Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
સમુદ્દાત - પદ
૪૯૫
કેવળી સમુ મનુષ્ય સિવાયના ૨૩ દંડકના જીવોએ પોતાના કે અન્ય ૨૩ દંડકપણે ભૂતમાં નથી કરી અને ભવિષ્યમાં કરશે નહિ. મનુષ્યપણે ભૂતમાં નથી કરી, ભવિષ્યમાં કરે તો ૧ વા૨ ક૨શે. એકેક મનુષ્ય ૨૩ દંડકપણે કેવળી સમુ કરી નથી અને ક૨શે પણ નહિ. એકેક મનુષ્ય મનુષ્યપણે કેવળી સમુ૦ કરી હોય તો ૧ વાર અને કરશે તો પણ ૧ વાર.
(૬) ઘણા જીવો પરસ્પર - ઘણા નારકીએ ઘણા નારકીપણે વેદનીય સમુ૦ ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં અનંતી કરશે એમ ચોવીશે દંડક માટે પણ સમજવું. શેષ ૨૩ દંડકમાં પણ નારકીવત્ વેદનીય માફક જ કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુનું સમજવું. પણ વૈક્રિય સમુ૦ ૧૭ દંડકમાં અને તૈજસ સમુ૦૧૫ દંડકમાં કહેવું.
ઘણા નારકીએ ૨૩ દંડક (મનુષ્ય સિવાયના) પણે આહા૦ સમુ ન કરી; ન કરશે. મનુષ્યપણે ભૂતમાં અસં∞ કરી, ભવિષ્યમાં અસં૦ કરશે, એવં ૨૩ દંડક (વનસ્પતિ સિવાયના) પણે સમજવું. વનસ્પતિમાં અનંતી કહેવી.
એકેક મનુષ્ય ૨૩ દંડકપણે આહા સમુળ કરી નથી અને કરશે પણ નહિ. મનુષ્યપણે ભૂતમાં સ્યાત્ સંખ્યાતી, સાત્ અસંખ્યાતી કરી અને ભવિષ્યમાં પણ કરે તો સાત્ સંખ્યા સ્યાત્ અસંખ્યાતી કરશે.
ઘણા નકાદિ ૨૩ દંડકના જીવોએ ઘણા નકાદિ ૨૩ દંડકપણે કેવળી સમુ કરી નથી અને કરશે પણ નહિ. મનુષ્યપણે કરી નથી. જો કરે તો સંખ્યા, અસંખ્યા કરશે.
ઘણા મનુષ્ય ૨૩ દંડકપણે કેવળી સમુળ કરી નથી. કરશે પણ નહિ. મનુષ્યપણે કરી હોય તો સંખ્યાતી કરી. ભવિષ્યમાં કરે તો સ્યાત્ સંખ્યાતી, સ્યાત્ અસંખ્યાતી કરશે.