Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
ઝેવિશ પદવી
૨૭૧ સન્ની, અસંજ્ઞી, તીર્થંકર, ચક્રવર્તી વગેરેમાં ત્રેવીશ પદવી માંહેની જે જે પદવી લાભ તેના ૫૫ બોલ.
૧ સંજ્ઞીમાં ૧૫ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્નને કેવળી એ આઠ નહિ.
૨ અસંજ્ઞીમાં ૮ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન ને સમકિત એ આઠ.
૩ તીર્થકરમાં ૬ પદવી લાભે, તે ૧ તીર્થંકર, ૨ ચક્રવર્તિ, ૩ કેવળી, ૩ સાધુ, ૫ સમકિત, ૬ માંડલિક એ છ લાભે.
૪ ચક્રવર્તિમાં ૬ પદવી લાભે, તે તીર્થંકરની કહી તે પ્રમાણે.
૫ વાસુદેવમાં ૩ પદવી લાભે, તે ૧ વાસુદેવ, ૨ માંડલિક . ૩ સમકિત, એ ત્રણ.
૬ બળદેવમાં ૫ પદવી લાભે, તે ૧ બળદેવ, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત, ૫ માંડલિક એ પાંચ.
૭ માંડલિકમાં ૯ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવી.
૮ મનુષ્યમાં ૧૩ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવી ને સાત પંચેંદ્રિય રત્નમાંથી ગજ, અશ્વ, સ્ત્રી એ ત્રણ વિના શેષ ૪,
એ ૧૩.
૯ મનુષ્પાણીમાં ૫ પદવી લાભે, તે ૧ સ્ત્રીરત્ન, ૨ શ્રાવકશ્રાવકા, ૩ સમકિત, ૪ સાધ્વી, ૫ કેવળી, એ પાંચ.
૧૦ તિર્યંચમાં ૧૧ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન, ૮ ગજ, ૯ અશ્વ, ૧૦ શ્રાવક, ૧૧ સમકિત, એ અગીયાર.