Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
બાર પ્રકારનાં તપ
૧૧ એક ઉપવાસ, બે ઉપવાસ, યાવતુ વર્ષીતપ (૧ વર્ષ સુધીના ઉપવાસ) વર્ષીતપ પ્રથમ તીર્થંકરના શાસનમાં થઈ શકે, ૨૨ તીર્થંકરના શાસનમાં ૮ માસ, અને ચરમ તીર્થંકરના વખતમાં છ માસ ઉપવાસ કરવાનું સામર્થ્ય હોય.
અવકાલિક (જાવજીવના) અનશન વ્રતના ૨ ભેદ – ૧ એક ભક્ત પ્રત્યાખ્યાન અને ૨ પાદોપગમન પ્રત્યાખ્યાન. એક ભક્ત. પ્ર૦ના ૨ ભેદ (૧) વ્યાઘાત - ઉપદ્રવ આવે ત્યારે અમુક હદ સુધી ૪ આહારનાં પચ્ચખાણ કરે. જેમ અર્જુન માળીના ભયથી સુદર્શન શેઠે કરેલા. (૨) નિર્વાઘાત - ઉપદ્રવરહિત ના બે ભેદ (૧) જાવજીવ સુધી ૪ આહારનો ત્યાગ કરે, (૨) હમેશાં શેર, અધશેર કે પાશેર પાણી થોડા કાળ માટે મોકળું રાખી પછી જાવજીવનો તપ કરે.
પાદોપગમન (વૃક્ષની કાપેલી ડાળ જેમ હાલ્યા ચાલ્યા વિના પડી રહે તેમ સંથારો કરીને સ્થિર થઈ જવું) અનશનના ૨ ભેદ - ૧ વ્યાઘાત (અગ્નિ - સિંહાદિનો ઉપદ્રવ આવ્યેથી) અનશન કરે. જેમ સુકોશલ તથા અતિસુકમાલ મુનિએ કર્યો. ૨ નિર્વાઘાત નિરૂપદ્રવે) જાવજીવનો પાદોપગમન કરે. તેને પ્રતિક્રમણાદિ કરવાની જરૂર નથી. એક પ્રત્યાખ્યાન અનશનવાળા પ્રતિક્રમણાદિ જરૂર કરે.
૨. ઉણોદરીતપના ૨ ભેદ - દ્રવ્ય ઉણોદરી અને ભાવ ઉણોદરી. દ્રવ્ય ઉણોદરના ૨ ભેદ (૧) ઉપકરણ ઉણોદરી (વસ્ત્ર, પાત્ર અને ઈષ્ટ વસ્તુ જરૂરથી ઓછા રાખે - ભોગવે). (૨) ભાવ ઉણોદરીના અનેક પ્રકાર છે. યથા પોણી ઉણોદરી અલ્પાહારી ૮ કવલ (કોળીયા) આહાર કરે, અલ્પ અર્ધ ઉણોદરીવાળા ૨૦ કવલ લે, અર્ધ ઉણોદરી કરે તે ૧૬ કવલ લે, પોણી ઉણોદરી કરે તે ૨૪ કવલ લે, એક કવલ ઉણોદરી કરે તે