________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
ધ્યેયપૂર્વક શેય નહીં આવે. એમ કહે છે. આહા ! ઈ પ્રભુ તું હોં (હાસ્ય) (શ્રોતા: દોરો સાંધી લે..!) હું શું કહે છે? (અન્ય શ્રોતાઃ દોરો સાંધી લે..!) દોરો, કીધું ને આ. (શ્રોતાઃ “એક ” ને જ દોરો કહેવાય છે) દોરો એને જ કહેવાય છે. એને વાત સમજાવા જ્યાં નજર નાખવી છે એકરૂપે વસ્તુ છે? ઈ નજરમાં એકરૂપતા ક્યારે આવે કે “એકરૂપતા' પર નજર જાય તો અને એકરૂપતા નજરમાં ક્યારે આવે ? કે આંહી વિકલ્પ તૂટે ને એકતા પર્યાયમાં કરે તો આહાહા ! સમજાણું કાંઈ? “ આ અનુભવની વાત છે.” અનુભૂતિ કરવાની વાત છે આ- વાતની વાત નથી આહાહા!
ભાઈ તારો અનુભવ કરવો હોય તારી વસ્તુને પ્રાપ્ત કરવી હોય ભગવાન અનાદિનો જે એકરૂપસ્વભાવે છે, એને તારે મેળવવો હોય તો એના અનંતગુણમાં ભેદ પાડીને પણ તું નહીં મેળવી શકે તો વળી દયા-દાનના રાગ વડે મેળવી શકાય, એ તો વસ્તુમાં હોય જ નહીં. (જ્યાં આ) એકરૂપમાં ભેદ પાડવા જાય, તોય એક નહીં મળે, તો એનામાં નથી, એનાથી (એ) મળે ભાઈ એ નહીં મળે. આહાહા! હવે આંહી તો દયા-દાન-વ્રતભક્તિનાં પરિણામથી આત્મા મળશે (શ્રોતા: સાધન છે ને...!) ધૂળમાંય સાધન નથી. ઈ તો નિમિત્ત તરીકે જ્ઞાન કરાવ્યું છે. સાધન-બાધન કેવાં વ્યવહાર સાધનને નિશ્ચય સાધ્ય ઈ તો નિમિત્તનું જ્ઞાન એ વખતે એવા જ વિકલ્પો હોય છે એમ બતાવ્યું છે. સમજાણું કાંઈ ? ઓલી સવારની ચર્ચા પણ તેમાં છે- “તે કાળે ને સ્વકાળે ” બે શબ્દ પડ્યા છે તે કાળે ” છે ને આંહી તો નિશ્ચય-વ્યવહારને મેળવ્યું છે ઈ તો “નિશ્ચય ” થાય, ત્યારે એવો વિકલ્પ છે પૂર્વમાં એને (વ્યવહાર) કહેવાય “નિશ્ચય” ની હારે વિકલ્પ છે એને “વ્યવહાર' કહેવાય. બાકી વાતમાં બીજો માલ કાંઈ નથી.
લાખ બાતકી બાત, યહેં નિશ્ચય ઉર લાઓ. તોરિ સકલ દન્દ-ફન્દ, નિજ આતમ ધ્યાઓ” (છહુઢાળા- ચોથી ઢાળ) કો' સમજાણું કાંઈ ? આહાહા !
કહે છે ઉસી પ્રકાર એક જીવ વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવ બિરાજમાન હૈ. ઈસલિયે સ્વદ્રવ્યરૂપસે વિચારને પર સ્વદ્રવ્યમાત્ર હૈ. દેખો સ્વદ્રવ્ય માત્ર છે. સ્વદ્રવ્યમાત્રમાં વળી કોઈ ક્ષેત્ર કાળ ભાવ જુદા રહી જાય છે ( એમ નથી. ) કેરીને સ્પર્શથી જોતાં સ્પર્શમાત્ર છે એમાં રસગુણ કોઈ જુદો રહી જાય છે. ટુકડો આઘો ક્યાંય (એમ નથી) એમાં સમાઈ ગયાં છે, એમાં જુદાં નથી. સમજાણું કાંઈ? “સ્વક્ષેત્રરૂપસે વિચારને પર સ્વક્ષેત્રમાત્ર હૈ.” આમ અંતર સ્વક્ષેત્ર જોતાં ભગવાન, સ્વક્ષેત્રમાત્ર જ છે. સ્વક્ષેત્રમાત્ર જ છે એટલે એમાં દ્રવ્ય જુદું રહી ગયું, કાળ જુદો રહી ગયો ને શક્તિ જુદી રહી ગઈ એવું કાંઈ છે નહીં. એ સ્વક્ષેત્ર માત્ર જ છે. સ્વક્ષેત્ર માત્ર જ છે આહાહા ! એકકોર ચાર બતાવે છે. આવી સ્થિતિ વીતરાગ સિવાય બીજે ક્યાંય હોય નહીં. ભાઈ સર્વજ્ઞ સિવાય, વસ્તુના આવા ચાર ભાગ ક્યાંય હોય નહીં. અને છતાંય એ ચાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com