________________
૧૮ ]
દેવદર્શન સિદ્ધિ અધિકૃત અહિંસાદિ ધર્મસ્થાનની સિદ્ધિપ્રાપ્તિ. જેમાં અધિક ગુણ પ્રત્યે વિનય, હનગુણી અથવા નિર્ગુણી પ્રત્યે દયા અને મધ્યમગુણ પ્રત્યે ઉપકારની ભાવના પ્રધાનપણે હોય છે.
વિનિયોગ–સ્વપ્રાપ્ત ધર્મસ્થાનને યથાયોગ્ય ઉપાયવડે અન્યને પમાડવું. એથી અનેક જન્મ જન્માન્તર સુધી પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયા કરે છે.
પ્રણિધાનાદિથી પરિશુદ્ધ સર્વ ધર્મવ્યાપાર અનુબન્ધવાળો હવાથી ચેગ કહેવાય છે. તેમાં પણ સ્થાનાદિની શુદ્ધિપૂર્વક થત ધર્મવ્યાપાર વિશેષ કરીને વેગ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. સ્થાનાદિ ગની સાધના વિપુલ કલ્યાણને શીધ્ર આપનારી થાય છે. તે સ્થાનાદિ ભેગના પ્રકારો નીચે મુજબ છે.
સ્થાનગ–સ્થાન–આસનવિશેષ, કાયોત્સર્ગાસન, પર્યકાસન અને પદ્માસન ઈત્યાદિ તથા યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા ઈત્યાદિનું યથાયોગ્ય પાલન.
૧ ચૈત્યવન્દનામાં સ્તવપાક (નત્થણે ઈત્યાદિ) ગમુદ્રાથી, વન્દન (અરિહંત ચેઈયાણ આદિ) જિનમુદ્રાથી અને પ્રણિધાન (જયવિયરાય ઇત્યાદિ) મુક્તાશુક્તિમુદ્રાથી કરવાનું હોય છે. યોગ એટલે સમાધિ અથવા બે હાથનો સંયોગ. તેની મુખ્યતાવાલી મુદ્રા તે વેગ મુદ્રા. જિન એટલે વિદ્યોને) જીતનારી મુદ્રા. મુક્તાશક્તિ એટલે મોતીની છીપ સમાન મુદ્રા. (૪) ગમુદ્રામાં પરસ્પર અંતરિત કરવાથી કમળના ડેડાના આકારવાળા થયેલા બે હાથયુક્ત બને કેણીને પેટ ઉપર સ્થાપન કરવાનું હોય છે. જિનમુદ્રામાં બે પગને આગળનો ભાગ ચાર આગળ અંતરવાળો અને પાછલે ભાગ તેથી કાંઈક ઓછા અંતરવાળ રાખી બે હાથ જોડી સ્થિર ઉભા રહેવાનું હોય છે. મુક્તાશુક્તિ મુદ્રામાં બન્ને હાથ પિલા જડી લલાટસ્થાને લગાડવાનાં હોય છે.