Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
પદ્રવ્ય પર ૩૧ દ્વાર
૪૮૧ અપ્રદેશી છે. ધર્મ - અધર્મ અસંખ્ય પ્રદેશ છે. આકાશ (લોકાલોક અપેક્ષા) અનંત પ્રદેશ છે. એકેક જીવ અસંખ્ય પ્રદેશી છે. અનંત જીવોના અનંત પ્રદેશ છે. પુદ્ગલ પરમાણું ૧ પ્રદેશી છે; પરંતુ પુદ્ગલ દ્રવ્ય અનંત પ્રદેશ છે.
દ્વાર - ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે, શેષ ૩ અનંત છે.
૨૧ ક્ષેત્રક્ષેત્રી દ્વાર - આકાશ ક્ષેત્ર છે. બાકીના ક્ષેત્રી છે. એટલે કે પ્રત્યેક લોકાકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્ય પોતપોતાની ક્રિયા કરવા છતાં એક બીજામાં મળી જતા નથી.
૨૨ ક્રિયા દ્વાર – નિશ્ચયથી બધા દ્રવ્યો પોતપોતાની ક્રિયા કરે છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ ક્રિયા કરે છે. શેષ અક્રિય છે.
૨૩ નિત્ય દ્વાર - દ્રવ્યાસ્તિક નયથી બધા દ્રવ્ય નિત્ય છે. પર્યાય અપેક્ષાથી બધા અનિત્ય છે. વ્યવહાર નથી જીવ, પુદ્ગલ અનિત્ય છે. શેષ દ્રવ્ય નિત્ય છે.
૨૪ કારણ દ્વાર - પાંચેય દ્રવ્ય જીવને કારણ છે, પણ જીવ કોઈને કારણ નથી. જેમ જીવ કર્તા અને ધર્માત્ર કારણ મળવાથી જીવને ચલન કાર્યની પ્રાપ્તિ થઈ. એમજ બીજા દ્રવ્યો સમજવા.
૨૫ કર્તા દ્વાર - નિશ્ચયથી બધા દ્રવ્ય પોતપોતાના સ્વભાવકાર્યના કર્તા છે, વ્યવહારથી જીવ અને પુદ્ગલ કર્તા છે. શેષ અકર્તા છે.
૨૬ ગતિ દ્વાર - આકાશની ગતિ (વ્યાપકતા) લોકાલોકમાં છે. શેષ લોકમાં છે.
૨૭ પ્રવેશ દ્વાર - એક એક આકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્યોનો પ્રવેશ છે. તેઓ પોતપોતાની ક્રિયા કર્યું જાય છે. છતાં એક બીજા ભળી જતાં નથી જેમ એક નગરમાં ૫ માણસ છુ-૩૧