Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 498
________________ સંક્રમણકરણ ૪૩૯ થાય છે. અગિયારમા - બારમા ગુણઠાણે યથાસંભવ દર્શનાવરણીય ત્રણે સત્તાસ્થાનો હોવા છતાં સંક્રમ્સમાણ પ્રકૃતિના આધારભૂત પતગ્રહ રૂ૫ દર્શનાવરણીય એકે પ્રકૃતિનો બંધ ન હોવાથી સંક્રમ થતો નથી. ત્યાં ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનકથી પડતાં નવનો સંક્રમ શરૂ થાય માટે સાદિ અને નવના સંક્રમના વિચ્છેદ સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોવાથી ચાર પ્રકારે છે. છનો સંક્રમ નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગી ગયા પછી દશમા ગુણઠાણા સુધી માત્ર અંતર્મુહુર્ત પ્રમાણ હોવાથી સાદિ - અધ્રુવ છે. ત્રીજા અથવા ચોથા ગુણસ્થાનકે દર્શનાવરણીયની છ પ્રકૃતિ બાંધતાં પ્રથમના બે ગુણસ્થાનકે આવી પુનઃ નવ પ્રકૃતિનો બંધ શરૂ કરે ત્યારે નવના પતઘ્રહની સાદિ અને થીણદ્વિત્રિકના બંધવિચ્છેદને નહીં પામેલા જીવોને અનાદિ, ભવ્યોને અધ્રુવ અને અભવ્યોને ધ્રુવ હોવાની નવનું પતગ્રહ ચાર પ્રકારે છે. છે અને ચારનું પતગ્રહ ક્વચિત્ હોવાથી સાદિ અને અધવ એમ બે પ્રકારે છે. તેમાં ૬ના પતગ્રહનો જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એકસોબત્રીશ સાગરોપમ પ્રમાણ કાળ છે, અને ચારના પતગ્રહનો જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહુર્ત કાળ છે. | વેદનીય અને ગોત્રકર્મની વિવક્ષિત સમયે બેમાંથી એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી એક જ પતટ્ઠહ હોય છે અને આ બન્ને કર્મોના બે અને એક પ્રકૃતિ રૂપ બે સત્તાસ્થાનો હોવા છતાં જેનો બંધ ન હોય તે પ્રકૃતિ તેની પ્રતિપક્ષ બંધાતી પ્રકૃતિમાં સંક્રમે છે, માટે સંક્રમસ્થાન એક પ્રકૃતિ રૂપ એક જ હોય છે. ' વિવક્ષિત એક પ્રકૃતિનો સંક્રમ અને પતઘ્રહ સાદિ - અધ્રુવ હોય છે, પરંતુ સામાન્યથી વેદનીય અને ગોત્રકર્મનો સંક્રમ અને પતગ્રહ આ રીતે સાદ્યાદિ ચાર પ્રકારે ઘટી શકે છે, કારણકે અગિયારમા ગુણસ્થાનકથી પડે ત્યારે બંધ શરૂ થવાથી પતટ્ઠહ અને સંક્રમ ચાલુ થાય છે. માટે સાદિ, અથવા તો ઉચ્ચગોત્રની ઉદવલના કર્યા બાદ ફરીથી બંધ કરે ત્યારે ગોત્ર આશ્રયી સાદિ અને બંધવિચ્છેદ સ્થાનને નહીં પામેલ અથવા ઉચ્ચગોત્રની ઉદ્વલના નહીં કરેલ જીવોની અપેક્ષાએ ગોત્ર આશ્રયી અનાદિ, ઉચ્ચગોત્રની ઉદ્વલના ન કરનાર અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધુવ હોય છે. અહીં સંક્રમસ્થાનને આશ્રયી ૧૮ ભાંગા અને પતદ્મહસ્થાનને આશ્રયી ૨૦ ભાંગા થાય છે જે યંત્ર નં- ૪ - ૫માં બતાવેલ છે. મોહનીયકર્મના ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧ એમ કુલ પંદર સત્તાસ્થાનો છે. પરંતુ સંક્રમસ્થાનો આઠ અધિક છે તે પહેલાં જ કહેવાઇ ગયું છે. તેથી ૨૮, ૨૪, ૧૭, ૧૬, ૧૫, આ પાંચ વર્જી શેષ ૨૭, ૨૬, ૨૫, ૨૩, ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, ૧૪, ૧૩, ૧૨, ૧૧, ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧ પ્રકૃતિ રૂ૫ કુલ ૨૩ સંક્રમસ્થાનો છે. ૨૮ની સત્તા સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ એમ બન્નેને હોવા છતાં પોતપોતાની દૃષ્ટિનો સંક્રમ ન હોવાથી ૨૮નું સંક્રમસ્થાન નથી. એજ પ્રમાણે ચોવીસની સત્તા ત્રીજાથી અગિયારમાં ગુણસ્થાનક સુધી હોવા છતાં સમ્યગુદૃષ્ટિ આત્મા સમ્યકત્વમોહનીયનો અને મિશ્રદૃષ્ટિ મિશ્રનો સંક્રમ કરતો ન હોવાથી ચોવીસનો સંક્રમ પણ થતો નથી અને ૧૭-૧૬-૧૫ પ્રકૃતિઓનો સંક્રમ કેમ નથી, તે સંક્રમસ્થાનો વિચાર કરવાથી સમજી શકાશે. ૨૮ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ, એ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયનું પતઘ્રહ હોવાથી અને દર્શનમોહનીય તેમજ ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ ન હોવાથી મિથ્યાત્વનો સંક્રમ થતો નથી તેથી સત્તાવીશનો સંક્રમ થાય છે. અથવા ૨૮ની સત્તાવાળા સમ્યગુદૃષ્ટિને સમ્યકત્વમોહનીયનો સંક્રમ ન હોવાથી શેષ સત્તાવીશનો સંક્રમ થાય છે અને ૨૮ની સત્તાવાળા ઉપશમ સમ્યગુદૃષ્ટિને ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના સમયથી આવલિકા પર્યત મિશ્રમોહનીયનો પણ સંક્રમ ન હોવાથી મિશ્ર અને સમ્યકત્વમોહનીય વિના શેષ છવ્વીસ પ્રકતિઓનો સંક્રમ હોય છે, અથવા સત્તાવીસની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ પતäહ હોવથી તે વિના શેષ છવ્વીસનો સંક્રમ હોય છે અને છવ્વીસની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વનો સંક્રમ થતો ન હોવાથી શેષ ચારિત્રમોહનીયની પચીસ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે, એજ પ્રમાણે ૨૮ની સત્તાવાળા સાસ્વાદન સમ્યગુદૃષ્ટિને પણ ૨૫નો સંક્રમ થાય છે અને અઠ્ઠાવીસ તથા સત્તાવીસની સત્તાવાળા મિશ્રદૃષ્ટિને દર્શનત્રિક વિના પચ્ચીસ પ્રવૃતિઓનો સંક્રમ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550