Book Title: Devdarshanadi Dharm Karni
Author(s): Bhadrankarvijay
Publisher: Chimanlal Mohanlal Zaveri
View full book text
________________
ટ
શ્રી જિનભવનમાં તજવા યોગ્ય આશાતનાઓ
[૨૭૧ ૨–શ્રી જિનમંદિરમાં પ્રવેશ કર્યા બાદ બીજાઓને અંતરાય - થાય, તે રીતિએ દર્શન-પૂજન-સ્તવન વિગેરે કરવાં.
[૨૦૦ મા પાનાથી આગળની નોંધ.]
૨-ત્રણ પ્રદક્ષિણુ ભગવંતની અથવા ભગવંતના ગભારાની ચારે આજુ ત્રણ પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું. ત્રણ વાર પરિભ્રમણ કરવું, એ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી રત્નત્રયીની પ્રાપ્તિનું સૂચક છે.
૩-ત્રણ પ્રણામઃ શ્રી જિનેશ્વરદેવને જોતાં જ અનુક્રમે (૧) બે હાથ જોડવા, (૨) અડધું અંગ નમાવવું અને (૩) પંચાંગ પ્રણિપાત કરો.
૪-ત્રણ પૂજા : (૧) પુષ્પાદિ વડે અંગપૂજા, (૨) નૈવેદ્યાદિ વડે અમપૂજા અને (૩) તેત્રાદિ વડે ભાવપૂજા.
પ-ત્રણ અવસ્થાઓનું ભાવવું: (૧)પિંડસ્થ પ્રભુની જન્મ-અવસ્થા, રાજ્ય-અવસ્થા અને શ્રમણ--અવસ્થાને વિચારવી. (૨) પદસ્થ–પ્રભુની
કેવળજ્ઞાન પામ્યા બાદની તીર્થંકર-અવસ્થાને ભાવવી અને (૩) રૂપાતીતપ્રિભુની નિર્વાણ પામ્યા બાદની અરૂપી સિદ્ધ-અવસ્થાને ભાવવી.
–ત્રણ દિશાએ જવાનું વર્જવું પ્રભુની સન્મુખ દિશાને છોડી "ઉંચે, નીચે અને તીખું અથવા જમણી, ડાબી અને પાછલી દિશાએ જેવાને ત્યાગ કરવો.
૭-ત્રણ વાર પદભૂમિનું પ્રમાર્જન કરવું: પગ મૂકવાની અને બેસવાની ભૂમિને વસ્ત્રના છેડા વડે ત્રણ વાર પૂજવી.
૮-ત્રણ આલંબનઃ (૧) વર્ણાલંબન-ચૈત્યવંદન સૂત્રના અક્ષરોનું શુદ્ધ ઉચ્ચારણ અને બોલતી વખતે તેમાં જ ઉપગ, (૨) અર્થાલંબનએલતી વખતે સૂત્રના અર્થમાં જ ઉપયોગ અને (૩) પ્રતિમાદિઆલંબનજેની આગળ ચિત્યવન્દનાદિ કરવામાં આવે છે, તે પ્રતિયાદિને વિષે જ દષ્ટિ અને ચિત્તની એકાગ્રતા.
[ વધુ નોંધ ૨૦૨ મા પાનામાં.'

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238