Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 496
________________ સંક્રમણકરણ ૪૩૭ જયાં સુધી સંક્રમ્સમાણ પ્રકૃતિને સંક્રમના વિષયભૂત પતઘ્રહ પ્રકૃતિનો બંધ હોય ત્યાં સુધી સંક્રમ્સમાણ પ્રકૃતિનો સંક્રમ થાય છે, પરંતુ પતઘ્રહ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા બાદ તેના વિષયભૂત પ્રકૃતિનો સંક્રમ થતો નથી. તેથી પતઘ્રહ પ્રકૃતિનો પુનઃ બંધ શરૂ થાય ત્યારે તેના વિષયભૂત પ્રકૃતિનો સંક્રમ શરૂ થાય માટે સાદિ, અને પતઘ્રહ પ્રકૃતિના બંધવિચ્છેદ સ્થાનને નહીં પામેલ જીવો આશ્રયી અનાદિ, અભવ્યોને પતઘ્રહ પ્રકૃતિના બંધવિચ્છેદનો અભાવ હોવાથી ધ્રુવ અને ભવ્યોને પતઘ્રહ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા બાદ તેના વિષયભૂત પ્રકૃતિના સંક્રમનો પણ અભાવ થાય છે માટે અધ્રુવ. મિથ્યાત્વમોહનીયનો સંક્રમ સમ્યગુદૃષ્ટિ આત્માઓને જ થાય છે અને સમ્યગુદૃષ્ટિપણે હંમેશાં હોતું નથી ત્વ પામે ત્યારે મિથ્યાત્વના સંક્રમની સાદિ અને મિથ્યાત્વનો ક્ષય થાય અગર જીવ પ્રથમના ત્રણ ગુણસ્થાનકે જાય ત્યારે સંક્રમનો અભાવ થવાથી અધ્રુવ. સાત-અસાતા વેદનીય તેમજ નીચગોત્ર અને ઉચ્ચગોત્ર પરાવર્તમાન હોવાથી જયારે જે બંધાય ત્યારે તેમાં તેની પ્રતિપક્ષ એક પ્રકૃતિનો સંક્રમ થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. દેવગતિ વગેરે અધવસત્તાવાળી પ્રકતિઓની સત્તા જ કાયમ હોતી નથી તેથી જ્યારે સત્તામાં હોય ત્યારે સંક્રમ થાય અને સત્તામાં ન હોય ત્યારે સંક્રમ ન થાય માટે મિથ્યાત્વ વગેરે ૨૮ પ્રકૃતિઓનો સંક્રમ સાદિ અને અધવ એમ બે પ્રકારે છે. અહીં આયુષ્ય સિવાય સર્વ ઉત્તર પ્રવૃતિઓના પ૬૦ ભાંગા થાય છે. જે યંત્ર નં-૧ માં બતાવેલ છે. - હવે કઇ પ્રકૃતિઓનો સંક્રમ કયાંથી કયા ગુણસ્થાનક સુધી હોય છે, તે બતાવે છે. :- (યંત્ર નં ૨ જુઓ) અસતાવેદનીયનો બંધ છઠ્ઠા ગુણઠાણા સુધી હોવાથી સાતા વેદનીયનો સંક્રમ એકથી છ ગુણઠાણા સુધી થાય છે, પછી દશમાં ગુણઠાણા સુધી માત્ર સાતાનો જ બંધ હોવાથી અસાતાનો સંક્રમ થાય છે, અર્થાત્ અસાતાનો સંક્રમ એકથી દશ ગુણઠાણા સુધી થાય છે. મિથ્યાત્વાદિ પ્રથમના ત્રણ ગુણઠાણે મિથ્યાત્વનો સંક્રમ ન હોવાથી અને ક્ષીણમોહાદિ ગુણઠાણે સત્તાનો જ અભાવ હોવાથી ચોથાથી અગિયારમાં ગુણઠાણા સુધી જે જીવોને મિથ્યાત્વ સત્તામાં હોય તેઓને મિથ્યાત્વનો સંક્રમ થાય છે. બીજા-ત્રીજા ગુણઠાણે દર્શનત્રિકનો સંક્રમ ન હોવાથી તે બે ગુણઠાણા વર્જી મિશ્રમોહનીયની સત્તાવાળા જીવોને પહેલે તેમજ ચોથાથી અગિયારમા ગુણઠાણા સુધી કુલ નવ ગુણઠાણે મિશ્રમોહનીયનો સંક્રમ હોય છે. - સમ્યક્વમોહનીયનો સંક્રમ માત્ર પહેલે જ ગુણઠાણે હોવાથી તેની સત્તાવાળા જીવોને પહેલે ગુણઠાણે જ હોય છે. અનંતાનુબંધિ ચારનો પહેલા બે ગુણઠાણે નક્કી અને ત્રીજાથી સાતમા ગુણઠાણા સુધી જેઓને સત્તામાં હોય તેઓને અવશ્ય સંક્રમ થાય છે, પરંતુ બીજાઓને નહીં, અપૂર્વકરણાદિ ગુણઠાણે ઉપશમ અથવા ક્ષય થયેલ હોવાથી તેઓનો સર્વથા સંક્રમ થતો નથી. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી યશકીર્તિના સંક્રમના વિષયભૂત નામકર્મથી પતગ્રહ રૂ૫ અન્ય કોઇ પ્રકૃતિનો બંધ ન હોવાથી યશકીર્તિનો સંક્રમ આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી હોય છે. નીચગોત્રનો બંધ પ્રથમના બે ગુણઠાણા સુધી હોવાથી ઉચ્ચગોત્રનો સંક્રમ પ્રથમના બે ગુણઠાણા સુધી થાય છે. બીજે તથા ત્રીજે ગુણઠાણે જિનનામની સત્તાનો જ અભાવ હોવાથી પહેલે તથા ચોથાથી દસમા સુધીના કુલ આઠ ગુણસ્થાનકોમાં જિનનામની સત્તાવાળાઓને જિનનામનો સંક્રમ થાય છે. અપ્રત્યાખ્યાનીય વગેરે બાર કષાય અને નવનોકષાય એમ કુલ ચારિત્રમોહનીયની એકવીશ પ્રકૃતિઓનો નવમા ગુણઠાણે જ્યાં સુધી પોતપોતાનો ક્ષય કે ઉપશમ ન થાય ત્યાં સુધી અને શેષ મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો એકવીશ પ્રકૃતિઓનો એકથી દસ ગુણઠાણા સુધી સંક્રમ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550