Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 509
________________ ૪૫o કર્મપ્રકૃતિ ઉત્તર :- પ્રતિબંધ વગેરે ચાર પ્રકારનો બંધ. ઉદય, અને સંક્રમ એ ચારેય જુદાજુદા નહીં પરંતુ એક જ સાથે થાય છે. માત્ર શબ્દે એક સાથે બોલાતા નથી પરંતુ ક્રમપૂર્વક બોલાય છે. તેથી બંધ, ઉદય તેમજ સંક્રમ વગેરેમાં પ્રકૃતિ - સ્થિતિ વગેરે એક - એકનું ક્રમપૂર્વક વર્ણન કરાય છે. તેથી જ્યારે સાતવેદનીયના કર્મ પરમાણુઓ અસતાવેદનીય રૂપે પરિણમી અસાતા રૂપે બને છે ત્યારે તે પ્રદેશસંક્રમ કહેવાય છે. અને જ્યારે સાતાના પરમાણુઓ અસાતા રૂપે પરિણમે છે ત્યારે તે પરમાણુઓમાં પહેલાં જેટલો સુખ આપવાની શક્તિરૂપ પાવર હતો, તે હવે દુઃખ આપવાની શક્તિરૂપે પરિણમે છે તેને અનુભાગસંક્રમ કહેવાય છે. અને પહેલાં જે પરમાણુઓ અમુક નિયત ટાઇમ સુધી સુખ આપવાની યોગ્યતા રૂપે રહેવાના હતા તેના બદલે હવે તેટલા જ ટાઇમ સુધી દુઃખ આપવાની યોગ્યતા રૂપે રહેનારા થયા તે સ્થિતિસંક્રમ અને પહેલાં જે પરમાણુઓમાં સુખ આપવાનો સ્વભાવ હતો તે બદલાઇને હવે દુઃખ આપવાનો સ્વભાવ થયો, તે પ્રકૃતિસંક્રમ કહેવાય છે. માટે ઉપરના કોઇ દોષો આવતા નથી.... પ્રશ્ન :- તમારા કહેવા પ્રમાણે કદાચ પ્રકૃતિ અને અનુભાગસંક્રમ થાય પરંતુ સ્થિતિરૂપ કાળ અમૂર્ત છે, તો અમૂર્ત પદાર્થનો અન્યમાંથી અન્યમાં સંક્રમ કેમ થાય ? ઉત્તર :- અમે પહેલાં જ કહ્યું છે કે કર્મ પરમાણુઓમાંથી કાળને બહાર કાઢી અન્ય કર્મ પરમાણુઓમાં સ્થાપન કરવો એને સ્થિતિસંક્રમ કહ્યો નથી. પરંતુ જે કર્મ પરમાણુઓ જેટલા ટાઇમ સુધી જે રૂપે ફળ આપવાના હતા તે પરમાણુઓ તેટલા ટાઇમ સુધી અન્યમાં સંક્રમ્યા બાદ એ રૂપે ફળ આપે છે. તેને સ્થિતિસંક્રમ કહ્યો છે... માટે કોઇ દોષ નથી... અથવા તો જેમ કાળ રૂ૫ છ ઋતુઓ અમૂર્ત હોવા છતાં દેવાદિકના પ્રયોગથી એક - બીજામાં સંક્રમી અન્ય ઋતુઓનું કાર્ય અન્ય ઋતુઓમાં થાય છે, તેમજ તીર્થંકર પરમાત્મા વગેરેના પુન્યથી જેમ છ એ ત્રઢતુઓ સમકાળે ફળે છે. તેમ...કાળ અમૂર્ત હોવા છતાં જીવના વીર્ય વિશેષથી સાતાવેદનીયના પરમાણુઓમાંથી તે કાળને દૂર કરી અસાતાવેદનીય રૂપે ફળ આપે તેવા નવા કાળનું આગમન કરે તેમ કહેવું તે પણ યોગ્ય જ છે. ( -: અથ દ્વિતીય સ્થિતિસંક્રમ :-) (૧) ભેદ (૨) વિશેષલક્ષણ (૩) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ (૪) જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ (૫) સાઘાદિ અને (૬) સ્વામિત્વ પ્રરૂપણા - આ છ અનુયોગ દ્વાર છે. (૧) ભેદ :- પ્રકૃતિસંક્રમમાં અન્ય પ્રકૃતિનયનરૂપ એક જ પ્રકારનો સંક્રમ બતાવેલો હોવાથી મૂળ આઠ કર્મનો અને ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નથી અર્થાતુ એઓના સંક્રમનો નિષેધ કર્યો છે. પરંતુ અહીં મૂળકર્મો અને આયુષ્યમાં પણ અપવર્ણના અને ઉદ્વર્તના રૂ૫ સ્થિતિસંક્રમ થાય છે. માટે મૂળ પ્રકૃતિઓનો અને ઉત્તર પ્રવૃતિઓનો એમ સ્થિતિસંક્રમ બે પ્રકારે કહી પુનઃ મૂળ કર્મોનો સ્થિતિસંક્રમ જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તર પ્રવૃતિઓનો સ્થિતિસંક્રમ મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે કહ્યો છે. (૨) વિશેષ લક્ષણ :- પ્રકૃતિસંક્રમ એક પ્રકારે હોવા છતાં અપવર્ણના, ઉદ્ધના અને અન્ય પ્રકૃતિનયનરૂપ સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે છે. (૧) લાંબા ટાઇમે ભોગવવા યોગ્ય દલિકોને થોડા ટાઇમમાં ભોગવવાની યોગ્યતાવાળા કરવા તે અપવર્તના સંક્રમ છે. (૨) અમુક થોડા ટાઇમમાં ભોગવવા યોગ્ય દલિકોની સ્થિતિ વધારી તેમાં લાંબા ટાઇમ ભોગવવા રૂપ યોગ્યતા કરવી તે ઉદ્વર્તના સંક્રમ (૩) વિવક્ષિત પ્રકૃતિના દલિકોની સ્થિતિને પતઘ્રહ પ્રકૃતિની સ્થિતિ રૂપે બનાવવી તે અન્ય પ્રકૃતિનયન રૂ૫ સ્થિતિસંક્રમ છે. એટલે પ્રકૃતિસંક્રમ અને પ્રદેશસંક્રમ અન્ય પ્રકૃતિનયન રૂપ એક પ્રકારનો છે પરંતુ સ્થિતિસંક્રમ અને આગળ ઉપર બતાવાતો અનુભાગસંક્રમ ત્રણ ત્રણ પ્રકારે હોય છે. જે પ્રકૃતિનો અપવર્તના સંક્રમ થાય છે ત્યારે તે પ્રકૃતિનો બંધ હોય કે ન પણ હોય પરંતુ જે પ્રકૃતિનો ઉદ્વર્તના સંક્રમ થાય તે વખતે તે પ્રકૃતિનો બંધ અવશ્ય હોય છે. અને અન્ય પ્રકૃતિનયન સંક્રમ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય વિના પતગ્રહ પ્રકૃતિઓનો બંધ હોય ત્યારે જ થાય છે. પરંતુ સમ્યકત્વમોહનીય તથા મિશ્રમોહનીયનો બંધ ન હોવા છતાં સમ્યકત્વમોહનીયમાં મિથ્યાત્વ અને મિશ્રનો તથા મિશ્રમાં મિથ્યાત્વનો સંક્રમ થાય છે. (૩) ઉત્કૃષ્ટસ્થિતિ સંક્રમ પ્રમાણ :- જે ઉત્તર પ્રવૃતિઓનો પોતાના મૂળકર્મ જેટલો અને કષાયોનો ચારિત્રમોહનીય જેટલો સ્થિતિબંધ થતો હોય તે પ્રકૃતિઓ બંધોષ્ટા કહેવાય છે. અને તેવી પ્રવૃતિઓ .. પાંચ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550