Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૬. કાળ દ્વાર - ધર્મ, અધર્મ, આકાશ અને જીવ દ્રવ્યાપેક્ષા અનાદિ અનંત છે. ઉત્પાદવ્યય (ક્રિયાપેક્ષા) અપેક્ષા સાદિસાંત છે. પુદ્ગલ દ્રવ્યાપેક્ષા અનાદિ અનંત, પ્રદેશાપેક્ષા સાદિસાંત. કાળદ્રવ્ય દ્રવ્યાપેક્ષા અનાદિ અનંત, સમયાપેક્ષા સાદિસાંત છે.
૪૭૮
૭. ભાવ દ્વાર – પુદ્ગલ રૂપી છે. શેષ ૫ દ્રવ્યો અરૂપી છે. ૮. સામાન્ય વિશેષ દ્વાર સામાન્યથી વિશેષ બળવાન છે. જેમ સામાન્યતઃ દ્રવ્ય ૧ છે, વિશેષતઃ છ છે. ધર્માસ્તિકાયનો વિશેષ ગુણ ચલન સહાય છે. અધર્મા નો સ્થિર સહાય. આકાશાસ્તિનો અવગાહનાદાન, કાળનો વર્તના, જીવાસ્તિનો ચૈતન્ય, પુદ્ગલાસ્તિનો પૂરણ, ગલન, વિધ્વંસન ગુણ અને સામાન્ય ગુણો છયે દ્રવ્યોના અનંત અનંત છે.
-
૯. નિશ્ચય વ્યવહાર દ્વાર નિશ્ચયથી બધા દ્રવ્ય પોતપોતાના ગુણોમાં પ્રવર્તે છે. વ્યવહારમાં અન્ય દ્રવ્યોને પોતાના ગુણથી સહાયતા આપે છે. જેમ લોકાકાશમાં બધાં દ્રવ્યો રહે છે તો તેને આકાશ અવગાહનમાં સહાયક થાય છે; પણ અલોકમાં અન્ય દ્રવ્યો નથી તો અવગાહનમાં સહાયતા નથી દેતા. છતાં અવગાહન ગુણમાં ષદ્ગુણ હાનિ વૃદ્ધિ સદા થયા કરે છે એવી જ રીતે બધા દ્રવ્યો માટે જાણવું.
૧૦. નય દ્વાર - અંશ જ્ઞાનને નય કહે છે. નય ૭ છે. તેનાં
નામ
-
૧ ગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, ૪ ૠસૂત્ર, ૫ શબ્દ, ૬ સમભિરૂઢ અને ૭ એવંભૂત નય. એ સાતે નયવાળાની માન્યતા કેવી છે ? એ જાણવા માટે જીવ દ્રવ્ય ઉપર ૭ નય ઉતારે છે.
૧ નૈગમ નયવાળો-જીવ, નામના બધાને ગ્રહણ કરે. ૨ સંગ્રહ જીવ કહેવાથી જીવના અસંખ્ય પ્રદેશો
૩ વ્યવહાર,,
99
99
99
ગ્રહણ કરે.
ત્રસ સ્થાવર જીવોને ગ્રહણ કરે.