________________ (552) જયાનંદવન ચરિત્ર. અંદર સર્પણ સહિત એક મોટો સર્પ બળે છે, તે તમે પ્રથમ જોઈ ખાત્રી કરે. પછી બીજા, ત્રીજા અને ચોથા અગ્નિકુંડમાં પણ કાષ્ટની અંદર રહેલા અનુક્રમે કાકીડો, ઉધેઈ અને દેડકીઓ છે તે જુઓ.” આ પ્રમાણે કહીને શ્રી જયાનંદ રાજાએ તેમને અગ્નિના તાપથી અત્યંત દુઃખી થતા સર્પાદિક કાષ્ટ્રમાંથી કાઢીને દેખાડયા અને તે રાજર્ષિ આ પંચાગ્નિની તપસ્યામાં પ્રાણીઓની પીડાના સ્થાનરૂપ હિંસાને જ સાધતા હતા એમ તેમણે પ્રત્યક્ષ દેખાડી આપ્યું. પછી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચને વિષે હેતુ, દષ્ટાંત, યુક્તિ અને આગમવડે પ્રગટ રીતે સજીવપણું સિદ્ધ કરી બતાવીને કહ્યું કે “હે તાત! તે સ્થાવર જીવોની તો આ પંચાગ્નિ તપમાં પારાવાર હિંસા થાય છે. તે હિંસા તત્વને અને અતવન વિવેક કરનારા તમારી જેવા પૂજ્યને હિતકારક નથી. " આવા પ્રકારનાં જયાનંદ રાજાનાં વચન સાંભળી શ્રી જય નામના તે તાપસ રાજર્ષિ પ્રતિબોધ પામ્યા. “પ્રાયે કરીને મહાપુરૂ નું વચન ગ્રહણ કરવા લાયક જ હોય છે, તેથી તે નિષ્ફળ થતું નથી.” “શું અમૃતના મેઘની ધારા કદાપિકેઇપણ ઠેકાણે નિષ્ફળ થાય છે?” તે રાજેદ્રનાં વચનવડે પહેલેથી જ સંસારપર ઉદ્વેગને ધારણ કરનારા તે શ્રીજય નામના શ્રેષ્ઠ તાપસે શુદ્ધ ધર્મરૂપ વૃક્ષના મૂળરૂપ સમ્યકત્વને અંગીકાર કર્યું, અને મહાસાત્વિક એવા તે નિઃસ્પૃહપણાને લીધે તત્કાળ તાપસી દીક્ષાનો ત્યાગ કરી યતિપણું અંગીકાર કરવા માટે ઉત્કટ ઈચ્છાવાળા થયા. પછી શ્રીજયાનંદ રાજાને તેઓ કાંઈક કહેતા હતા, તેવામાં કોઈએ ત્યાં આવીને શ્રીગુરૂમહારાજ પધાર્યા છે એમ નિવેદન કર્યું. “કયે સ્થાને ક્યા ગુરૂ પધાય છે ?" એમ રાજાએ તેને પૂછયું, એટલે તે ગરવ સહિત બોલ્યા કે “હે ધરાધીશ! આ નગરની પૂર્વ દિશામાં રહેલા ચંપક નામના ઉદ્યાનને વિષે નામ અને અર્થ વડે પ્રસિદ્ધ એવા આગમસાગર નામના સૂરીશ્વર પધાર્યા છે. તેમની સાથે સારભૂત પાંચસે મુનિઓને પરિવાર છે, તે તપના નિધાન છે અને તેમની સાથે શ્રીવિજય રાજર્ષિ પણ આવેલા છે.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust