेषु । सूक्ष्मेष्वभव्ययोग्यं, जघन्यं कृत्वा निर्गत्य ।। ९४ ॥ योग्येष्वसङ्ख्येयवारान् , सम्यक्त्वं लब्ध्वा देशविरतिं च । अष्टकृत्वा विरतिम् , विसंयोजनहा तावद्वारान् ।। ९५ ॥ चतुरुपशमय्य मोहं, लघु क्षपयन् भवेत् क्षपितकर्मा । પ્રાયઃ તેને પ્રકૃતિ, પ્રતીત્વ વોશ્ચિ સવિશેષ / ૬૬ ગાથાર્થ :- પલ્યોપમના અસંખ્યાતમાભાગ હીન કર્મસ્થિતિ પ્રમાણ કાળ સૂક્ષ્મનિગોદમાં રહીને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશોપચય કરીને પુનઃ ત્યાંથી નીકળીને II ૯૪ . સમ્યકત્વાદિ પ્રાપ્તિ યોગ્ય ભવોમાં ઉત્પન્ન થઇને અસંખ્યવાર સમ્યકત્વ અને દેશવિરતિ પામીને આઠ વાર સર્વવિરતિ પામીને અને તેટલી જ વાર (આઠ વાર) અનંતાનુબંધિનો વિધાતક થઇને (વિસંયોજક થઇને) II ૯૫ / ચાર વાર મોહનીયને ઉપશમાવીને શીધ્ર કર્મક્ષય કરતો જીવ “ક્ષપિતકમશ થાય છે. અત્રે પ્રાયઃ એ ક્ષપિતકમાંશ જીવનો જ સંબંધ છે, તથા કોઇ પ્રકૃતિને આશ્રયી કંઇક વિશેષતા પણ કહેવાશે. /૯૬ // ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામિત્વને કહ્યું. હવે જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી કહે છે. અને તે ક્ષપિત કમાંશવાલા જીવ પ્રાયઃ પામે છે. તેથી તેનું સ્વરૂ૫ નિરૂપણ કરે છે. ક્ષપિતકમશ જીવનું સ્વરૂપ :- જે જીવ પલ્યોપમના અસંખ્યયભાગ ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ સુધી સૂક્ષ્મનિગોદમાં વસીને (રહીને), કારણકે સૂક્ષ્મનિગોદ જીવ અતિ અલ્પ આયુષ્યવાળો હોય છે. તેથી તેને ઘણાં જન્મ-મરણ થાય છે. તે ઘણાં જન્મ-મરણ થવાથી ઘણીવાર અતિવેદના યુક્ત હોય છે, ને અતિવેદના યુક્ત હોવાથી ઘણાં પુદ્ગલોની નિર્જરા કરે છે, તેથી સૂક્ષ્મ નિગોદનું ગ્રહણ કર્યું છે. તે પણ બાકીના નિગોદ જીવોની અપેક્ષાએ અતિ અલ્ય કષાય અને અતિ અલ્પ યોગવાલા સ્થિતિ બાંધે છે, અને અલ્પ ઉદ્વર્તન કરે છે. અને મંદયોગપણું હોવાથી નવા કર્મયુગલો ઉત્પન્ન અતિ અલ્પ છે. તેથી કરીને આવા પ્રકારનો સૂક્ષ્મનિગોદ થઇને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રમાણ પ્રદેશો ભેગા કરીને પછી સૂક્ષ્મનિગોદમાંથી નીકળીને “પોષ'. સમ્યકત્વ દેશવિરતિને સર્વવિરતિ યોગ્ય ત્રસ જીવોમાં ઉત્પન્ન થઇને પલ્યોપમના અસંખ્યાતમાભાગમાં અસંખ્યવેળા સમ્યકત્વ ને સ્વલ્પ કાળ સુધી દેશવિરતિને પામીને, કેવી રીતે પામીને ? તો કહે છે. - સૂક્ષ્મનિગોદથી નીકળીને બાદર પૃથ્વીકાયને વિષે ઉત્પન્ન થાય, તદનંતર ત્યાંથી અંતર્મુહુર્ત કાળમાં નીકળીને પૂર્વક્રોડ આયુષ્યવાલા મનુષ્યને વિષે ઉત્પન્ન થાય, ત્યાં પણ ૭માસ વ્યતીત થતાં શીધ્ર યોનીથી બહાર નીકળવા ૧૦૯ કયા કયા સંયોગોનો પ્રાપ્ત થયેલો જીવ અન્ય સર્વજીવની અપેક્ષાએ અતિદીન કર્મપ્રદેશની સત્તાવાળો થાય તે તે સંયોગોની વિવલા આ ૩ ગાથાઓ દ્વારા દર્શાવી છે. અથવા અન્ય સર્વજીવથી અતિ અલ્પ કર્મપ્રદેશની સત્તાવાળો જીવ તે પિતકમાંશ જીવ કહેવાય. Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550