Book Title: Kalashamrut Part 4
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 516
________________ ૫OO કલશામૃત ભાગ-૪ (મે) મને (પરં ન ખાતુ) કર્મનો બંધ નથી, એમ જાણીને (મુંક્ષે) પંચેન્દ્રિયવિષય ભોગવે છે તો (મો.) અહો જીવ!(તુર્કp: વસ) એવું જાણીને ભોગોને ભોગવવું ભલું નથી. કારણ કે વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે-“ય િ૩૧મોત: વન્યૂ: સ્થાત્ તત તે વિ૬ વમવાર: સ્તિ” (યતિ) જો એમ છે કે (૩૫મોડાત:) ભોગસામગ્રી ભોગવતાં (વન્ધ: ચા) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી (તત) તો (તે) અહો સમ્યગ્દષ્ટિ જીવ!તારે (ામવાર:) સ્વેચ્છા-આચરણ (વિરું સ્તિ) શું છે? અર્થાત્ એમ તો નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ રાગવૈષ-મોથી રહિત છે. તે જ સમ્યગ્દષ્ટિ જીવ, જો સમ્યકત્વ છૂટે, મિથ્યાત્વરૂપ પરિણમે તો, જ્ઞાનાવરણાદિ કર્મબંધને અવશ્ય કરે; કેમ કે મિથ્યાદેષ્ટિ થતો થકો રાગ-દ્વેષ-મોહરૂપ પરિણમે છે; એમ કહે છે-“જ્ઞાન સન વસ” સમ્યગ્દષ્ટિ હોતો થકો જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી; “અપરથી સ્વસ્થ અપSTધાત વિશ્વમ ઘુવમ પિ” (1પરથી) મિથ્યાદેષ્ટિ થતો થકો (સ્વસ્થ પર ધા) પોતાના જ દોષથી રાગાદિ અશુદ્ધરૂપ પરિણમનને લીધે (વશ્વમ ધ્રુવન ) જ્ઞાનાવરણાદિ કર્મબંધને તું જ અવશ્ય કરે છે. ૧૯-૧૫૧. કળશ નં.-૧૫૧ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૮–૧૫૯ તા. ૨૪-૨૫/૧૧/'૭૭ કળશટીકાનો નિર્જરા અધિકારનો ૧૫૧ નંબરનો શ્લોક છે. “જ્ઞાનિન નાલુ વર્ષ વર્તમ ન વિત”[ જ્ઞાનિન] હે સમ્યગ્દષ્ટિ જીવ!” જેને આત્માના આનંદના સ્વભાવનો અનુભવ થયો તે સમ્યગ્દષ્ટિ છે. ભગવાન આત્મા શરીર વાણીથી જુદો, પુણ્ય પાપના વિકલ્પથી જુદો પરંતુ પોતાના અનંત અનંત અમા૫ ગુણથી જુદો નહીં. એવા સ્વભાવનો તેને સમ્યગ્દર્શન થતાં અનુભવ થયો. અજ્ઞાનીને એવો અનુભવ કેમ નથી? અનાદિથી રાગ ને પુણ્ય-પાપના ભાવને પોતાના માનીને તે રાગને વિકારને વેદે છે તેથી તેને અનુભવ અને સમ્યગ્દર્શન નથી. આહાહા! ભગવાન આત્મા! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર છે તેનો આદર છોડી અને રાગનો એક કણને કે એક જડ રજકણને પોતાના માને છે તેણે પોતાના ત્રિકાળી શુધ્ધ સ્વભાવનો અનાદર કર્યો છે. એ રાગનો કણ અને એક રજકણ પણ પૈસા આદિ બહારની ધૂળ તે બહાર રહી ગઈ. રાગના કણને પોતાનો માને તે મિથ્યાદેષ્ટિ અનંત સંસારના પરિભ્રમણના બીજને સેવનારો છે. જેને રાગથી ભેદજ્ઞાન થઈ ગયું કે એ હું નહીં, રાગ પોતાના ભાવે નહીં અને એક સમયની વર્તમાન દશા તેટલોય હું નહીં. મારું અસ્તિત્વ પૂર્ણ છે. મારી હયાતી અમાપ એવા ( અનંતા) ગુણના સ્વભાવથી ભરેલો દરિયો છું. એવી જેને અંતરમાં દૃષ્ટિ ને વેદન થયું તે જ્ઞાનીને અમે સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. આવો માર્ગ છે!!

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572