Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 537
________________ ૪૭૮ કર્મપ્રકૃતિ પ્રશ્ન ૪૧ ટીકામાં ચારે આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદિ એમ બન્ને પ્રકારના જીવો બતાવ્યા છે. ત્યાં ત્રણ આયુષ્યમાં તો બન્ને પ્રકારના જીવો સમજી શકાય છે, પરંતુ દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ અનુભાગબંધ સંયમી આત્માઓ જ કરે છે, અને ત્યાં ભવપર્યત ચોથું ગુણસ્થાનક જ હોય છે, તેથી દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ મિથ્યાદૃષ્ટિને શી રીતે ઘટે ? ઉત્તર - તમારી શંકા બરાબર છે, અને તેથી કર્મપ્રકૃતિ ચૂર્ણિ કે ટીકામાં ચારેય આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી મિથ્યાદૃષ્ટિ કે સમ્યગુદૃષ્ટિ ન બતાવતાં સામાન્યથી બતાવેલ છે, પરંતુ સંયમી આત્મા દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી જો પહેલે ગુણસ્થાનકે જઇ અપવર્તનાકરણથી દેવાયુષ્યને ઘટાડી અલ્પ સ્થિતિવાળું કરે તો મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અંતર્મુહૂર્ત કાળ સુધી ઘટી શકે છે, અને એ અપેક્ષાએ અહીં બતાવેલ હોય તેમ લાગે છે. પ્રશ્ન ૪૨ પુરુષવેદ ક્ષપકશ્રેણિ માંડનારને ૯મા ગુણઠાણે બંધવિચ્છેદ સમયે બંધાયેલ કર્મલતાના સંક્રમના ચરમ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન આઠ વર્ષ પ્રમાણ પુરુષવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ બતાવેલ છે. તેનું કારણ પુરુષવેદે શ્રેણિ માંડનારને ઉદય - ઉદીરણા વડે સત્તામાંથી ઘણી સ્થિતિ ઓછી થાય છે એમ જણાવેલ છે પણ અન્યવેદ શ્રેણિ માંડનારને ઉદય - ઉદીરણા ન હોવાથી જઘન્ય સ્થિતિસંક્રમ ઘટતો નથી. પરંતુ બંધવિચ્છેદ સમયે બંધાયેલા કર્મલતાના ચરમ સંક્રમ સમયે પૂર્વબદ્ધ દલિક સત્તામાં હોતું જ નથી. તો પછી પુરુષવેદે શ્રેણિ માંડનારને ઉદય - ઉદીરણા દ્વારા સત્તામાંથી ઘણી સ્થિતિ ઓછી થાય છે અને બીજાને નહીં - એમ કેમ જણાવેલ છે ? ઉત્તર - પુરુષવેદે શ્રેણિ માંડનારને જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે તેના કરતાં અન્યવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો ઘણા કાળ પહેલાં બંધવિચ્છેદ થાય છે તેથી બંધવિચ્છેદ સમયે પણ સંખ્યાત વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ થાય છે અને તેને હાસ્યષકની સાથે જ પુરુષવેદનો ક્ષય થતો હોવાથી સંક્રમના ચરમ સમયે પણ હાસ્યષર્કની જેમ પુરુષવેદનો સંખ્યાત વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. પણ તેનાથી ઓછો નહીં, માટે જ પુરુષવેદ શ્રેણિ માંડનારને જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે, પણ અન્યવેદે શ્રેણિ માંડનારને નહીં - એમ જણાવેલ છે તે બરાબર છે. (વિશેષ પ્રશ્નોત્તરી માટે કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૩માં જુઓ) ઇતિ સંમણકારણ મોરી સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550