Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 517
________________ ૪૫૮ કર્મપ્રકૃતિ બાકીના સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ ત્રણસો ચોવીશ. ઔદારિકસપ્તક, ઉદ્યોત, પ્રથમ સંઘયણ આ નવનો અનુભૃષ્ટ અનુભાગસંક્રમ ચાર પ્રકારે અને શેષ ત્રણ સંક્રમો સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના દસ-દસ કુલ નેવું. બાકીની થીણદ્ધિત્રિક વિગેરે એંસી પ્રકૃતિઓના ચારે અનુભાગસંક્રમ સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના આઠ-આઠ કુલ છસો ચાલીસ.... એમ ઉત્તર પ્રકૃતિઓના અનુભાગસંક્રમ આશ્રયી ૧,૩૬૮ (એક હજાર, ત્રણસો, અડસઠ્ઠ) ભાંગા થાય છે. ચોવીસની સત્તાવાળો પ્રથમ ગુણસ્થાનકે આવી અનંતાનુબંધિનો બંધ કરે ત્યારે બંધાવલિકા પછીના પહેલા સમયે તેનો જઘન્ય અનુભાગસંક્રમ થાય છે અને નવ નોકષાય તેમજ ચાર સંજ્વલનના ક્ષપકને પોત પોતાના જઘન્ય સ્થિતિ સંક્રમ કાળે એક સમયમાત્ર જઘન્ય અનુભાગસંક્રમ થાય છે. માટે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાયના કાળમાં જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. ત્યારે તે અજધન્ય અનુભાગસંક્રમ હોય છે. તે અજધન્ય અનુભાગસંક્રમ પ્રથમ ગુણસ્થાનકે સમયાધિક આવલિકા પછી અને તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અગિયારમા ગુણસ્થાનકથી પડે ત્યારે પુનઃ શરૂ થાય છે ત્યારે સાદિ, અને આ સ્થાનોને નહીં પામેલા જીવને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. બારમા ગુણસ્થાનકે મતિજ્ઞાનાવરણીય વગેરે સોળ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ સમયમાત્ર થતો હોવાથી સાદિ-અધ્રુવ છે, તે સિવાય જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ પ્રવર્તે છે ત્યારે તે અજધન્ય હોય છે પરંતુ તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. આ સોળ અને પૂર્વોક્ત સત્તર, એમ તેત્રીસ પ્રકૃતિઓનો સંશિ પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી આવલિકા પછી ઉત્કૃષ્ટ અને શેષ કાળે અનુત્કૃષ્ટ એમ વારાફરતી અનેકવાર કરતા હોવાથી આ બન્ને સંક્રમો સાદિ-અધ્રુવ બે પ્રકારે છે. ત્રસાદિ શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પોત-પોતાના બંધવિચ્છેદ કરી આવલિકા બાદ સયોગીના અંત સુધી થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયના કાળમાં જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે ત્યારે અનુત્કૃષ્ટ હોય છે અને તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. સર્વવિશુદ્ધ દેવ ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી બંધાવલિકા બાદ ઔદારિકસપ્તક અને પ્રથમ સંઘયણ એ આઠનો અને સપ્તમપૃથ્વીનો ના૨ક મિથ્યાત્વના ચરમ સમયે ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી આલિકા બાદ સમ્યક્ત્વ અવસ્થામાં ઉદ્યોતનો એકસો બત્રીસ સાગરોપમ કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે. માટે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. અને તે સિવાય જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે ત્યારે તે અનુત્કૃષ્ટ હોય છે. ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કર્યા બાદ પુનઃ અનુષ્કૃષ્ટ શરૂ થાય છે માટે સાદિ, ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ ચાર પ્રકારે છે. આ નવ તેમજ ત્રસાદિ છત્રીસ એમ પીસ્તાલીસ પ્રકૃતિઓનો જઘન્ય અને અજઘન્ય અનુભાગસંક્રમ, વેદનીયાદિ મૂળકર્મની જેમ એકેન્દ્રિયાદિમાં વારંવાર થતા હોવાથી સાદિ - અધ્રુવ બે પ્રકારે છે. થીણદ્વિત્રિક વગેરે શેષ એંસી પ્રકૃતિઓનો જધન્ય અને અજધન્ય અનુભાગસંક્રમ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિમાં વેદનીય કર્મની જેમ વારંવાર થતો હોવાથી બંને સાદિ - અધ્રુવ છે. અને દેવદ્વિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, જિનનામ, ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્ધિક એ ૨૦ વિના ૬૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બંધ કરી આલિકા બાદ અમુક ટાઇમ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અને શેષકાળે અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ એમ એ બન્ને પણ વારંવાર થતા હોવાથી સાદિ - અધ્રુવ બે પ્રકારે છે. દેવદ્વિક વગેરે ૨૦ પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી તેનો પણ ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ અનુભાગસંક્રમ સાદિ અધ્રુવ એમ બે પ્રકારે હોય છે. સ્વામિત્વ પ્રરૂપણા :- સ્વામિત્વનો વિચાર કરતાં પહેલાં નીચેના નિયમો ખાસ ધ્યાનમાં રાખવાથી સ્વામી સહેલાઇથી સમજી શકાશે. (૧) સઘળી અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ અતિ સંકિલષ્ટ મિથ્યાદૃષ્ટિ આત્માઓ કરે છે. અને કર્યા પછી એક આવલિકા બાદ અંતર્મુહૂર્ત કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે, પછી વિશુદ્ધ પરિણામ આવવાથી તેના રસનો ઘાત કરે છે, માટે મિથ્યાત્વી હોવા છતાં અંતર્મુહૂર્ત પછી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jaitlibrary.org

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550