Book Title: Jayanand Kevali Charitra
Author(s): Munisundarsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 536
________________ ચૌદમો સર્ગ. (517) કથા વિગેરેવડે મારા મનને વિનેદ આપવો.” આ પ્રમાણે રતિસુંદરીની વાણીવડે હર્ષ પામેલી તે માયાસ્ત્રી હમેશાં તેણીને ઘેર જવું આવવું કરવા લાગી; તથા પોતાને ઘેર આવીને પુરૂષષે સમગ્ર ચેષ્ટા કરવા લાગી. તે રતિસુંદરીના મનહર રૂપને સંભારી સંભારીને તથા તેણીને ઘેર જાય ત્યારે સાક્ષાત્ તેણીનું રૂપ જોઈ જોઈને તે સૂરદત્ત પુરૂષ હોવાથી અધિકાધિક કામદેવની પરાધીનતાને પામવા લાગે. હવે તે સૂરદત્ત ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે–“શું એવું મારું કર્મ હશે કે જેથી એકવાર પણ આ રતિસુંદરીના સંગમનું સુખ મને પ્રાપ્ત ન થાય?” આવા આવા વિચારથી તેના સંગમના મનેરથવાળી તે માયાસ્ત્રી તેનેજ ઘેર ઘણે વખત રહેવા લાગી, અને વિવિધ પ્રકારની કળાઓ વડે તેણીના મનને અધિક અધિક હર્ષ આપવા લાગી. તેમજ ધર્મકથા કહેતી વખતે ઉત્કૃષ્ટ રસને વિસ્તારતી તે વચ્ચે વચ્ચે કામકથા પણ કહેવા લાગી. તેથી ક્ષીરનું ભજન કરનારાને પણ જેમ વચ્ચે વચ્ચે શાક દાળ વિગેરે અન્ન પણ ખાવાની રૂચિ થાય, તેમ (અથવા તે હમેશાં અંતપ્રાંત આહાર કરનારા મુનિઓને પણ કોઈ વખત ક્ષીરના આહારની રૂચિ થાય તેમ) તે માયાસ્ત્રીની કામક્તિ વડે યુક્ત ધર્મના અર્થવાળી વાણું પણ અનુક્રમે તે રતિસુંદરીને રૂચિકર થવા લાગી. તે માયાસ્ત્રીએ રમણીય, પ્રશંસા કરવા લાયક, ધર્મના તત્વ સહિત, રૂચિવાળા અને ઉચિત વચનવડે તે રતિસુંદરીના મનને ધીમે ધીમે રસવડે વૃદ્ધિ પમાડયું. જેમ જેમ તેની વાણીવડે તે રાણું હૃદયમાં પ્રસન્ન થવા લાગી, તેમ તેમ તે રાણી તેને અધિક માન આપવા લાગી અને તે માયાસ્ત્રીની વાણી તે રાણીના હૃદયમાં અખ્ખલિતપણે પ્રવેશ કરવા લાગી. એકદા તે માયાસ્ત્રીએ રતિસુંદરી રાણીને કહ્યું કે–“હે સખી! કામદેવે શસ્રરૂપ કરેલું આવું તારૂં વૈવન યુવાનોને આનંદ પમાડે તેવું છે, અને વિશ્વની સ્ત્રીઓને જીતનારું આ તારૂં મનહર રૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595