Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
.
સંપાદકીય..
(નવા તથ્ય, નવો આલોક) માનવમનની દુર્બળતા એ છે કે સહસા સહજમનથી સત્યનો સાક્ષાત્કાર કરવાથી કતરાય છે. શતાબ્દીઓથી રૂઢ બનેલી, બની ગયેલી માન્યતાઓને તે એકાએક છોડી નથી શકતો, પછી તે વિપથ પણ કેમ ન હોય! પૂર્વાભિનિવેશ અને વ્યામોહવશ વિપરીત માર્ગનો પરિત્યાગ કરવો સાધારણ વ્યક્તિ માટે અતિ દુષ્કર હોય છે. લાખોમાંથી કોઈ એકાદ વિરલો જ મહાપુરુષ મળે છે, જે સામાન્ય માણસને સાહસની સાથે સપથ પર વળાંક આપવાનો પ્રયાસ કરતો હોય છે. એ જ સ્થિતિ આપણને ઇતિહાસનાં પૃષ્ઠો પર પદ-પદ (પગે-પગે) પર જોવા મળે છે.
ઇતિહાસનાં એ જ પૃષ્ઠોને ઉજાગર કરવા અને પ્રભુ મહાવીર દ્વારા પ્રતિપાદિત આચાર પરંપરા પર પ્રકાશ પાડવાનો પ્રયાસ આ ઇતિહાસમાળામાં કરવામાં આવ્યો છે. આ કાર્ય આગમમર્મજ્ઞ, મૂર્ધન્ય ઇતિહાસવેત્તા આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા.ના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.
મનીષી સંતો, સાહસી આચાર્યો, સત્યાન્વેષીઓ અને પ્રભુ મહાવીરના શુદ્ધ શ્રમણાચારને પ્રતિપાદિત કરવાવાળા સુધારકોની આત્મકથાઓ (જીવન-ચરિત્ર)નું લેખન-સંપાદન આ ઇતિહાસમાળામાં કરવામાં આવ્યું છે. આ કાર્યમાં કટુતા, કદાગ્રહ, કટાક્ષ તથા કુત્સિત ભાવાભિવ્યંજનાથી કોસો દૂર રહીને સુધાસિક્ત, ભદ્રજનોચિત શાલીન ભાષામાં ભાવાભિવ્યક્તિ કરવામાં આવી છે.
જે-જે સમય જ્યાં-જ્યાં મૂર્તિ તથા મંદિર નિર્માણનાં વિવરણ પ્રાચીન ઐતિહાસિક સામગ્રીમાં ઉપલબ્ધ થયાં છે, એમનો ઉલ્લેખ ખુલ્લા મનથી યથાસ્થાન એકવાર નહિ, પરંતુ અનેકવાર અમે કર્યો છે. આ એ કાળનું સત્ય હતું, જે ઉજાગર કરવા અમે ક્યાંય અનુદારતા રાખી નથી. પણ તે સાથે પ્રસ્તુત ગ્રંથમાં આ મંદિરો તથા મૂર્તિઓ વગેરેનો સ્થાને-સ્થાને ઉલ્લેખ કરતી વખતે મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે - “એક સાધારણ છઘસ્થ (અપૂર્ણ જ્ઞાનવાળું) વડે આનો આ પ્રકારે ખુલ્લી રીતે ઉલ્લેખ કરવામાં આવે તો આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં પ્રભુની વિચરણ ભૂમિ તથા વિહાર નગરીઓમાં જો વાસ્તવમાં મંદિરો તથા જિન-પ્રતિમાઓની જૈિન ધર્મનો મલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) 999636969696969696969. પ ]