Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 489
________________ ૪૩૦ કર્મપ્રકૃતિ સ્થાવરમાં જઇને દીર્ધકાળ પર્યન્ત ઉદ્ગલના કરતા જીવને એ ૧૧નો જ પ્રસંક્રમ થાય તથા સૂએકેપણામાં બાંધેલા ઉચ્ચગોત્રને મનુષ્યદ્રિક યુક્ત એ જ જીવને તેલ અને વાયુકાયમાં પૂર્વોક્ત વિધિએ જ પ્રસંક્રમ થાય છે. ll૧૦૫ ટીકાર્ય :- દેવદ્ધિક - નરકટ્રિક - વૈક્રિયસપ્તક લક્ષણવાળી વૈક્રિય એકાદશક - એ ૧૧ પ્રકૃતિઓનો એકેન્દ્રિય ભવમાં વર્તતો ઉવલના કરે ફરી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. તે અલ્પકાળ અંતર્મુહૂર્ત સુધી બાંધીને પછી ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ આયુષ્યવાલો નારક સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત્યાં તેટલો કાલ સુધી યથાયોગ્ય પણે તે વૈક્રિય સંબંધી ૧૧ પ્રકૃતિઓને “અનુભવીને તે નારકમાંથી નીકળીને પંચેન્દ્રિય તિર્યંચને વિષે ઉત્પન્ન થાય ત્યાં તે વૈક્રિય સંબંધી ૧૧ પ્રકૃતિઓને બાંધ્યા વિના સ્થાવર એકેન્દ્રિયને વિષે જે ઉત્પન્ન થાય. ત્યાં તે ૧૧ પ્રકૃતિઓનો પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર કાલથી ઉદુવલના કરણથી તે ૧૧ પ્રકૃતિઓને ઉકેલતો ઉપાજ્ય ખંડના અન્ય સમયે જે અન્ય પ્રકૃતિમાં દલિક પ્રક્ષેપે તે જીવ તે ૧૧ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. “યલ્સ'' ઇત્યાદિ પૂર્વ કહેલ તે જ જીવના પૂર્વ કહેલ વિધિથી તેઉ વાઉકાયમાં આવેલ જીવ સૂક્ષ્મ એકેન્દ્રિય ભવમાં વર્તતાં જે બાંધેલ ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્વિકનો તે લાંબાકાલની ઉદ્ગલના વડે ઉકેલતા ઉપન્ય ખંડના અન્ય સમયે બીજી પ્રકૃતિમાં જે દલિક સંક્રમાવે તે જ ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્વિકનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. અહીં આ ભાવના છે, - મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને પ્રથમ તેઉ - વાયુ ભવમાં વર્તતો ઉવેલ્યુ હોય ફરી સુક્ષ્મ એકેન્દ્રિય ભવ પ્રાપ્ત કરી અંતર્મુહુર્ત સુધી બાંધેલ હોય પછી પંચેન્દ્રિય ભવમાં જઇને સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાલો નારક થાય ત્યાંથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય અને આટલો કાલ તે મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને બાંધ્યા વિના અને પ્રદેશસંક્રમ વડે ર°અનુભવીને ત્યાંથી અર્થાતુ તિર્યંચ પંચે માંથી તેલ વાઉકાયને વિષે આવીને મનુષ્યદ્રિક અને ઉચ્ચગોત્રને દીર્ઘકાલ ઉદૂવલનાએ ઉકેલતાં ઉપાન્ય સ્થિતિખંડના અન્ય સમયે જે દલિક પરપ્રકૃતિમાં નાંખે તે ૩ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશસંક્રમ સંભવે છે. हस्सं कालं बंधिय, विरओ आहारसत्तगं गंतुं । अविरइमहुबलंतस्स तस्स जा थोवउबलणा ॥ १०६ ॥ हुखं कालं बद्ध्वा, विरत आहारकसप्तकं गत्वा । अविरतिमहोदलयतस्तस्य यावत् स्तोकोदलना ॥ १०६ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ય - “છાત'' - અલ્પકાલ સુધી વિરત અપ્રમત્તસંયત થયો છતો આહારકસપ્તકને બાંધીને કર્મોદયના વૈચિત્ર્યપણાથી ફરી પણ અવિરતિએ જાય છે. ત્યાં જઇને અંતમુહુર્ત પછી પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણની દીર્ઘ ઉદૂવલના વડે ઉકેલતાં છતાં જે અલ્પ ઉવલના એટલે ઉપન્ય ખંડના અન્ય સમયે બીજી પ્રકૃતિમાં પ્રક્ષેપ કરે તે ''આહારકસપ્તકનો જઘન્ય પ્રદેશસંક્રમ છે. ૧૧૮ અનુત્તર વિમાનનું પણ ૩૩ સાગરોપમ આયુ છે, પણ ત્યાં જઇ પછી તિર્યંચભવોમાં જતો નથી માટે સાતમી નારકીમાં જાય તેમ કહ્યું છે. ૧૧૯ સત્તામાંથી કાઢી સુક્ષ્મ એકેન્દ્રિયમાં જઇ બાંધ્યા પછી કોઇ સ્થળે બાંધતો નથી અને ઓછી તો કરે છે એટલે સત્તામાં અલ્પ રહે છે, એટલે તે - વાયુમાં ઉકેલતાં જધન્ય પ્રદેશસંક્રમ ઘટી શકે છે. ૧૨૦ અહીં જો કે ભવમાં નરક યોગ્ય આયુ બાંધે છે, અને જે ભવમાં નારકીમાંથી નીકળી જાય છે તે બંને ભવ ઉપરોક્ત ત્રણે પ્રકૃતિને બંધ યોગ્ય છે. પરંતુ અહીં જઘન્ય પ્રદેશસંક્રમનો અધિકાર હોવાથી એવો જીવ પસંદ કરવાનો છે, કે તે બંધ યોગ્ય ભવમાં પણ ન બાંધે અને પ્રદેશસંક્રમ વડે અનુભવી ઓછી કરે તેમ કહ્યું છે. ૧૨૧ અહીં ઉદવલના સંક્રમનું સ્વરૂપ ખાસ લક્ષમાં રાખવું જોઇએ, પલ્યોપમના અસંખ્યભાગ પ્રમાણ ખંડને લઇ જઇ સ્વ અને પરમાં સંક્રમાવી અંતર્મુહર્ત અંતર્મુહૂર્ત ખાલી કરે છે. ઉત્તરોત્તર સમયે રવ કરતાં પરમાં ઓછું સંક્રમાવે છે. પરથી સ્વમાં અસંખ્યાતગુણ સંક્રમાવે છે. દરેક ખંડને એ પ્રમાણે સંક્રમાવતાં દ્વિચરમ ખંડનું પોતાના સંક્રમકાળના અંતર્મુહૂર્તના છેલ્લા સમયે પરમાં જે સંક્રમાવે તે તેનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે. છેલ્લા ખંડને તો પુર્વ પૂર્વથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણ પરમાં સંક્રમાવે છે એટલે ત્યાં જધન્ય સંક્રમ ઘટી શકતો નથી, એટલે કિચરમખંડ ગ્રહણ કર્યો છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550