________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૨૫૯
૧૯૫૧માં તેમણે અમદાવાદમાં કાપડની મીલ દિપક ટેક્ષટાઈટસ ઍન્ડ પ્રા. લી. ના નામે શરૂ કરી. ૧૯૫૫/૫૬ માં મુંબઈમાં વિજય ડાઈગ એન્ડ પ્રીન્ટીંગ મિસ નામે processing house. શરૂ કર્યું. તેમજ ૧૯૫૯/૬૦ માં. calico Dyes & colour chemicalsની ફમ શરૂ કરી. ૧૯૬ થી આજીવન જિંદગીના છેલ્લા ૨૫ વર્ષ પૂર્ણ પણે ગરીબ અને પિડીત, બિમાર તથા મધ્યમ વર્ગના લોકો તથા પ્રાણીમાત્રની સેવામાં તન-મન અને ધનથી કાર્યરત રહ્યા. લાખનું જાહેર અને ગુપ્ત દાન કર્યું.
જીવી ગયો. એમણે ઊભી કરેલી સેવા જીવનની પગદંડી ઉપર તેમના ધર્મપત્ની શ્રી પુષ્પાબહેન આજે પણ એ જ રાહે ચાલી રહ્યાં છે. હરકીશનદાસ નરોત્તમદાસ હોસ્પિટલમાં સ્વ.શ્રી ઠેકટરને નામે કીડનીને એક અલાયદો વિભાગ ચાલે છે. મરીન ડ્રાઈવ પર શ્રી જૈન મહિલા સમાજ, શકુંતલા હાઈસ્કૂલ જેવી ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહીને સેવા આપી રહ્યાં છે. મંગલધર્મની તીર્થયાત્રાએ ભારતના ઘણા દર્શનીય સ્થળે જઈ આવ્યા છે. નવું જોવા-જાણવા અને કલા-સાહિત્યને પ્રોત્સાહિત કરવાને પણ તેમને એક આગ શેખ છે. સેવા જીવનની તેમની યાત્રા ચિરંજીવી બની રહે !
શ્રી કેશવલાલ અમૃતલાલ પારેખ જૈન સમાજના અગ્રગણી, રાજકોટના વતની શ્રી કેશવલાલ અમૃતલાલ પારેખને મુંબઈમાં હાર્ટ એટેક થી ૭૮ વર્ષની ઉંમરે તેમના નિવાસ સ્થાને દેહવિલય થયો છે. મધ્યમ વર્ગને માનવી તેની ટાંચી આવકમાંથી બચત કરી, દેશમાં મા-બાપ, કુટુંબને પૈસા મોકલી શકે તે આશયથી તેઓએ મુંબઈમાં ૧૯૫૦ માં દશા શ્રીમાળી ભેજનાલય શરૂ કરાવ્યું હતું. અમદાવાદમાં ૧૯૫૪–૫૫ માં સ્થાનકવાસીના ઉપાશ્રયની સ્થાપના તેઓએ કરી હતી. ૧૯૬૪ના કરછ દુકાળ વખતે ગરીબ માણસને માત્ર ૧૦. પૈસા જેવી નજીવી રકમમાં જમવાનું મળી રહે તેવી વ્યવસ્થા તેમણે બહુજ જહેમત ઉઠાવી કરી હતી. ૧૯૭૩માં સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડયો ત્યારે સૌરાષ્ટ્ર draughtrelief,ની સ્થાપના પણ તેમણે કરી હતી રાજકેટ T. B. cancer societyની સ્થાપનામાં પણ તેમણે અગત્યનો ભાગ ભજવ્યું હતું. રાજકેટમાં મણિલાલ શામજી વિરાણી હેપિટલની
સ્થાપનામાં તેમજ ઉત્કર્ષ માટે અવિરત પરિશ્રમ ઉઠાવે. રાજ કેટ મહાજન શ્રી પાંજરાપોળમાં તેઓ ટ્રસ્ટી તથા કરતા હતા આખરે સુધી હતા. શ્રી કેશવલાલ. અમૃતલાલ પારેખને જન્મ ૧૯૦૬ માં મોરબી મુકામે તેઓના મોસાળે થયો હતો. તેઓ બે ભાઈ અને ચાર બંનેમાં સહુથી નાના હતા. જુનાગઢમાં મેટ્રીક સુધી અભ્યાસ કર્યો અને ૧૯૨૨માં મુંબઈ આવ્યા. ખીમજી વિશ્રામની રૂની પેઢીમાં રૂ. ૩૫) ના પગારથી શરૂઆત કરી. ખેતીવાડીમાં ઓરડી લીધી. ૧૯૨૫માં શ્રી કેશુભાઈનું લગ્ન રાજ કેટ નિવાસી શ્રી ૨તીલાલ ભાણજી બેધાણીના પુત્રીશ્રી શાન્તાબહેન સાથે થયું. અને ત્યારે મુંબઈમાં ગોકુળદાસ. ડોસાની રૂની કુ.માં કામ કરતા હતા. તેમના સ્નેહીઓ તેમને નગરશેઠના હુલામણા નામે તથા ચિના કે તેમને “પારેખ શાન નામથી પ્રેમથી બોલાવતાં હતાં. (He was konwn for his great hospitality in Sangai) ડોસાની શાંગાઈ બ્રાંચ બંધ થતા કેશુભાઈ કાગવાન એન્ડ કુ. નામની પ્રસિદ્ધ ચાઈનીઝ કુ.માં કેટન તથા exchange dept.માં મેનેજર તરીકે goin થયાં.
કમળાબહેન અમૃતલાલ મહેતા કમળાબહેન હાલ ૬૫ વર્ષની ઉંમર ધરાવે છે. એમણે ચાર પડી સુધી અભ્યાસ કરેલ છે. પિતાનું નામ બબલદાસ અને પત્નીનું નામ મણિબેન છે. એમના પતિ શ્રી અમૃતલાલ ઈડર નરેશના ઈડર સ્ટેટ વખતે કામદાર હતા. તેમના પુત્ર શ્રી ચંપકભાઈ પ્રખ્યાત ડેકટર છે.
કમળાબહેનનું ધાર્મિક જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણાદાયક બને તેવું છે. તેમણે વર્ષી તપ, ૫૦૦ આયંબીલ, ઉપધાન તપ-૩ વિગેરે અનેક પ્રકારે તપ કરેલ છે. તેમણે કચ્છ, રાજસ્થાન, મધ્યપ્રદેશ વિગેરેના યાત્રા પ્રવાસ પણ કરેલ છે. તેમને ચા૨ દીકરા અને બે દીકરીઓ છે. તેઓ સાધુ-સાધ્વીએાની ભક્તિ માટે સદાય ખડે પગે રહ્યા છે.
શેઠ શ્રી કાન્તિલાલ રાયચંદભાઈ મહેતા
શેઠશ્રી કાન્તિલાલ રાયચંદભાઈ મહેતાને જન્મ અમદાવાદથી ૨૨ કિ.મી. દૂર શંખેશ્વર રોડ પર આવેલા સાણંદ ગામે થયે હતા. હાલ તેની ઉંમર ૭૪ વર્ષ છે. તેમના માતુશ્રીનું નામ છબલબેન અને પિતાશ્રીનું નામ રાયચંદભાઈ છે. બચપણથી જ શ્રી કાન્તિલાલભાઈમાં માતાના ધાર્મિક સંસ્કારોનું સિંચન થયેલું છે. અને તેથી જ તેઓ ધર્માનુરાગી રહ્યા છે. નાની મેટી અનેક તપશ્વર્યાઓ, વ્રત અને દાન કરેલા છે. તેમને અન્ય ત્રણ ભાઈઓ છે. તેઓ પોતાની કારકિર્દી બાપીકા ધંધામાંકાપડ અને ધીર ધાર ક્ષેત્રે ઝંપલાવીને કરી. તેમણે નવ લાખ નવકાર મંત્રના જાપ કરેલા છે. તે ઉપરાંત રાજના આઠ સામાયિક-ઉપધાન વગેરે પણ કરેલ છે. તેઓ શ્રી ગુપ્તદાનના શોખીન છે. જ્ઞાતિ-સમાજમાં બહુમાન ધરાવે છે. એમના વતન સાણંદમાં બે દેરાસર છે. એક ધર્મશાળા છે. વર્ધમાન તપ આયંબીલ ખાતુ ચાલુ છે.
શ્રી કાન્તિલાલ વીરચંદ શાહ
શ્રી કાન્તિલાલભાઈને જન્મ સાબરકાંઠાના નાના ગામમાં થયેલ. પિતાશ્રી વીરચંદભાઈ જાગીરના કારભારી હેઈ લાડકોડ તથા વૈભવશાળી ઉછેરમાં ઉછરી વિદ્યાભ્યાસ માટે સાબરકાંઠા જીલ્લાના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org