________________
જેનરત્નચિંતામણિ
૩૨૬
લઈને પચાસ વર્ષ પહેલા મુંબઈ ગયા. શિક્ષણ લીધું જ લીધું ત્યાં મુંબઈની મુળજી જેઠા મારકેટમાં કાપડના ધંધે લાગી ગયા. ધંધારણે યારી આપી, વેપારી આલમમાં નામના કાઢી, પિતાની તેજસ્વી અને કુશાગ્રબુદ્ધિને બળે મુંબઈમાં ખ્યાતનામ બન્યા. ધંધામાં સ્થિરતા ઊભી થતાં પિતા રાષ્ટ્રીય વિચારોએ જાહેર જીવનમાં પ્રવેશ કરાવ્યો. રાજકીય આંદોલનમાં પણુ એક સિતાશની માફક ચકચા. ૧૯૩૦ની સાલથી અનેક લડતમાં અગ્ર ભાગ ભજવ્યું. કેસના અનન્ય ભક્ત બનીને જુદી જુદી સાવ જનિક સંસ્થાઓને દોરવણી આપતા રહ્યાં. પાયામાંથી ઊભી થતી અનેક શૈક્ષણિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં તેમની ઉદાર સખાબતે ભારે મેટું બહુમાન મેળળ્યું. હોસ્પિટલે, સ્ત્રી સંસ્થાઓ વિગેરેમાં એમને ફાળે મોખરે રહ્યો છે. ભાવનગરમાં પિતાના માતુશ્રી નર્મદાબાઈ ચત્રભૂજ ગાંધીને નામે મહિલા કોલેજનું વિશાળ મકાન બાંધવામાં રૂપિયા એક લાખની સખાવત કરી. ગોહિલવાડની અનેક જૈનસંસ્થાઓમાં તેમની પ્રેરણા પાયામાં પડી છે. રાષ્ટ્રીયશાળાનું મકાન ભાવનગરમાં તેમના પ્રયતથી થયું. સરકારમાં પણ તેમનું ઊંચું સ્થાન રહ્યું છે. કદરરૂપે જે. પી. તરીકે નિયુકત થયા હતા. તેઓ ચેંબુર, ઘાટકોપર, ભાંડુપ વિભાગમાંથી મહારાષ્ટ્ર ધારાસભામાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સંપત્તિને સાચે માર્ગે વાળવાની સદ્દબુદ્ધિ ઈશ્વરે આપી હતી. ગરીબ અને અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેમની હમદર્દી હંમેશાં રહી હતી. ઉદારચરિત, દાનવીર, દાનગંગા વહેવડાવવામાં હંમેશાં કાર્યરત રહ્યા. નાની ઉંમરે ધાર્મિકવૃત્તિના બળે અપરિગ્રહની પ્રતિજ્ઞા કરી હતી તેથી જે કંઈ વધુ કમાયા તેનું જાહેર ક્ષેત્ર દાન કરી દેવું. આ પ્રતિજ્ઞાને પરિણામે ઘણું સંસ્થાઓ ફાલીમૂલી છે.
સાથે તેમને વંત સંબંધ રહેતા. સાહિત્ય કલાની ચર્ચા થતી ત્યારે તેમની ઊંડી કલાસૂઝ તેમનાં વિવેચન-વિવરણમાં દેખાઈ આવતી. ધીખતી પ્રેક્ટીસ હોવા છતાં પણ પિતાની દાક્તરી વિદ્યા વિશેને નવા શોધને વાંચતા રહેતા. તેમની સર્જક વિચારશક્તિ જીવનને અનેક વિષયોને આવરી લેતી. દાક્તર-દર્દીના યાંત્રિક -યાવસાયિક સંબંધ ન હોવા જોઈએ એ તેમની જીવનદષ્ટિ નિરંતર જાગૃત રહેતી.
ડે. કામદારની પ્રતિભાસંપન્નતા બહુમુખી હતી. તેમને ત્યાં બીવન, વેગનર, ઓમકારનાથ અને રવિશંકર જેવા સંગીતકારની રેકોડૅ સાંભળવા મળતી. તેઓ વિલેપાલ સેવા સમાજના દવાખાનાના સર્જક અને શિલ્પી હતા. ગરીબોને લગભગ વિના મૂલ્ય દવા મળે તેવી એ દવાખાનાની યોજના હતી. મફત દવા ન આપવી, પણ નામને ચાર્જ લઈ સહકાર આધારિત સમાજ સેવા કરવી એ તેમની દષ્ટિ હતી. આજે એ દવાખાનું ડે. કામદારની ચિરંજીવ સ્મૃતિરૂપ બન્યું છે.
૧૯૧૪માં ડે. કામદારને હાર્ટ-ઍટેક આવ્યો. હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા પણ બચી ગયા, મૃત્યુદેવ સ્મિત કરી ચાલ્યા ગયા.
૧૯૭૭માં માર્ચમાં તેઓ અવસાન પામ્યા !
ડે. કામદારના બધાજ સંતાનો ડોક્ટર બન્યા છે. તેમણે સંતાને માટે લખેલે આખરી સંદેશે ” ઘણે માર્મિક છે. એમને કેટલેક ભાગ નીચે પ્રમાણે છે: “ મારાં પ્રિય સંતાને,
મારી તબિયત કથળી છે. તમે ઉચ્ચ માનવ સંસ્કૃતિના નમૂના બનજો. તમે પરસ્પરને વધારે ને વધારે ચાહતા રહેજો. તમે સુખી થશે. નાની પામર વસ્તુઓથી વેગમાં-આપણું આધારે રહેતાં સ્વજને પ્રત્યે ઉદારતા દાખવતાં રહેજે. આપણા ઉપર આપણા દર્દીઓનું છે, તે ન ભૂલશો. જીવન પ્રત્યે પ્રેમાદરભાવ અને પવિત્ર પૂજ્યભાવ રાખજે.
'Have reverence for life.' એ બર્ટ સ્વાઇન્ઝરનું જીવનસૂત્ર લક્ષમાં રાખજો.
જીવનભર પ્રગતિ માટેના પુરુષાર્થ કર્યે રાખજે, જીવનની ઉત્તમ વસ્તુઓ પૂરેપૂરી કેઈપણ પ્રકારના બંધન સિવા માંગ......”
( ગુજરાતી ભાષાને સાક્ષર શ્રી અમૃતલાલ યાજ્ઞિકના એક વિરતૃત લેખ પર આધારિત છે.
ડો. વૃજલાલ નરસીદાસ બગડિયા તમે કોણ છે અથવા શું છે તેના કરતા તમે કેટલા વિશાળ ક્ષેત્રોને સાંખીને શું રોજંન કરી શકે છે એ અજિના પ્રગતિશીલ યુગની વિશિષ્ટ માંગ રહી છે. જેની અનેક તાણ
ડો. વાડીલાલ કામદાર
ડે. વાડીલાલ કામદાર માનવધર્મી ડેક્ટર હતા. તેઓ બધા જ દર્દીઓને કોઈપણ જાતના ભેદભાવ વિના સમાન રીતે, સહાનુભૂતિ પૂર્વક “ટ્રીટ' કરતા. વળી, તેઓ દવાઓને ઓછો આગ્રહ રાખતા અને દદીઓને ઓછામાં ઓછો ખર્ચ થાય તે યાનમાં રાખતા. તેઓ કહેતા “મોટામાં મોટે ઑક્ટર તે કુદરત છે. એંશી ટકા દર્દીઓને કુદરત જ સાજ કરે છે. વળી તેઓ કહેતા “મારું વ્યાવસાયિક કાર્ય દર્દીઓની માનસિક મુંઝવણ તેમ જ માંદગી દૂર કરવાનું છે.”
વ્યાવસાયિક ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરનાર દાક્તર, ઈજનેર, વકીલ, તંત્રજ્ઞ વગેરેમાં માનવીય છે! પ્રેરિત જીવનકલાનું સૌંદર્ય જોવા મળે ત્યારે આનંદ-આશ્વય અનુભવાય છે. ડે. કામદારમાં વિદ્યાનિષ્ણાતની કુશળતા અને માનવતામૂલક -વનસૌંદર્ય એ બનેને સુસંવાદ થયેલ હતા. એમની કલાભિરુચિ ઉરચ કોટિની અને 9ચી દષ્ટિસંપનતાભરી હતી. સાહિત્ય, સંગીત વગેરે કલાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org