Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 467
________________ ४०८ કર્મપ્રકૃતિ (અથ અપહાકાલનું અઘબહુત્વ). थोवोऽवहारकालो, गुणसंकमेण असंखगुणणाए । सेसस्सहापवत्ते, विज्झाउवलणणामे य ॥ ७० ॥ स्तोकोऽपहारकालः, गुणसंक्रमेणाऽसङख्येयगुणनया । शेषस्य यथाप्रवृत्तेन, विध्यातोद्वलनानाम्ना च ॥ ७० ॥ ગાથાર્થ :- અંતિમ ખંડને ગુણસંક્રમથી અપહાર કરતાં અલ્પકાળ લાગે. તેથી યથાપ્રવૃત્ત વિધ્યાત અને ઉદવલના સંક્રમથી અપહાર કરતાં અનુક્રમે અસંખ્યગુણ કાળ લાગે. ટીકાર્થ :- હવે આજ ઉવલનાસંક્રમ - વિધ્યાતસંક્રમ - ગુણસંક્રમ - યથાપ્રવૃત્તસંક્રમ* વડે અપહરકાળનું અલ્પબહુત કહે છે. - ઉદ્ધવનાસંક્રમના વર્ણન પ્રસંગે જે પૂર્વે અંતિમખંડ કહેલો છે તે અહીં શેષ સંજ્ઞા કહેવાય છે, તે શેષના દલિકમાંથી જો ગુણસંક્રમના માન વડે અપહાર કરાય તો અંતર્મુહૂર્ત માત્ર કાલથી સકલ પણ દલિકો અપહરાય - દૂર થાય છે. તેથી ગુણસંક્રમથી અપહાકાલ સર્વથી અલ્પ છે. તેથી યથાપ્રવૃત્તસંક્રમ વડે અપહારકાલ અસંખ્યયગુણ છે, કારણકે તે જ અંતિમખંડને યથાપ્રવૃત્ત સંક્રમ (લિકના પ્રમાણથી) અપહરે તો (તે અંતિમખંડને પૂર્ણ થતાં) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાલ લાગે. તેથી વિધ્યાતસંક્રમ (દલિક પ્રમાણે અંતિમખંડને) અપહરતાં અસંખ્ય ગુણ કાળ થાય, કારણકે તે જ અંતિમખંડના દલિકને વિધ્યાતસંક્રમ પ્રમાણે દલિક અપહાર કરતાં અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી કાલ થાય છે. તેથી પણ ઉવલનાસંક્રમ પ્રમાણે અપહારકાળ અસંખ્યગુણ છે. કારણકે અંત્યખંડને ઉપાંત્ય સ્થિતિખંડના અંત્ય સમયે જે પરપ્રકૃતિમાં જેટલું દલિક નંખાય છે તે માને ઉદ્દ્વનાસંક્રમ વડે અપહાર કરીએ તો તે અંત્યખંડ અતિપ્રભૂત = ઘણી અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણીથી દૂર થાય છે. તેથી ઉદ્ગલનાસંક્રમ અસંખ્ય ગુણ છે. વિધ્યાતસંક્રમથી અથવા ઉદવલનાસંક્રમ ક્ષેત્રથી વિચારીએ તો અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલાં સમય જાણાવાં. માત્ર ઉદ્દ્વનાસંક્રમ વડે થતાં અપહારકાળમાં અતિમોટો અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણવો.* (યથાપ્રવૃત્તસંક્રમ યંત્ર નં ૩૨) ધ્રુવબંધિની તેના બંધક તે ભવયોગ્ય પરાવર્તમાન પ્રવૃતિઓ તેના બંધક કે અબંધક જીવો અહીં યોગને અનુસાર સંક્રમ થાય છે. આના બાધક વિધ્યાત અથવા ગુણસંક્રમ થાય છે. ૮૨ અહીં પમા સર્વસંક્રમની વિવક્ષા કરી નથી. તેનું કારણ કે સર્વસંક્રમ વિષય એક જ સમયમાં સંક્રમનું લિક તે અંતિમ ખંડમાંનું જ છે, ને સર્વસંક્રમ લિક પ્રમાણે અંતિમખંડગત લિકનો અપહાર કરતાં ૧ સમય લાગે ને કંઈ પણ લિક શેષ રહે નહીં માટે અત્રે સર્વસંક્રમ અવિવલિત છે, એનો બીજી રીતે અપારકાળ ૭૧મી ટીકાર્યમાં કહ્યો છે. ૮૩ અહીં ૪ સંક્રમ વડે અંતિમખંડગત લિક અપહરકાળનું અલ્પબદુત્વ કહેવાનું કારણ એ ૪ સંક્રમમાં જ પરસ્પર ધલક અને કાળ સંબંધી અભબહત્વ સહેજે સમજવા માટે છે. ૮૪ આ ગાથામાં સંક્રમના વિષયમાં કાળનું જે અલ્પબહુત કહ્યું તે ઉપરથી કયા સંક્રમનું કેટલું બળ છે તે ખ્યાલમાં આવ્યું હશે. સૌથી વધારે બળ ગુણસંક્રમનું છે. તેનાથી ઓછું યથાપ્રવૃત્તસંક્રમનું અને તેનાથી ઓછું વિધ્યાતનું છે. જો કે યોગાનુસાર સંક્રમ થાય છે. પરંતુ કાળભેદે થતો હોવાથી એ અલ્પબદુત્વ સંભવે છે. ગુણસંક્રમ વડે થતો સંક્રમ તો હંમેશા વધારે જ હોય છે. બંધ યોગ્ય પ્રકૃતિઓનો સંક્રમ અને બંધવિચ્છેદ થયા પછી થતો તેનો જ સંક્રમ એમાં વધતા - ઓછાપરું રહે છે. બંધયોગ્યનો વધારે અને બંધવિચ્છેદ થયા પછી અલ્પ દલનો સંક્રમ થાય છે. ઉદ્વવનાસંક્રમ તો ઉપરના ગુઠાણે થાય છે તેનું બળ યથાપ્રવૃત્તથી વધારે છે, કેમકે તે વડે અંતર્મુહૂર્તમાં કર્મપ્રકૃતિ નિઃસત્તાક થાય છે. ઉદ્વવનાસંક્રમમાં તો સ્વમાં નંખાય તે હિસાબે નંખાય તો યથાપ્રવૃત્તસંક્રમ જેટલું બળ અને પરમાં નંખાય તે હિસાબે નંખાય તો તેનાથી ઘણું ઓછું બળ છે. પ્રકૃતિને નિઃસત્તાક કરવામાં ઉદ્દવલના ઉપયોગી છે. જ્યાં જ્યાં તે લાગુ પડે છે ત્યાં ત્યાં તે તે પ્રકૃતિ નિઃસત્તાક થાય છે. ૧લા ગુણઠાણે કેટલીક પ્રવૃતિઓમાં ઉદ્વવનાસંક્રમ પ્રવર્તે છે, પરંતુ ઉપરના ગુણઠાણે પ્રવર્તે તેનાથી ૧લા ગુણઠાણે ઓછા બળવાળો હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550