Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 468
________________ સંક્રમણકરણ ૪૦૯ पल्लासंखियभागेण - हापवत्तेण सेसगवहारो । उबलणेण य थिबुगो, अणुइन्नाए उ जं उदए । ७१ ॥ पल्यासङ्येयभागेण - यथाप्रवृत्तेन शेषकापहारः । उद्वलनया च स्तिबुको - ऽनुदीर्णायास्तु यदुदये ।। ७१ ॥ ગાથાર્થ :- યથાપ્રવૃત્ત અને ઉર્દૂવલનાથી પણ પલ્યોપમના અસંખ્યતમભાગ પ્રમાણ કાળે અંતિમખંડગત દલિકનો અપહાર થઇ રહે, તથા અનુદિત પ્રકૃતિનો સજાતિય ઉદિત પ્રકૃતિમાં જે સંક્રમ તે સ્તિબુક સંક્રમ કહેવાય છે. ટીકાર્થ :- અહીં પૂર્વે યથાપ્રવૃત્તસંક્રમનો કાળ કહ્યો નથી, તથા ઉદ્ગલનાસંક્રમમાં પણ જે ઉપાંત્ય સ્થિતિખંડના અંત્ય સમયે જેટલું કર્મદલિક પોતાના સ્થાનમાં સંક્રમે છે તેટલાં પ્રમાણથી અંત્ય સ્થિતિખંડનો અપારકાળ કહ્યો નથી, તેનું વર્ણન કરતાં કહે છે. - ઉદ્ધવનાસંક્રમમાં જે અંત્ય સ્થિતિખંડ તેને જો યથાપ્રવૃત્તસંક્રમ પ્રમાણે અપહરીએ તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્રથી સંપૂર્ણ અપાર થાય છે. ઉદૂર્વાલનાસંક્રમમાં ઉપાંત્ય સ્થિતિખંડના અંત્ય સમયમાં જેટલું દલિક સ્વસ્થાનમાં નંખાય છે તેટલા પ્રમાણથી તે અંત્ય સ્થિતિગત દલિકનો અપહારકકાળ પલ્યોપમનો અસંખ્યયભાગ માત્ર પ્રમાણ જાણવો. તે કારણથી એ બન્ને પણ સ્વસ્થાનમાં અપારકાળ તુલ્ય છે. પૂર્વે (ગાથા-૭૦માં) પરસ્થાનમાં નાંખવા રૂપ વડે ઉદ્વવનાસંક્રમનો અપહાકાલ ગ્રહણ કર્યો હતો. આ જ પ્રમાણે પંચસંગ્રહ ભાઇ-૨ કરણ-૨ની ગાથા ૮૨માં કહ્યું છે. “મિસ વરને સપનાનું રે સમર્નિાતે મારે નમસો લહાવજીતમાળે / ૮૨ - અર્થ - ઉપાંત્યખંડના અંત્ય સમયે સ્વ અને પરસ્થાનમાં જે દલ ભાગ નાખે છે, તે દલ ભાગ અનુક્રમે યથાપ્રવૃત્ત અને ઉર્વલનાસંક્રમનું પ્રમાણ છે. અહીં બીજો પણ છઠ્ઠો સ્તિબુકસંક્રમ* કહ્યો છે. પરંતુ કરણ લક્ષણના અભાવથી એ સંક્રમકરણ શબ્દની સાથે સંબંધવાળો નથી. કારણકે કરણ તે લેગ્યા સહિત વીર્યરૂપ છે. અને તિબકસંક્રમ વડે સંક્રમની વેશ્યા રહિત એવા અયોગી કેવલિ ભગવંતને પણ ઉપાંત્ય સમયે ૭૨ પ્રકૃતિઓના સંક્રમનું વર્ણન કર્યું છે. સ્તિબુકસંક્રમથી સંક્રમેલું દલિક સર્વથા પતઘ્રહ પ્રકૃતિરૂપે (તતુ પ્રકૃતિરૂપે) પરિણમતું નથી. તેથી જે પ્રમાણે સંક્રમનો સ્વભાવ કહ્યો તે રીતે નથી, તો પણ સંક્રમ શબ્દથી આ પણ કહેવાય છે. તેથી સંક્રમનો વિષય હોવાથી તેનું અર્થાત્ સ્તિબુકસંક્રમનું લક્ષણ કહે છે. શિવ મyડના ૩બંસલg'પગનીયા =એટલે અનુદય પ્રાપ્ત - ઉદયમાં નહીં આવેલી પ્રકૃતિ સંબંધી જે કર્મલિકને ઉદયમાં આવેલ “સમાનકાળ સ્થિતિવાળી સ્વજાતીય પ્રકૃતિમાં સંક્રમે છે. અને સંક્રમણ કરીને અનુભવે છે. જેમ ૮૫ કરણ એટલે જીવના વીર્યનો વ્યાપાર. જ્યાં જ્યાં વીર્યનો વ્યાપાર હોય છે ત્યાં ત્યાં યથાયોગ્ય રીતે સંક્રમાદિ કરશો પ્રવર્તે છે. ત્યારે તિબકસંક્રમની પ્રવૃત્તિમાં વીર્ય વ્યાપાર નથી તે તો સ્વાભાવિક રીતે થાય છે. એટલે જ સંક્રમ વડે હજારો વર્ષોમાં ભોગવી શકાય તેવું કર્મ એકજ સમયમાં અન્ય સ્વરૂપે થઇ જે રૂપે થાય તે રૂપે ફળ આપે છે. અને સ્તિબુકસંક્રમ વડે કોઇ પણ જાતના વીર્ય વ્યાપાર વિના ફળ આપવા સન્મુખ થયેલ એક સમય માત્રમાં ભોગવાય તેટલું દળ અન્ય રૂપે થાય છે. વળી એ પણ વિશેષ છે કે સંક્રમકરણ વડે અન્ય સ્વરૂપ થયેલ કર્મ પોતાના મૂળ સ્વરૂપને છોડી દે છે જ્યારે સ્ટિબુકસંક્રમ વડે અન્યમાં ગયેલ દળ સર્વથા પોતાના મૂળ સ્વરૂપને છોડતું નથી, એટલે કે સર્વથા પદ્મ પરિણમતું નથી. સંક્રમણકરણ વડે બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરનું દળ અન્ય રૂપે થાય છે, ત્યારે સ્તિબુકસંક્રમ વડે ઉદયાવલિકાના ઉદયગત એક સ્થાનકનું જ દલ ઉદયવતી પ્રકૃતિના ઉદય સમયમાં કોઇ પણ જાતના પ્રયત્ન સિવાય જાય છે. ૮૬ અહીં પણ શબ્દ હોવાથી સ્તિબુકસંક્રમ માત્ર ૧૪મે ગુણઠાણે જ હોય એમ નહીં. શેષ ગુણસ્થાને પણ હોય છે. ૮૭ સત્તામાં અસંખ્ય સ્થિતિસ્થાનો હોય છે. અને તે ક્રમશઃ અનુભવાય છે. એક સાથે એકથી વધારે સ્થિતિસ્થાનો અનુભવાતા નથી. જે કર્મપ્રકૃતિના ફળને સ્વસ્વરૂપે સાક્ષાત્ અનુભવે છે તેના અનુભવાતા ઉદય સમયમાં જેનો અબાધાકાળ વીતી ગયો છે પરંતુ સ્વસ્વરૂપે ફળ આપી શકે તેવી સ્થિતિમાં નથી તેવી પ્રકૃતિનો ઉદય-સમય ઉદય પ્રાપ્ત સ્થિતિસ્થાન આત્માની કોઇ પણ પ્રકારની વીર્ય પ્રવૃત્તિ વિના સહજ ભાવે સંક્રમે છે. એટલે ઉપર કહેલ “સમાન કાળવાળી ઉદય સ્થિતિમાં એનો એ તાત્પર્ય હોઈ શકે કે સંક્રમનાર પ્રકૃતિનું ઉદયસ્થાન હોવું જોઇએ તેમજ પતઘ્રહ પ્રકૃતિનું પણ ઉદયસ્થાન હોવું જોઇએ. ઉદયસ્થાનમાં ઉદયસ્થાન સંક્રમવું જોઇએ. અહીં ઉદયસ્થાનમાં ઉદયસ્થાનનું સંક્રમણ થાય છે, એટલે બંનેના ઉદયકાળરૂપ સમાન સ્થિતિ ઘટી શકે છે. અબાધાકાળ વીતી ગયા બાદ તો દરેક કર્મ અવશ્ય ફળ આપવા સન્મુખ થાય છે. તેમાં કોઇ કર્મ સ્વરૂપે ફળ આપે તેવી સ્થિતિમાં હોય છે, તો કોઇ કર્મ અન્યમાં મળી જઇ ફળ આપે તેવી સ્થિતિમાં હોય છે. જે ગતિના આયુનો ઉદય હોય છે તેને અનુકુળ તમામ પ્રવૃતિઓનો સ્વરૂપતા ઉદય હોય છે. તે સિવાયની અન્ય પ્રકૃતિઓનો પરરૂપે ઉદય હોય છે. પરરૂપે જે ઉદય તેનું જ નામ પ્રદેશોદય કે સ્તિબુકસંક્રમ કહેવાય છે. અહીં એ પણ ખ્યાલમાં રાખવું કે અબાધાકાળ વીતી ગયા બાદ દરેક કર્મ ફળ આપવા સન્મુખ થાય છે એટલે જે સ્વરૂપે અનુભવાય તેની જેમ ઉદયાવલિકા હોય છે. તેમ જે પરરૂપે અનુભવાય - સ્વરૂપે ન અનુભવાય તેની પણ ઉદયાવલિકા હોય છે. ઉદયાવલિકા એટલે ઉદય સમયથી આરંભી એક આવલિકા કાળમાં ભોગવાય તેટલો સ્થિતિસ્થાનો. તે સ્થિતિસ્થાનો તો બંનેમાં છે જ, માત્ર એક ને રસોઇયાવલિકા કહેવાય છે, બીજાને પ્રદેશોદયાવલિકા કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550