Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1283
________________ સર્વ સંગ્રહગ્રંથ-૨ ૩૩૩ આવ્યા અને અહીં તેમના પિતાશ્રીએ પોતાના વ્યાપારની જે શાખા ખોલી હતી, તેને વિકાસ કરી “એસ. બી. ભગવાન એન્ડ સન્સ' નામની નવી પેઢી શરૂ કરી. પ્રામાણિક વ્યવહાર અને ગ્રાહકો પ્રત્યેની ઉદાર નીતિથી થોડા જ વખતમાં આ પેઢીની સારી જમાવટ થઈ. આજે એ પેઢી એલચીના વ્યાપારમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. શ્રી શાંતિભાઈ વ્યાપાર-ધંધાની જમાવટ કરવામાં સફળ થયા પછી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લાગ્યા. તેમાં ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તેમનું લક્ષ વિશેષ રહેતું. તેના પ્રથમ મધુર ફલ તરીકે તેમણે ભગવાન ભુવનમાં ધર-દહેરાસર નિર્માણ કર્યું, જેથી કુટુંબના સર્વ સભ્ય નિત્ય-નિયમિત જિનપૂજા કરી પોતાના જીવનને કૃતાર્થ કરી શકે. શ્રી શાંતિભાઈની ધર્મભાવના નવપલ્લવિત બનવા પામી હતી તેમને પુરિસાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેમની શાસનસેવિકા ભગવતી શ્રીપદ્માવતી દેવી પર અનન્ય શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. તેમના જપ, ધ્યાન અને અનુષ્કાનેથી તેમના સમસ્ત જીવનવ્યવહારમાં આનંદમંગલ પ્રવર્તે છે. તેઓ પ્રસિદ્ધિથી બને તેટલા દૂર રહે છે અને પિતાના કર્તવ્ય ચૂપચાપ ભજવ્યે જાય છે. તેમના સહવાસમાં આવનાર સહુ કોઈ પર તેમના સૌજન્ય અને તેમની સહદયતાની ઊંડી છાપ પડડ્યા વિના રહેતી નથી. અમે પોતે તેમના આ ગુણેથી પ્રભાવિત છીએ. શ્રી શાંતિભાઈ કે. મહેતા પાવનકારી હોય છે. ભક્તકવિ શ્રી શિવજીભાઈ (મગનબાબા ) એક એવી વિરલ વિભૂતિ હતા. તેમનો જન્મ નળિયા ગામે થયેલ. વીસ જ વર્ષની કુમળી વયે એમણે સમાજસેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને માત્ર ૨૪ જ વર્ષની વયે એમણે પાલીતાણામાં જેન બોડિ•ગ-કૂલની સ્થાપના કરી. ત્યાર પછી ચાર વર્ષ બાદ ૧૯૦૭માં એમણે ૩૦ ગ્રામ્ય પાઠશાળાઓ અને કન્યાશાળાઓ શરૂ કરી. એ જમાનામાં સ્ત્રીઓ શિક્ષણ લેવા ભાગ્યે જ આગળ આવતી. કરુણાભરી માનવતાનાં સ્પંદન અનુભવતું એમનું હૃદય દુઃખી જનોનાં આંસુ લૂછવા તત્પર બન્યું. સને ૧૯૦૫માં એમણે નળિયા (કરછમાં ) બાલાશ્રમની સ્થાપના કરી જે હજુ ચાલુ જ છે. સને ૧૯૧૦માં પાલીતાણામાં વિધવાઓ માટે શાળાઓ સ્થાપી. ભયંકર જલપ્રલયમાં પાલીતાણાની આ બંને સંસ્થા નાશ પામી. શ્રી શિવજીભાઈએ સાત્ત્વિક સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે, અને તે ઉપરાંત પુસ્તક લખ્યાં છે. સંગીતને ઊંડો રસ હેવાથી એમણે પંદરસે ઉપરાંત કાવ્યો અને ભક્તિગીતાની રસધારા વહાવી છે. ૧૯૨૧માં એમણે સ્વતંત્રતાના આંદોલનમાં ઝંપલાવ્યું. વિદ્યા પ્રત્યે પરમ આકર્ષણ હોવાથી ૧૯૩૨માં તેઓશ્રી અરવિંદ આશ્રમમાં રહ્યા. અને શ્રી અરવિંદને ચરણે બેસી એમણે સાધના કરી. ગુજરાતને છોડી પંજાબને કર્મભૂમિ બનાવનાર શ્રી શિવજીભાઈને ત્યાં જ સહુ કોઈ મગનબાબાના નામે જ વધુ પિછાને છે. શ્રી સુમતિચંદ્ર શિવજીભાઈ સેવામૂતિ કરે છના પોતા પુત્ર ભક્તકવિ શિવજીલાલ દેવશીના સુપુત્ર શ્રી સુમતિચંદ્રભાઈ, કુવરજી દેવશી લી, ને પ્રોપ્રાયટર અને ડિરેક્ટર. તેમને જન્મ તા. ૩૦-૩-૧૯૦૪માં મંદિરના નગર સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં થયો હતેા. માતા સુલક્ષણાબેન પણ સેવાભાવી, ધર્મનિષ્ઠ અને માયાળુ હતાં. શ્રી શિવ ભાઈ તે ચિર પ્રવાસી હતા. વિશ્વયુદ્ધ પછી મંદીમાં કંપનીની આર્થિક હાલત કથળતી હતી. ભાઈશ્રી સુમતિભાઈએ મુશ્કેલીને સામનો કરી સાહસિક વૃત્તિને કારણે તેમની મિલ સ્ટારની લાઈન સાથે અગ્નિશામક સાધનનું ઉત્પાદન શરૂ કર્યું. બ્રિટિશ પેઢીઓના હાથમાં તેનો વેપાર હતા. પણ શ્રી સુમતિભાઈની બુદ્ધિ પ્રતિભા જવલંત, નવનવાં પ્રસ્થાન કરવા ઝંખના રહેલી અને તેમણે ફાયરેકસનું કામકાજ એવું તે જમાવ્યું કે તે માટે કારખાનું કર્યું અને ઉત્તરોત્તર નવનવાં સાધને માટે મેટી માંગ આવવા લાગી અને લાખોના ઓર્ડર મળવા લાગ્યા. તેઓ ઉદ્યોગપતિ તેવા જ સેવાપ્રિય સૌજન્યશીલ આનંદી અને દાનવીર. શ્રી અરવિંદ ઘોષ અને માતાજીના પ્રાણ પ્યારા. તેમનાં દરેક કાર્યોમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સરલાબહેનની પ્રેરણા મળી છે. પાંડીચેરીમાં દર્શને વારે વાર બંને જતાં અને પૂ. માતાજીને તેમની ઉપર આશીર્વાદ વરસતા હતા. પાંડીચેરીમાં શાંતિભાઈ કે. મહેતા જેસરના વતની છે. તેમની ઉંમર ૪૦ વર્ષની છે. અભ્યાસ એસ. એસ. સી. સુધીને છે. તેઓ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યાં છે. ૧૯૬૫થી ખૂબ જ નાની ઉંમરે જીવનની કારકિર્દી શરૂ કરી. તેઓશ્રી સર્વોદય કે. મંડળ જેસર, ઓલ ઈન્ડિયા જૈન કૅન્ફરન્સ, આણંદજી કલ્યાણજી પેઢી વિગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રાજ્યમાં કટોકટી જાહેર થઈ તે દરમિયાન ૫૦ પૂ. આચાર્યશ્રી ધર્મસુરિશ્વરજીની નિશ્રામ દીક્ષા પ્રસંગ પ્રેરણાદાઈ તેમજ પાવન બની રહ્યો છે. માનવસેવા અને જીવદયા જીવનને મંત્ર છે. તે સૂચવે છે કે જીવને શાંતિથી જીવવું અને બીજા જીવે તે રીતે જીવવું. સાદગી, સ્વાશ્રય અને શ્રમ તેમની વિશિષ્ટતા છે. તેમના કુટુંબમાં માતુશ્રી, પત્ની તેમજ પુત્ર-પુત્રીઓ છે. શ્રી શિવજીભાઈ (મગન બાબા) જેમના જીવનમાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ એ ત્રણેયને ત્રિવેણુસંગમ રચાયો હોય એવી વિભૂતિઓનાં દર્શન Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330