________________
કમએલ વિજ્ઞાનની ઝાંખી.
(વિજ્ઞાનના અંજામણું સ્વરૂપની ઝાંખી )
લેખક :–મુનિ શ્રી હેમચંદ્રસામરજી મહારાજ
વિજ્ઞાન....!!
વિજ્ઞાન-શબ્દને સીધે અર્થ થાય છે વિશિષ્ટ જ્ઞાન. વિજ્ઞાન એટલે “આત્મ વિકાસની ઉર્વ દિશા તરફ સમ્યફ પ્રકાશ પાથરનારો એક રત્નપ્રદીપ...”
જેનાં પ્રકાશને પામી આત્મા, નિજ-પર છાએલા અજ્ઞાનના પડછાયા ભેદી શકે છે અને એ પ્રકાશના માધ્યમે ઉર્ધ્વમુખી બની જીવનશુદ્ધિના કૌવતભર્યા કદમ માંડી શકે છે.
આવું ઉચ્ચ વિજ્ઞાન એ જિનશાસને આપેલી સવપેક્ષા આગવી દેન છે... આ વિજ્ઞાનના માધ્યમે જિનશાસન સદાય સમુન્નત છે..... અને પોતાના વિજય વજને પણ ક્યારેય હતપ્રભ નથી થવા દેતું.....
સમયના સાગર પર વણરૂક ગતિએ પસાર થતાં આ જિનશાસનના જહાજ પર આંધી અને તુફાને તે અનવરત આવતાં જ ગયા છે. પરંતુ એની અણનમતા અને અડગતા ક્યારેય જોખમાઈ નથી, કારણ એની પાસે એવું વિજ્ઞાન-તત્વ છૂપાએલું છે, જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી..
કાળ-રાખનાં થર ઉપર થર જામતા જાય છે. પરંતુ જિનશાસનના સિદ્ધાંતો અને એની દાર્શનિકતા ક્યારેય દબાઈ નથી, એનું વિજ્ઞાન ક્યારેય વડાયું નથી.
આદિ અને અંત વગરના શાશ્વતકાળ સુધી અખંડગૌરવને ધારણ કરવાની આ જિનશાસનની અદમ્ય અદાની પાછળ હેતુ તરીકે હસ્તી ધરાવતું કેઈ તત્વ હોય છે તે છે સર્વજ્ઞતા..
જિનશાસનના વિરલ વિજ્ઞાનનાં મૂળમાં સચવાએલી આ સર્વજ્ઞતા સર્વતે મુખી વિકસિત છે...
આથી જ આ સર્વજ્ઞતાના આધારે રહેલુ વિજ્ઞાન
અને વિજ્ઞાનના જ પાયા પર ઉભેલું જિનશાસન હરગીઝ હતપ્રભ નથી બની શકતું.
સર્વજ્ઞતા સિવાયના પાયા પર મંડાએલુ વિજ્ઞાન વિશ્વસનીય અને વિસંવાદ-વિહોણું રહી શકતું નથી. એમાં સંવાદિતાને કેઈ સૂર સંભળાતું નથી.”
કારણકે એ વિજ્ઞાનને મળલે ટેકે સંપૂર્ણ નથી, અપૂર્ણ છે...
અપૂર્ણના આધાર પર રહેલું તત્વ પણ સંપૂર્ણતા નથી કેળવી શકતું..તે પણ અધુરાશભર્યું જ બની રહે છે...
એવી અધુરાશની છાશમાં મધુરાશનો આસ્વાદ ક્યાંથી સંભવે ?
શ્રદ્ધેય અને વિશ્વસનીય વિજ્ઞાન તેને જ કહી શકાય કે જેના મૂળભૂત પાયામાં સર્વજ્ઞત્વ જડાયેલું હોય, જેમાં જ્ઞાનીની નિશ્રા સર્વથા સંકળાએલી હોય કે જેને એક અંશ માત્ર પણ અજ્ઞાન વિજ્ઞાનને અશ્રધેય અને અનુપાદેય બનાવી શકે છે.
-
જિનશાસનને મળેલા વિજ્ઞાનની શ્રધેયતા પાછળ આ જ મહત્વનું કારણ છે: સર્વજ્ઞતા....!
આ સર્વજ્ઞતા આત્મા પર લાગેલા જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મની સંપૂર્ણ નાબૂદી બાદ જ પ્રગટી શકે છે.
જ્યાં સુધી આત્મા પર જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મની એકાદી આછી-પાતળી સુરેખ પણ વળગેલી હશે, સર્વજ્ઞતા માટે એ અંતરાયભૂત બનશે... આવરણભૂત બનશે. ત્યાં સુધી સર્વજ્ઞતાનું અનાવરણ અસંભવ જ બન્યું રહેશે...
જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોને સંપૂર્ણતયા કે સર્વાશતયા નાશ થયા બાદ જ આત્મભૂમિ પર સર્વજ્ઞતા અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org