Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 463
________________ ૪૦૪ કર્મપ્રકૃતિ ટીકાર્બ - તે પ્રમાણે ઉદૃવનાસંક્રમ કહ્યું. હવે વિધ્યાતસંક્રમનું લક્ષણ કહે છે. જે પ્રકૃતિઓનો ગુણપ્રત્યયથી અથવા ભવપ્રત્યયથી બંધ ન થાય તે પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ જાણવો. તે કઇ પ્રકૃતિઓ છે ? અને ક્યાં તેઓનો વિધ્યાતસંક્રમ થાય છે ? તો કહે છે. - અહીં જે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકને અન્ત જે ૧૬ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે, તે પ્રકૃતિઓનો સાસ્વાદનાદિને વિષે ગુણપ્રત્યયથી બંધ ન થાય. સાસ્વાદનને અત્તે જે ૨૫ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે તે પ્રકૃતિઓનો મિશ્રાદિ ગુણ ગુણપ્રત્યયથી બંધ ન કરે. અવિરતિ સમ્યગ્દષ્ટિને અન્ને જે ૧૦ નો બંધવિચ્છેદ થાય છે, તેનો દેશવિરતિ આદિમાં બંધ થતો નથી. દેશવિરતિને અત્તે જે ૪નો બંધવિચ્છેદ થાય છે, તેનો પ્રમત્તાદિમાં બંધ થતો નથી. પ્રમત્તને અન્ને જે ૬નો બંધવિચ્છેદ થાય છે, તેનો અપ્રમત્તાદિને વિષે ગુણપ્રત્યયથી બંધ ન થાય. તેથી તે પ્રકૃતિઓનો ત્યાં ત્યાં વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. તથા વૈક્રિયસપ્તક, દેવદ્રિક, નરકદ્ધિક, એકે-બે-તે - ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, આતપ એ ૨૦ પ્રકૃતિઓને નારકીના જીવ મિથ્યાત્વાદિ બંધહેતુ હોવા છતાં પણ ભવપ્રત્યયથી જ બાંધતા નથી. નરકદ્ધિક, દેવદ્રિક, વૈક્રિયસપ્તક, બે - તેo - ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ૧૭ પ્રકૃતિઓનો સર્વે પણ દેવો ભવપ્રત્યયથી બાંધતા નથી. એકેન્દ્રિયજાતિ, આતપ, અને સ્થાવરનામ એ ૩ પ્રકૃતિઓ સનત્કુમારાદિ દેવો ભવપ્રત્યયથી બાંધતા નથી. સંઘયણ-૬, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, નપુંસકવેદ, મનુષ્યદ્વિક, ઔદારિકસપ્તક, એકાન્ત તિર્યંચ પ્રાયોગ્ય સ્થાવરાદિ-૧૦, નરકદ્રિક, આતપ, ઉદ્યોત, અપર્યાપ્ત, દુર્ભાગાદિ-૩, નીચગોત્ર, અશુભવિહાયોગતિ એ ૪૧ પ્રકૃતિઓનો અસંખ્યયવર્ષના આયુષ્યવાલા યુગલિક તિર્યંચ અને મનુષ્ય ભવપ્રત્યયથી જ બાંધતા નથી. અને જે જીવો જે જે પ્રકૃતિઓનો અબંધક થાય તે જીવને તે તે પ્રકૃતિઓ વિધ્યાતસંક્રમ યોગ્ય થાય છે. | દલિકના પ્રમાણનું વર્ણન કરે છે. “સંત” ઇત્યાદિ વિધ્યાતસંક્રમ વડે પ્રથમ સમયે જેટલા પ્રમાણે કર્મલિકને પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય તેટલા પ્રમાણના ખંડો વડે તે પ્રકૃતિમાં રહેલ બાકીના બધા દલિકનો અપહાર કરાતાં એક બાજુ અપહરણ કરાયેલ એક એક ખંડવાલા દલિયાનો ઢગલો કરવામાં આવે અને બીજી બાજુ એક આકાશપ્રદેશ રાખીએ એ પ્રમાણે અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં જેટલાં આકાશપ્રદેશ હોય તેટલાં આકાશપ્રદેશ દ્વારા દૂર કરાય છે. (અર્થાતુ ખાલી થાય છે.) આ ક્ષેત્રથી વર્ણન કર્યું. અને કાલથી તો અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી એટલે અસંખ્ય કાલચક્રના સમય જેટલાં સમય દ્વારા તે પ્રકૃતિમાં રહેલ બાકીના દલિયા ખાલી થાય છે. અને આ વિધ્યાતસંક્રમ પ્રાયઃ યથાપ્રવૃત્તસંક્રમના અંતે પ્રવર્તે છે. (યંત્ર નં-૩૦ જુઓ) ઇતિ ૨જી ભેદ પ્રરૂપણા વિષે ૨જું વિધ્યાતસંક્રમ સમાપ્ત ૭૩ ઇદે સાતમેથી નીચે આવનાર જીવને પ્રથમ અંતર્મુમાં આહા-૭નો વિસંક્રમ હોય છે. ત્યારબાદ ઉવલનાસંક્રમ ચાલુ થાય છે. ભવના અંતસમય સુધી સંયમ જાળવી રાખનાર જીવ નરકમાં જતો નથી. નરકમાં જનારો છેવટે છેલ્લા અંતર્મમાં તો નીચે આવેલો જ હોય છે. અને એ અંતર્મુડમાં આહા-૭નો વિસંક્રમ થાય છે. એટલે નરકના પ્રથમ સમયથી જ એનો ઉદ્દવનાસંક્રમ હોવો જોઇએ. ભવના ચરમ સમય સુધી સંયમ જાળવી રાખનારો દેવમાં જાય છે. એટલે દેવ ભવમાં ૪થા ગુણઠાણે પ્રથમ અંતર્મુમાં આહા-૭નો વિસંક્રમ મળી શકે, પણ ત્યારબાદ તો ઉદૂવલના જ હોય છે. એટલે પ્રથમ અંતર્મુહના અલ્પકાળની વિવક્ષા ન રાખી હોય તેમ લાગે છે. તેથી તે જીવોને ૨૦-૨૩ પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ કહ્યો હોય એમ લાગે છે. ૭૪ સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, તિર્યંચદ્ધિક, આતપ, કુજાતિ-૪ એ ૧૦ પ્રકૃતિઓ તિર્યંચ પ્રાયોગ્ય સિવાય અન્ય કોઇ પણ જીવ પ્રાયોગ્ય બંધાય નહીં માટે એકાન્ત તિર્યંચ પ્રાયોગ્ય કહી છે. ૭૫ નરકદ્વિક, આતપ, ઉધોત, અપર્યાપ્ત, એ ૫ પ્રકૃતિઓ પૂ૦ મલયગિરિ મની ટીકામાં નથી. ૭૬ અહીં “શેષદલિકનો” એટલે પૂર્વોક્ત ઉવલના સંબંધી બતાવેલ શેષ સંજ્ઞાવાળા દલિકનો નહીં, પણ વિવક્ષિત પ્રકૃતિ સંબંધી બાકી રહેલા દલિકનો અપહાર જાણવો. વિધ્યાતસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમના અંતે કહેવાનું કારણ યથાપ્રવૃત્તસંક્રમ સામાન્ય છે. બંધયોગ્ય સર્વ પ્રકૃતિઓનો તે થાય છે, અને વિધ્યાતસંક્રમ તો ગુણ કે ભવનિમિત્તે જે જે પ્રકૃતિઓ બંધમાંથી વિચ્છેદ થઇ તેનો થાય છે. એટલે સાધારણ રીતે પહેલાં યથાપ્રવૃત્તસંક્રમ પ્રવર્તે છે અને બંધમાંથી વિચ્છેદ થયા બાદ વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. આમ યથાપ્રવૃતસંક્રમના અંતે વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે એમ કહ્યું છે. પ્રાય: કહેવાનું કારણ અન્ય સંક્રમ પ્રવર્યા બાદ પણ વિધ્યાતસંક્રમ પ્રવર્તે તો વાંધો નથી એમ જણાવવા માટે છે. જેમકે ઉપશમશ્રેણિમાં ગુણસંક્રમ પ્રવર્યા બાદ મરણ પામી અનુત્તર વિમાનમાં જાય તો ગુણ નિમિત્તે નહીં બંધાતી પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. અને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્તિના અંતરકરણમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ગુરાસંક્રમના અંતે વિધ્યાસક્રમ પ્રવર્તે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550