Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
ઉપયોગ - અધિકાર
૪૯૯
(૬૩) ઉ૫યોગ - અધિકાર માના ઉદ્દેશા ૧-૨નો
શ્રી ભગવતી સૂત્રના શતક ૧૩ અધિકાર.
ઉપયોગ ૧૨ છે. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન. એ ૧૨ ઉપયોગમાંથી જીવ કઈ ગતિમાં કેટલા સાથે લઈ જાય છે, લાવે છે, એ અહિં બતાવાશે.
(૧) ૧-૨-૩ નરકમાં જતી વખતે ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન - અચક્ષુ ને અવધિ-) લઈને આવે અને ૭ ઉપયોગ (ચક્ષુ દર્શન વિભંગ જ્ઞાન વર્જીને) લઈને નીકળે. ૪-૫-૬ નરકમાં ૮ ઉપયોગ (ઉપરવç) લઈને આવે અને ૫ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. ૭મી નરમાં ૫ ઉપયોગ (૩ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે.
(૨) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૫ ઉપયોગ ૨. જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુ દર્શન) લઈને નીકળે ૧૨ દેવલોક,-૯ ત્રૈવેયકમાં ૮ ઉપયોગ લઈને આવે અને ૭ ઉપયોગ (વિભંગજ્ઞાન વર્જીને) લઈને નીકળે. અનુત્તર વિમાનમાં ૫ ઉપયોગ (૩ જ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને એજ ૫ ઉપયોગ લઈને નીકળે.
(૩) ૫ સ્થાવરમાં ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉ૫૦ લઈને નીકળે. ૩ વિગ્લેંદ્રિયમાં ૫ ઉ૫૦ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉપ૦ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને નીકળે. તિર્યંચ પંચેંદ્રિયમાં ૫ ઉપ૦ લઈને આવે અને ૮ ઉપ૦ લઈને નીકળે. મનુષ્યમાં ૭