Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 259
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ ધ્યેયપૂર્વક શેય * પૂ. ગુરુદેવશ્રી પ્રવચન નવનીત ભાવ-૨, પાના નં. -૧૭૯ ઉપર તેઓશ્રીના તા. ૧૮-૨-૭૮ ના પ્રવચનમાં કહે છે કે “સમયસાર' કળશ-૨૪૦માં છે ને....! “એકો મોક્ષપથો”- મોક્ષપંથ એકજ છે. અંતર આનંદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદમાં એકાગ્ર થવું, એ એકજ મોક્ષપંથ છે, એનાથી અલ્પકાળમાં (મુક્તિને પ્રાપ્ત કરે છે ). એની જયસેનાચાર્યની ટીકામાં લખ્યું છે કેઃ કારણ કે, આ પંચમકાળ છે એટલે એને ત્રીજા ભવે મુક્તિ થાય જ. * ગોમ્મદસાર શાસ્ત્રના સારભૂત ભવ્યામૃતશતક અથવા શ્રી નેમીશ્વરવચનામૃતશતક મૂળ કન્નડભાષામાં રચાયેલ. તેમાં રચાયેલ ૧૦૮ પદ વડે ભવ્યજીવોને અધ્યાત્મરસનું અમૃત પીવડાવેલ છે. અષ્ટોતર-શત (૧૦૮) પદવાળી આ રચનામાં, પ્રતિપાદ્ય વસ્તુ ઉત્કૃષ્ટ સારમાં સાર આત્મતત્ત્વ છે; તેને જે જાણશે-માનશે તે ત્રીજા ભવમાં અથવા વધુમાં વધુ આઠ ભવમાં મોક્ષને પામશે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેનો હિંદીમાં ભાષાંતર કરેલ મૂળ પાઠ નીચે પ્રમાણે છે. अष्टोतरपदवाले इसमें सारात् सार आतमरूप है जाने-माने मुक्त सो होगा तीन जन्ममें या आठोंमें। [१०९] * આ સમયસારજી શાસ્ત્રના કળશ-૨૪૦ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના ૧૯મી વારના તા. ૯-૯-૮૦ના પ્રવચનમાં કહ્યું છે કે વિરત્ એટલે શીઘ કેવળજ્ઞાનને પામશે તેથી કાંઈ પર્યાયની ક્રમબદ્ધતા તૂટી નથી જતી. તેઓશ્રી ફરમાવે છે કે, નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી અલ્પ કાળમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કારણસમયસારના સેવનથી અલ્પકાળમાં જ અવશ્ય પૂર્ણ અનુભવ-મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. અલ્પ કાળમાં પ્રાપ્ત થાય તો ક્રમબદ્ધ ક્યાં ગયું.? વિરાંત કહ્યું ને તો એનો અર્થ એ કે જેણે દ્રવ્યદૃષ્ટિ કરી, સમય સમય પરની ક્રમબદ્ધ પર્યાયમાં એવા પુરુષને ક્રમબદ્ધમાં કેવળજ્ઞાન થશે. ત્રિકાળીતત્ત્વ શું છે તે સંબંધી જે નિત્ય ઉદયરૂપ સમયના સારનું નિરંતર ધ્યાન કરે છે તેને અલ્પકાળમાં જ મોક્ષપદની-નિજ પરમાત્મપદની ક્રમબદ્ધ પર્યાયમાં ક્રમબદ્ધમાં પ્રાપ્તિ થાય છે. નિજ સ્વભાવમાં જે રમશે તે અલ્પકાળમાં જ મોક્ષ પ્રાપ્ત કરશે એવો નિયમ છે-નિશ્ચય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 257 258 259 260