Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 531
________________ કર્મપ્રકૃતિ બંધવિચ્છેદ સમયે બંધાયેલ દલિકનો પણ જે છેલ્લો અસંખ્યાતમો ભાગ સર્વ સંક્રમથી સંક્રમાવે છે ત્યારે આ ચારેય પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. ૪૭૨ સંજ્વલનલોભના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી ઉપશમશ્રેણિ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર અપૂર્વકરણ ગુણસ્થાનકની પ્રથમ આવલિકાના અંત્ય સમયે હોય છે. કારણ કે ઉપશમશ્રેણિમાં ગુણસંક્રમ દ્વારા અબધ્યમાન અશુભપ્રકૃતિઓના લોભમાં ઘણાં દલિકો આવે તેથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય, માટે એક પણ વાર ઉપશમશ્રેણિ કર્યા વિના અને ક્ષપકશ્રેણિમાં પણ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓના લોભમાં ગુણસંક્રમથી ઘણાં દલિકો આવે અને સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ તેઓનો પણ અન્યત્ર સંક્રમ થાય તેથી સંજ્વલન લોભનો જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય માટે જ અપૂર્વકરણ ગુણસ્થાનકની પ્રથમ આવલિકાના ચરમ સમયે સંજ્વલન લોભના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. પ્રશ્ન ૧ ઉત્તર - પ્રશ્ન ર ઉત્તર - પ્રશ્ન ૩ ઉત્તર - પ્રશ્ન ૪ ઉત્તર - ઇતિ સંક્રમણકરણ સારસંગ્રહ સમાપ્ત -: સંક્રમણકરણ પ્રશ્નોત્તરી : સંક્રમ એટલે શું ? અને તેના કેટલા પ્રકાર છે ? તે દૃષ્ટાન્ત આપી સમજાવો. અમુક સ્વરૂપે ફળ આપનાર કર્મપરમાણુઓનો ફળ આપવાનો જેવો સ્વભાવ છે તેવા સ્વરૂપે ફળ ન આપે તેમ પોતાના મૂળ કર્મથી અભિન્ન એવી અન્ય પ્રકૃતિના સ્વભાવરૂપે ફળ આપે તેવા કરવા, અથવા અમુક નિયત સમયે કે અમુક પ્રમાણના પાવરથી ફળ આપવાના સંયોગોમાં દલિકો ગોઠવાયેલા હોય છતાં જલ્દી અથવા લાંબા સમયે અને ઓછા કે વધુ પ્રમાણના પાવરરૂપે ફળ આપે તેવા કરવા તે સંક્રમ કહેવાય છે. આ સંક્રમ અન્યપ્રકૃતિનયન, અપવત્તના તેમજ ઉર્જાના એમ ત્રણ પ્રકારે છે. જેમ સત્તામાં રહેલ સાતાવેદનીયના કર્મપરમાણુઓનો સુખ આપવાનો સ્વભાવ બદલી અસાતાવેદનીયના કર્મપરમાણુઓની જેમ દુઃખ આપવાના સ્વભાવવાળા કરવા તે અન્યપ્રકૃતિનયનસંક્રમ. બંધ સમયે એકાદ વર્ષ કે તેથી, વધુ કાળ પછી ફળ આપવાની યોગ્યતા રૂપે ગોઠવાયેલ કર્માણુઓનો ઘટાડીને એકાદ માસમાં કે તેથી ઓછા કાળમાં ફળ આપવાની યોગ્યતા રૂપે કરવા અથવા વધુ પાવરરૂપ ફળ આપવાની યોગ્યતાવાળા કર્માણુઓને અલ્પ પાવરવાળા કરી દેવા તે અપવર્ષના સંક્રમ. બંધસમયે એકાદ માસ કે તેથી ઓછા સમયમાં ફળ આપવાની યોગ્યતાવાળા ગોઠવાયેલ કર્માણુઓને એકાદ વર્ષ પછી ફળ આપે તેવા કરવા, અથવા વિપાક આશ્રયી હીન પાવરવાળા કર્માણુઓને અધિક પાવરવાળા કરવા તે ઉર્જાનાસંક્રમ કહેવાય છે. અન્યપ્રકૃતિનયનસંક્રમને પરસંક્રમ તથા ઉર્જાના અને અપવત્તના સંક્રમને સ્વસંક્રમ કહેવાય છે. જે પ્રકૃતિઓનો અન્યપ્રકૃતિનયનસંક્રમ થાય - તેઓનો બંધ અવશ્ય હોય ? સંક્રમ યોગ્ય પ્રકૃતિઓ ત્રણ પ્રકારની છે. (૧) મતિજ્ઞાનાવરણીય વિગેરે કેટલીક ધ્રુવબંધી પ્રકૃતિઓનો બંધ હોય ત્યારે જ સંક્રમ થાય. (૨) નીચગોત્ર વિગેરે કેટલીક પરાવર્તમાન પ્રકૃતિઓનો બંધ ન હોય ત્યારે જ સંક્રમ થાય અને (૩) દેવગતિ વિગેરે કેટલીક પરાવર્તમાન પ્રકૃતિઓનો બંધ હોય અથવા ન હોય તો પણ તેમનો સંક્રમ થાય છે. પતગ્રહરૂપે બધ્યમાન પ્રકૃતિ જ હોય કે અબધ્યમાન પણ હોય ? સામાન્યથી બધ્યમાન પ્રકૃતિઓ જ પતગ્રહરૂપે હોય છે. પરંતુ સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીય બંધમાં ન હોવા છતાં પતગ્રહ થઇ શકે છે. Jain Education International બધ્યમાન છતાં પતગ્રહ ન બને એવી કોઇ પ્રકૃતિઓ હોય ? અને હોય તો કેટલી ? તે સકારણ જણાવો. બધ્યમાન છતાં મિથ્યાત્વમોહનીય, પુરુષવેદ, સંજ્વલન ચતુષ્ક તથા નીચગોત્ર, આ સાત પ્રકૃતિઓ કેટલીકવાર પતગ્રહરૂપે ન પણ હોય, તેનું કારણ એ છે કે પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વનો બંધ અવશ્ય હોવા www.jainlibbw aaly.org For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550