Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 505
________________ કર્મપ્રકૃતિ ૨૬નો ૪થે ગુણસ્થાને ૧૯માં, પાંચમે ગુણઠાણે ૧૫માં, છઠે તથા સાતમે ગુણઠાણે ૧૧માં એમ કુલ ચાર પતઘ્રહમાં થાય છે. ૨૬ની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિથ્યાત્વ વિના શેષ ૨૫નો સંક્રમ મિથ્યાત્વ વિના બધ્યમાન ૨૧માં, સાસ્વાદન ગુણઠાણે ૨૮ની સત્તાવાળાને એ જ ૨૫નો ૨૧માં, મિશ્ર ગુણઠાણે ૨૮ તથા ૨૭ની સત્તાવાળાને ૨૫નો બધ્યમાન ૧૭માં એમ બે પતગ્રહમાં થાય છે. ૨૪ની સત્તાવાળો સમ્યગુદૃષ્ટિ પ્રથમ ગુણઠાણે આવે ત્યારે ૨૮ની સત્તા થાય પણ પ્રથમ બંધાવલિકામાં વર્તમાનને અનંતાનુબંધિ અને મિથ્યાત્વ વિના શેષ ૨૩નો સંક્રમ ૨૨માં, અને ૨૪ની સત્તાવાળાને ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અને સમ્યકત્વમોહનીય વિના ૨૩નો ૧૯માં, પાંચમે ગુણઠાણે ૧૫માં, છઠે, સાતમે તથા આઠમે ગુણઠાણે ૧૧માં અને નવમે ગુણઠાણે અંતરકરણ કર્યા પહેલાં ૭માં, એમ પાંચ પતગ્રહમાં થાય છે. ૨૪ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વનો ક્ષય થાય ત્યારે ૨૩ની સત્તાવાળાને ચોથા ગુણઠાણે સમ્યકત્વમોહનીય વિના શેષ ૨૨નો સંક્રમ સમ્યકત્વમોહનીય અને બધ્યમાન ૧૭ એમ ૧૮માં, પાંચમે ગુણસ્થાનકે બીજા ચાર કષાય વિના ૧૪માં, છટ્ટ તથા સાતમે ગુણઠાણે ત્રીજા ચાર કષાય વિના ૧૦માં, અને ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સમ્યકત્વમોહનીય અને સંલોભ વિના ૨૨નો સંક્રમ સાતમાં, એમ ચાર પતઘ્રહમાં થાય છે. જે આચાર્યો ૨૪ની સત્તાવાળો ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વાભિમુખને સાસ્વાદન ગુcપ્રાપ્ત થાય છે. એ પ્રમાણે માને છે. તેમના મતે ૨૧નો સંક્રમ ૨૧માં થાય. જો કે સાસ્વાદન ગુણ૦ આવતાંની સાથે જ તેને ૨૮ ની સત્તા થાય. (કેમકે આવતાં જ અનં-૪ બાંધે છે.) મિશ્ર ગુણઠાણે બધ્યમાન ૧૭માં, ૨૨ની સત્તાવાળા લાયોપથમિક સમ્યગુદૃષ્ટિને અને ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ચોથે ગુણઠાણે પણ બધ્યમાન ૧૭માં, પાંચમે ૧૩માં, છકે, સાતમે તથા આઠમે ૯માં, અને ઔપશમિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિની અંદર અંતરકરણમાં નપુંસકવેદના ઉપશમ પછી ૭માં, અને ક્ષાયિક સમ્યગુદષ્ટિને નવમા ગુણઠાણે આઠ કષાયનો ક્ષય ન થાય અથવા અંતરકરણ ન કરે ત્યાં સુધી બધ્યમાન પમાં, એમ છે કે (પાંચ) પતગ્રહમાં થાય છે. હવે પછીના સંક્રમસ્થાનો માત્ર શ્રેણિમાં નવમા ગુણઠાણે જ પ્રાપ્ત થાય છે. પરંતુ બેનો સંક્રમ દસમે અને અગિયારમે ગુણઠાણે હોય છે. એ વિશેષતા છે. ઓપશમિક સમ્યગદષ્ટિને ઉપશમશ્રેણિમાં સ્ત્રીવેદનો ઉપશમ થયા બાદ ૨૦નો સંક્રમ’૭માં, પુરુષવેદ અપગ્રહ થયા પછી પુરુષવેદ વિના ચાર સંજ્વલન, મિશ્ર તથા સમ્યકત્વમોહનીય એ ૬માં, તેમજ ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંલોભ વિના ૨૦નો બધ્યામાન ૫માં, એમ ત્રણ પતઘ્રહમાં થાય છે. એજ જીવને નપુંસકવેદનો ઉપશમ થયા બાદ ૧૯નો સંક્રમ બધ્યમાન પાંચ પ્રકૃતિરૂપ એક જ પતગ્રહમાં થાય છે. તેને જ સ્ત્રીવેદના ઉપશમ પછી ૧૮નો સંક્રમ પ્રથમ બધ્યમાન પમાં, અને પુરુષવેદ અપતટ્ઠહ થયા બાદ ૪માં, એમ બે પતઘ્રહમાં થાય છે. ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ ૧૪નો સંક્રમ ચાર સંજ્વલન, મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીય એ છ પ્રકૃતિરૂપ એક પતઘ્રહમાં અને એજ જીવને પુરુષવેદનો ઉપશમ થયા બાદ ૧૩નો સંક્રમ પ્રથમ એજ ૬માં, અને સંઇ ક્રોધ અતિદુગ્રહ થયા પછી શેષ પમાં, અથવા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયના ક્ષય પછી પણ પમાં, એમ બે પતઘ્રહમાં થાય છે. ક્ષપકશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સં૦ લોભ વિના ૧૨નો સંક્રમ પમાં, તથા ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ ૪માં, એમ બે પતઘ્રહમાં થાય છે. પશમિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં ૧૧નો સંક્રમ સં૦ ક્રોધ અપતટ્ઠહ થયા બાદ પમાં, અથવા પકશ્રેણિમાં નપુંસકવેદનો ક્ષય થયા પછી પમાં, અને ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં પુરુષવેદના ઉપશમ પછી માં, તેમજ સંતુ ક્રોધ અપગ્રહ થયા પછી ૩માં, એમ ત્રણ પતગ્રહમાં થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550