Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 479
________________ ૪૨૦ કર્મપ્રકૃતિ તથા સંસારમાં પરિભ્રમણ કરતાં ભેગા કરેલ અને ક્ષયકાલે અન્ય પ્રકૃતિના દલિકને ગુણસંક્રમથી પ્રક્ષેપી પ્રક્ષેપીને અતિપ્રચુર કરેલ એવા સંજ્વલન ક્રોધના પ્રદેશોનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અંત્ય પ્રક્ષેપ સમયે તે જ પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામીને હોય છે. અહીં પણ બંધવિચ્છેદ પહેલાં બે આવલિકાએ બાંધેલા દલિકને વર્જીને બાકીના દલિકના અંત્ય પ્રક્ષેપે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જાણવો. એ જ પ્રમાણે માન-માયાનો પણ ઉ0મસંક્રમ કહેવો. चउरुवसमित्तु खिणं, लोभजसाणं ससंकमस्संते । सुभधुवबंधिगनामाणावलिगं गंतु बंधंता ॥८८ ॥ चतुरुपशमच्च क्षिप्रं, लोभयशसोः स्वयंसंक्रमस्यान्ते । शुभध्रुवबन्धिनाम्नामावलिकां गन्तुं बन्धान्तान् ।। ८८ ॥ ગાથાર્થ :- ચાર વાર મોહનીયને ઉપશમાવીને શીધ્રસપક થયેલા ગુણિતકમશ જીવને સ્વસંક્રમના અંત્ય પ્રક્ષેપ સમયે સંજ્વલન લોભ ને યશનો ઉ0પ્રસંક્રમ હોય છે. શુભ ધ્રુવબંધિની ૨૦ પ્રકૃતિનો ઉ0પ્રસંક્રમ બંધવિચ્છેદથી આવલિકા વ્યતીત થયા બાદ હોય છે. ટીકાર્થ:- અનેક ભવભ્રમણમાં ચાર વાર મોહનીયને ઉપશમાવીને ચોથી ઉપશમના કર્યા બાદ શીધ્ર ક્ષપકશ્રેણિને પામેલ ગુણિતકશ જીવ સ્વસંક્રમ અંતે એટલે અંત્ય પ્રક્ષેપ સમયે સંજ્વલન લોભ અને યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. અહીં ઉપશમશ્રેણિ પામેલ જીવ અન્ય પ્રકૃતિના ઘણાં દલિકોને ગુણસંક્રમથી પ્રક્ષેપતો હોવાથી સંજ્વલન લોભ અને યશકીર્તિ એ બન્ને પ્રકૃતિઓ નિરન્તર પૂરાય છે. તેથી ઉપશમશ્રેણિનું ગ્રહણ કર્યું છે. તથા સમસ્ત સંસારમાં પરિભ્રમણ કરતો જીવ મોહનીયને ૪ વાર જ ઉપશમાવે છે પરંતુ અધિક નહીં તેથી “ચાર વાર મોહનીયને ઉપશમાવીને” એમ કહ્યું છે. તથા સંજ્વલન લોભનો અંત્ય પ્રક્ષેપ અંતરકરણ પૂરું થતાં પૂર્વના સમયે અર્થાત્ અંતરકરણના છેલ્લા સમયે જાણવો, પરંતુ સંક્રમનો અભાવ હોવાથી તે અંત્ય સમયથી આગળ અંત્ય પ્રક્ષેપ હોય નહીં. (“અંતરવરણને વણ ચરિત્તમોગવિસંવેદન'રૂતિ વવના) અંતરકરણ કરે છતે ચારિત્ર મોહનીય પ્રકૃતિઓનો આનુપૂર્વાથી જ સંક્રમ કહેલ હોવાથી. યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અપૂર્વકરણ ગુણસ્થાનકે ૩૦ પ્રકૃતિઓના બંધવિચ્છેદ સમયે જાણવો, આગળ તે પ્રકૃતિઓનો પતગ્રહનો અભાવ હોવાથી સંક્રમનો અભાવ છે. તેજસસપ્તક, શુક્લ - લોહિત - હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાય - આવુ - મધુરરસ, મૃદુ - લઘુ - સ્નિગ્ધ - ઉષ્ણસ્પર્શ, અગુરુલઘુ, નિર્માણ એ નામકર્મની શુભધ્રુવબંધિની - ૨૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ૪ વાર મોહનીયને ઉપશમાવ્યા બાદ બંધવિચ્છેદથી આગળ એક આવલિકા વ્યતીત થયા બાદ યશકીર્તિમાં પ્રક્ષેપતાં હોય છે. અહીં ગુણસંક્રમથી સંક્રમેલું અન્ય પ્રકૃતિનું દલિક બંધાવલિકા વ્યતીત થયે છતે જ અન્યત્ર સંક્રમવા યોગ્ય હોવાથી બંધાવલિકા જઇને એ પ્રમાણે કહ્યું છે. निद्धसमा य थिरसुभा, सम्मदिहिस्स सुभधुवाओ वि । सुभसंघयणजुयाओ, बत्तीससयोदहिचियाओ ॥ ८९ ॥ स्निग्धसमे च स्थिरशुभे, सम्यग्दृष्टेः शुभध्रुवबन्धा अपि । शुभसंहननयुता, द्वात्रिंशदधिकशतोदधिचिताः ॥ ८९ ॥ ગાથાર્થ :- સ્થિર અને શુભનામકર્મનો ઉ0મસંક્રમ સ્નિગ્ધસ્પર્શ નામકર્મની જેમ જાણવો. તથા સમ્યગુદૃષ્ટિની શુભ ધ્રુવબંધિ શુભ સંઘયણ યુક્ત ૧૩૨ સાગરોપમ સુધી બાંધેલી સમ્યકત્વી પ્રાયોગ્ય પ્રવૃતિઓનો ઉ0મસંક્રમ (બંધવિચ્છેદ અનંતર આવલિકા બાદ યશ-કીર્તિમાં સંક્રમાવતાં હોય ઇતિ શેષ:) ટીકાર્થ:- સ્નિગ્ધસ્પર્શ નામની જેમ સ્થિર અને શુભનામકર્મનું જાણવું. અર્થાત્ જે પ્રમાણે પૂર્વ જે શુભ ધ્રુવબંધિ નામ પ્રવૃતિઓમાં અંતર્ગતપણે નિષ્પ સ્પર્શનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે તેવી રીતે આ બન્નેનો સ્થિર - શુભનો કહેવો એ પ્રમાણે અર્થ છે. આ બન્ને પ્રકૃતિ અધવબંધિ હોવાથી જુદી કહી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550