Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 200
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશટીકા કળશ-ર૭૧ ૧૮૭ ભાગમાં એકરૂપે છે, શી એની કથન શૈલી? (અલૌકિક- અદ્વિતીય છે..!) એવી વ્યાખ્યા, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એણે જોયો આત્મા, એણે કહ્યો આત્મા, એ સિવાય બીજે આત્મા આવો (કહી શકે નહીં) વસ્તુની સ્થિતિ જ આવી છે. ઈ તો એકવાર પત્રમાં લખ્યું'તું શ્રીમદે, ઓલા સૂર્યરામ ત્રિપાઠી હતા ને તે વખતમાં હતા, વેદાંતમાં બહુ હોશિયાર સૂર્યરામ ત્રિપાઠી એના ઉપર પત્ર ચાલતા એમાં એક વાર લખ્યું ” તું એક વ્યાખ્યા આ રીતે પણ કરી શકાય વસ્તુને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ રીતે આપ વિચારશો એમ કરીને એ આ ચાર બોલ મૂકયા છે એક પત્રમાં (આંક-૭૧ “શ્રીમદ્ રાજચંદ્ર') “આ વેળા લઘુત્વભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છેઃ દ્રવ્ય (તેના વસ્તુ- સ્વભાવ) થી, ક્ષેત્ર (કંઈ પણ તેનું વ્યાપ્યું- ઉપચારે કે અનુપચારે) થી, કાળથી અને ભાવ (તેના ગુણાદિક ભાવ) થી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. કેમ કે આ રીતે વિચારે તો, એને એક વસ્તુ આટલા ક્ષેત્રમાં છે, આટલા કાળમાં, આ ગુણમાં આ દ્રવ્ય છે. એમ કરતાં બધુ કુ થઈ જશે તારું. આહા! એક દ્રવ્ય આમ વ્યાપક છે આખા લોકમાં ને ત્રણકાળ ભેગા થઈને આમ થાય ને પણ એ બધું (તું વ્યાપકેય આંહી ને આંહી), ક્ષેત્રેય આંહીને આંહી, કાળેય આંહી, ભાવેય આંહીને આંહી– એ બધું આંહીને આંહી (આત્મામાં) છે. એક પત્ર-ઓલા-સૂર્યરામ ત્રિપાઠી ઉપર એ વેદાંતમાં બહુ હુશિયાર હતા. પુનર્જન્મની પણ એમણે (શ્રીમદે) વાત કરી એમાં “પુનર્જન્મ છે” એ મારા અનુભવથી હું કહું છું. અને તમે વૃદ્ધ છો, પણ એક દ્રવ્યની વ્યાખ્યા આ રીતે પણ થઈ શકે, નહિતર વસ્તુ-દ્રવ્ય, તેની પહોળાઈ કેટલી, એનો સ્વકાળ કાળ કેટલો ને એની શક્તિ કેવી, એના વર્ણન વિના, વસ્તુની સ્થિતિ પરથી ભિન્ન સમજી શકાશે નહીં. આંહી તો ઓલા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પણ એકને જોતાં બધું ભેગું આવી જાય છે આહાહા ! પોતાની છે આ વાત સમજાણું કાંઈ ? વિકલ્પ રહેશે આ દ્રવ્ય ને આ ક્ષેત્ર તેમ બીજું બધું જ નહીં, વિકલ્પ રહેશે તારામાં રાગ ઉભો રહેશે. ઓલું. “એક” ઊભું નહીં થાય. આહાહા ! વિકલ્પ ઊભો થાશે, “એક ' ઊભો નહીં થાય દેષ્ટિમાં આહાહા ! “સ્વકાલરૂપસે વિચારને પર સ્વકાલમાત્ર હૈ.' ભગવાન તો પોતાના કાળે એવો જ (હૈયાતિરૂપ) એવો ને એવો છે. પોતે જ સ્વકાળ છે વસ્તુ વસ્તુ વસ્તુ અને “સ્વભાવરૂપસે વિચારને પર સ્વભાવમાત્ર હૈ. કો” સમજાણું? “ઈસ કારણ ઐસા કહા કિ જ વસ્તુ હૈ વહ અખંડિત હૈ એ કારણે એમ કહ્યું કે ભગવાન- પદાર્થ આત્મા જે વસ્તુ છે અહીંયાં અખંડિત છે એકએક (આત્મા) પોતે અખંડિત હોં અહીંયાં. “અખંડિત શબ્દકા એસા અર્થ હૈ.” લ્યો. ખંડયામિ હતું ને “ન દ્રવ્યણ ખંડ્યામિ' - ન ખંડયામિ એટલે અખંડ અખંડનો અર્થ આવો છે એમ કહે છે લ્યો. છેલ્લો શબ્દ છે (અખંડ) કહ્યો સમજાણું કાંઇ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260