Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 455
________________ ૩૯૮ કર્મપ્રકૃતિ ( - અથ ૧લી - ૨જી સામાન્યલક્ષણ - ભેદ પ્રરૂપણા :-) * ત્યાં પ્રથમ સામાન્યલક્ષણ અને ભેદની પ્રરૂપણા કરતાં કહે છે. -૧લી સામાન્ય લક્ષણ પ્રરૂપણાઃ- જે સંક્રમ યોગ્ય દલિક એટલે કર્મપરમાણુઓને અન્ય પ્રકૃતિરૂપે લઇ જવાય, અર્થાતુ પોતાની ભિન્ન પતäહ પ્રકૃતિરૂપે પરિણમાવે તે પ્રદેશસંક્રમ કહેવાય છે. આ સામાન્ય લક્ષણ પ્રતિપાદન કર્યું. ૨જી ભેદ પ્રરૂપણા:- તે પાંચ પ્રકારે છે. (૧) ઉદૂવલનસંક્રમ (૨) વિધ્યાતસંક્રમ ૯૩) યથાપ્રવૃત્તસંક્રમ (૪) ગુણસંક્રમ અને (૫) સર્વસંક્રમ છે. એ ભેદથી પ્રતિપાદન કર્યું. ત્યાં “થો નિર્દેશ:” . જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ એ ન્યાયથી પ્રથમ ઉદ્વવનાસંક્રમનું લક્ષણ કહે છે. (-: અથ ૨જી ભેદ પ્રરૂપણા વિષે ૧લું ઉદ્ઘલનાસંક્રમ - ) અહીં સમ્યકત્વ, મિશ્ર, દેવદ્રિક, નરકદ્ધિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, મનુષ્યદ્ધિક, ઉચ્ચગોત્ર એ ૨૩ * પ્રથમથી જ પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિખંડને અંતર્મુહૂર્ણ કાલથી ઉવેલ છે, ધનદલ જેવા અલ્પ દલિકનું ઉત્તારણ ઉકિરણ તેને જ ઉદ્વલન કહેવાય છે. ત્યારપછી પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ બીજા સ્થિતિખંડને અંતર્મુહુર્ત કાલથી ઉવેલ છે. ફક્ત પ્રથમ સ્થિતિખંડથી વિશેષહીન હોય છે. ત્યારપછી પણ પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ બીજા સ્થિતિખંડથી વિશેષહીન ત્રીજા સ્થિતિખંડને અંતર્મુહૂર્ત કાલથી ઉવેલું છે. એ પ્રમાણે દરેક અંતર્મુહુર્ત કાલથી ઉવેલાતા પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિખંડોને પૂર્વ પૂર્વ સ્થિતિખંડ અપેક્ષાએ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી દ્વિચરમ-ઉપાંત્ય સ્થિતિખંડ આવે. અને આ સર્વ અનંતરોપનિધા સ્થિતિ અપેક્ષાએ યથા ઉત્તર ઉત્તરક્રમે વિશેષહીન છે. (ઇતિ સ્થિતિ અપેક્ષાએ અનંતરોપનિધા). અને પરંપરોપનિધાથી તો પ્રથમ સ્થિતિખંડ અપેક્ષાએ કેટલાક અસંખ્યયભાગહીન, કેટલાક સંખ્યયભાગહીન, કેટલાક સંખ્યયગુણહીન, કેટલાક અસંખ્યયગુણહીન હોય છે. આ પ્રમાણે ચાર સ્થાન પતિત જાણવાં. (ઇતિ સ્થિતિ અપેક્ષાએ પરંપરોપનિધા) પ્રદેશ પ્રમાણથી અનંતરોપનિધા:- વિચારીએ તો પૂર્વ પૂર્વ સ્થિતિખંડોથી પછી પછીના સ્થિતિખંડો યથાક્રમે વિશેષાધિક દલિકો હોય છે. અને પરંપરોપનિધાથી તો પ્રથમ સ્થિતિખંડગત દલિકની અપેક્ષાએ કેટલાક સ્થિતિખંડગત દલિક અસંખ્યયભાગાધિક, કેટલાક સંખ્યયભાગાધિક, કેટલાક સંખ્યયગુણાધિક, કેટલાક અસંખ્યયગુણાધિક હોય છે. આ પ્રમાણે ૪ સ્થાન પતિત જાણવાં, (ઇતિ પ્રદેશાપેક્ષાએ અનંતરોપનિધા - પરંપરોપનિધા). આ સ્થિતિખંડોની ઉત્કિરણ - ઉકેલવાની વિધિ આ પ્રમાણે છે. - પ્રથમ સમયે અલ્પ દલિક ઉવેલે, તેથી દ્વિતીય સમયે અસંખ્યયગુણ, તેથી પણ ત્રીજા સમયે અસંખ્ય ગુણ એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પોત પોતાના અંતર્મુહુર્તનો અંત્ય સમય આવે અને ગુણાકાર પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ જાણવો. અને તે ઉત્કિર્ણ દલિકને કેટલાક દલિક સ્વપ્રકૃતિમાં ને કેટલાક પરપ્રકૃતિમાં નાંખે છે. તેમાં ક્યાં કેટલા દલિકને પ્રક્ષેપે તે કહે છે. - પ્રથમ સ્થિતખંડમાં પ્રથમ સમયે જે કર્મલિક અન્ય પ્રકૃતિને વિષે નાંખે તે સર્વ અલ્પ છે. તેથી જે દલિક સ્વપ્રકૃતિની નીચેની સ્થિતિમાં નાંખે તે અસંખ્યયગુણ છે. તેથી પણ બીજે સમયે જે દલિક સ્વસ્થાનમાં નાંખે તે અસંખ્યયગુણ છે. અને પરપ્રકૃતિમાં જે પ્રક્ષેપાય છે તે પ્રથમ સમય સંબંધી પરપ્રકૃતિમાં નાંખેલ દલિતથી વિશેષહીન છે. તેથી પણ ત્રીજા ૬૪ અહીં મલયગિરિ મ.ની ટીકામાં અનતાનુબંધિ-૪ સહિત ૨૭ પ્રકૃતિઓ કહી છે. ૬૫ ઉવેલવું એટલે વિવલિત પરમાણુઓને વિવલિત વિધિએ સ્વસ્થાનથી ઉપાડીને અન્ય સ્થાનમાં = અન્ય પ્રકૃતિમાં એવી રીતે સ્થાપવા કે જેથી અંતે પરમાણુઓને સર્વથા નિસત્તાક થવાનો પ્રસંગ આવે. ૬૬ અહીં તાત્પર્ય એ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે ખંડ કહ્યો તે નાનો નાનો સમજવો. ૧લો ખંડ મોટો, રજો નાનો, ૩જો તેનાથી નાનો એમ ઢિચરમ ખંડ સુધી સમજવું. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ હોવાથી બની શકે છે. અહીં અંતર્મુહર્ત દરેક ખંડ ઉવેલ તે ઘત, પલ્યોઅસંતુ ના ૧૦૦ સ્થિતિસ્થાનકનો એ સ્થિતિખંડ કલ્પીએ તો ૧લા સમયે ૧૦૦માંથી દલિકો દૂર કરે, બીજા સમયે પણ ૧૦૦માંથી ઈલકો દૂર કરે, તેમ કરતા અંતર્મહત્ત્વના છેલ્લા સમયે પણ ૧00માંથી ઈલકો લઇ તેવડા ખંડને ખલાસ કરે ત્યારબાદ બીજોખંડ પૂર્વ રીતે ખાલી કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550