Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal

View full book text
Previous | Next

Page 608
________________ આયુષ્યના ૧૮૦૦ ભાંગા ૫૮૭ (૪) પ્રહ્માદિ પૂછવા, (૫) વસ્તુ - તત્ત્વ - પ્રરૂપણા કરવી, (૬) પ્રત્યાખ્યાનાદિ કરવા, (૭) આગલાની ઇચ્છાનુસાર બોલવું જહાસુહ, (૮) ઉપયોગ શૂન્ય બોલવું, (૯) ઇરાદાપૂર્વક વ્યવહાર કરવો, (૧૦) શંકાયુક્ત બોલવું. (૧૧) અસ્પષ્ટ બોલવું, (૧૨) સ્પષ્ટતાથી બોલવું. જે ભાષામાં અસત્ય ન હોય અને સંપૂર્ણ યા નિશ્ચય સત્ય ન હોય તે વ્યવહાર ભાષા જાણવી. (૨૧) અલ્પબહુ ત્વ - સૌથી થોડા સત્ય ભાષક, તેથી મિશ્ર ભાષક અસંખ્યાતગણા, તેથી અસત્ય ભાષક અસંખ્યાતગણા, તેથી વ્યવહાર ભાષક અસંખ્યાતગણા અને તેથી અભાષક (સિદ્ધ તથા એકેદ્રિય) અનંતગણા. ઇતિ ભાષાપદ સંપૂર્ણ (૮૪) આયુષ્યના ૧૮૦૦ ભાંગા. શ્રી પન્નવણા સૂત્રના છઠ્ઠા પદનો અધિકાર. પાંચ સ્થાવરમાં જીવો નિરંતર ઉપજે અને એમાંથી નિરંતર નીકળે. ૧૯ દંડકમાં જીવો સાંતર અને નિરંતર ઉપજે અને સાંતર તથા નિરંતર નીકળે. સિદ્ધ ભગવાન સાંતર અને નિરંતર ઉપજે પણ સિદ્ધમાંથી નીકળે નહિ. ૪ સ્થાવર સમય સમય અસંખ્યાતા જીવો ઉપજે અને અસંખ્યાતા ચવે. વનસ્પતિમાં સમય સમય અનંતા જીવો ઉપજે અને અનંતા ચવે. ૧૯ દંડકમાં સમય સમય ૧-૨-૩ યાવતુ સંખ્યાતા, અસંખ્યાતા જીવો ઉપજે અને ચવે. સિદ્ધ ભગવાન ૧-૨-૩ જાવ ૧૦૮ ઉપજે પણ ચવે નહિ. આયુષ્ય બંધ કયારે થાય? - નારકી દેવતા અને ગલિયા, આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. શેષ જીવો બે પ્રકારે બાંધે - સોપક્રમી અને નિરૂપક્રમી. નિરૂપક્રમી તો

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664