Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 522
________________ સંક્રમણકરણ ૪૬૩ આ વિધ્યાતસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમના અંતે ઘણું કરીને પ્રવર્તે છે... ઘણું કરીને કહેવાનું કારણ અંતરકરણમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ગુણસંક્રમને રોકી બન્નેનો વિધ્યાસક્રમ પ્રવર્તે છે. (૩) યથાપ્રવૃત્તસંક્રમ :- બધ્યમાન ધ્રુવબંધી અને બંધવિચ્છેદ નથી થયેલ જેઓનો એવી અધૂવબંધી પ્રકૃતિઓનો બંધ ન હોય તો પણ આ બન્ને પ્રકારની પ્રવૃતિઓનું સત્તામાં જેટલું દલિક હોય તેના અનુસાર તેમજ જે સમયે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જેટલો યોગ હોય તેના પ્રમાણમાં સ્વજાતીય બધ્યમાન પ્રવૃતિઓમાં જે સંક્રમ થાય છે, યથાપ્રવૃત્તસંક્રમ કહેવાય છે. ચાર આયુષ્ય તથા મિથ્યાત્વ વિના કુલ એકસો સત્તર પ્રવૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. (૪) ગુણસંક્રમ :- સત્તામાં રહેલ નહીં બંધાતી અશુભપ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી દશમા ગુણસ્થાનક સુધી સ્વજાતીય બંધાતી પ્રવૃતિઓમાં અસંખ્યાતગુણાકારે જે સંક્રમ થાય તે ગુણસંક્રમ કહેવાય છે. થીણદ્વિત્રિક, અસાતાવેદનીય, મધ્યમ આઠ કષાય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અરતિ, શોક, તિર્યંચદ્રિક, નરકટ્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, પ્રથમ વિનાના પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ, સ્થાવરદશક અને નીચગોત્ર આ છેતાલીશ પ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી, નિદ્રાદ્ધિક, ઉપઘાતનામ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, અને અશુભવર્ણચતુષ્ક એ અગિયારનો પોત-પોતાના બંધવિચ્છેદ સમયથી યથાસંભવ દશમા ગુણસ્થાનક સુધી તેમજ ઔપથમિક સમ્યગુદૃષ્ટિને અંતઃકરણમાં અંતર્મુહુર્ત કાળ સુધી યથાસંભવ ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બેનો અને બીજા અર્થ પ્રમાણે ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી અનંતાનુબંધિ મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ છનો ક્ષયકાળે પોતપોતાના અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ થાય છે. એમાં મિથ્યાત્વ તથા મિશ્રમોહનીય બે વાર આવવાથી તે બે પ્રકૃતિઓ ઓછી કરતાં ૪૬ +૧૧ +૬ = સર્વમલી ૬૩ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. અને પુરુષવેદ તથા સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ ચારનો પણ ક્ષપકશ્રેણિમાં નવમાગુણસ્થાનકે પોતપોતાના બંધવિચ્છેદ પછી ગુણસંક્રમ સંભવે છે અને સપ્તતિકાની ટીકા વગેરેમાં બતાવેલ પણ છે. છતાં અહીં ટીકાકાર મહર્ષિએ આ ચાર પ્રકૃતિઓનો ગુણસંક્રમ બતાવેલ નથી તેનું કારણ અતિશય જ્ઞાનિઓ જાણે, આ ગુણસંક્રમ વિધ્યાતસંક્રમને અને નિદ્રાદ્ધિક વગેરે કેટલીક અશુભ પ્રવૃતિઓના યથાપ્રવૃત્તસંક્રમને રોકી પ્રવર્તે છે. (૫) સર્વસંમ:- ઉદવલનાસંક્રમના ચરમ સ્થિતિખંડના દલિકનો ચરમ સમયે પરપ્રકૃતિમાં જે સંક્રમ થાય છે. તેને જ સર્વસંક્રમ કહેવાય છે. તેથી ઉદ્વવનાસંક્રમમાં બતાવેલ બાવન પ્રકતિઓનો સર્વસંક્રમ થાય છે અને તે ઉદૂવલના સંક્રમના અંતે થાય છે. કયા કયા સંક્રમથી કેટલું દલિક સંક્રમે છે. તે બતાવે છે. - ઉવલનાસંક્રમના ચરમ સ્થિતિખંડના સર્વદલિકને ગુણસંક્રમથી સંક્રમાવતાં અંતર્મુહુર્ત કાળ લાગે છે. અને ચરમ સ્થિતિખંડના તેજ દલિકને યથાપ્રવૃત્તસંક્રમથી અથવા ઉદવલનાસંક્રમમાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે સ્વમાં નીચે જેટલું દલિક સંક્રમાવે છે તે પ્રમાણથી સંક્રમાવે તો પલ્યોપમના અસંખ્યાતમાભાગ કાળે સર્વ દલિક ખલાસ થાય. જો તેજ દલિકને વિધ્યાતસંક્રમ વડે અથવા દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમયે પરપ્રકૃતિમાં જેટલું દલિક સંક્રમાવે છે તે પ્રમાણથી સંક્રમાવે તો અંગલના અસંખ્યાતમાભાગમાં રહેલ પ્રદેશરાશિને સમયે સમયે દૂર કરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણી થાય તેટલા કાળમાં સર્વ દલિક ખલાસ થાય છે. આ બંને સંક્રમમાં અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણી પ્રમાણ કાળ હોવા છતાં અંગુલનો અસંખ્યાતમો ભાગ નાનો - મોટો લેવાનો હોવાથી વિધ્યાતસંક્રમ કરતાં ઉદ્ગલના સંક્રમમાં અસંખ્યાત ગુણકાળ થાય છે. સિબુકસંક્રમ - વિપાકોદયમાં પ્રાપ્ત થયેલ મનુષ્યગતિ વગેરેના ઉદયસમયમાં તેની સમાન સમયમાં રહેલ અનુદય પ્રાપ્ત સ્વજાતીય પ્રકૃતિઓના દલિકને સંક્રમાવી અર્થાત્ ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓમાં નાખી - અનુભવી - ક્ષય કરે તે સ્તિબુકસંક્રમ અથવા પ્રદેશોદય કહેવાય છે. છતાં તેમાં સંક્રમણકરણનું લક્ષણ ઘટતું ન હોવાથી તેને પ્રદેશસંક્રમના ભેદ તરીકે બતાવેલ નથી પરંતુ તે પણ સંક્રમ હોવાથી પાંચ સંક્રમ પછી તેનું પણ સ્વરૂપ બતાવવામાં આવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550