Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 30
________________ આપ્તવાણી-૮ આપ્તવાણી-૮ એટલે અહીંથી નીકળતાં ય વાર ના લાગે. હવે ત્યાં આગળ એવો ટાઇમ ના બેઠો હોય ને, ત્યાં સુધી અહીં આગળ આ દેહમાં ઉંઉંઉ કર્યા કરે. ‘કેમ નીકળતા નથી ? જલદી જાવ ને’ કહીએ. ત્યારે કહેશે, “ના હજુ તૈયારી નથી ત્યાં થયેલી !' એટલે છેલ્લી ઘડીએ ઉંઉંઉં કરે છે ને ? ત્યાં આગળ ‘એડજસ્ટસ” થાય ત્યાર પછી અહીંથી નીકળે. પણ નીકળે ત્યારે ત્યાં આગળ પદ્ધતિસર જ હોય. જિંદગીતા સરવૈયા પ્રમાણે ગતિ ! પ્રશ્નકર્તા : મરતાં પહેલાં જેવી વાસના હોય, એ રૂપે જન્મ થાય છે ત્યારે આત્માને ક્યાં જવાનું એ એના પોતાના અધિકારમાં નથી. એ ય “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ના તાબામાં છે. એટલે જ્યાં ‘એવિડન્સ' લઇ જાય ત્યાં એને જવાનું. ‘પરમેનન્ટ’ વસ્તુ આની મહીં આત્મા એકલી જ છે, બીજું બધું ‘ટેમ્પરરી' છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું જ ‘ટેમ્પરરી’ છે. અને આત્મા તો એવો છે કે, એ આ શરીરથી બિલકુલ જુદો છે. જેમ આ કપડું ને મારો દેહ જુદા છે ને ? એટલું બધું દેહ ને આત્મા જુદા છે, તદ્ન જુદા છે. કુદરતમાં કેટલાંય “એડજસ્ટમેન્ટ્સ' ! પ્રશ્નકર્તા : મૃત્યુ વખતે એક દેહ છોડતો હોય અને એ બીજા દેહમાં જતા પહેલાં ક્યાં, કેટલો વખત અને કેવી રીતે રહે છે ? બીજા દેહમાં જતાં દરેક જીવને કેટલો વખત લાગે છે ? દાદાશ્રી : એનો સમય જ નથી લાગતો બિલકુલ ય. અહીં દેહમાં પણ હોય છે અને ત્યાં યોનિમાં શરૂ હોય છે. મરનારો અહીં વડોદરામાં અને યોનિ ત્યાં દિલ્હીમાં હોય, તો એ યોનિમાં પણ હોય છે અને અહીં આ દેહમાં પણ હોય છે. એટલે આમાં ટાઇમ જ નથી. દેહ વગર સહેજ વાર રહી શકે નહીં જુદો ! પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો, એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ? દાદાશ્રી : કશો જ સમય નહીં. અહીં પણ હોય, આ દેહમાંથી હજુ નીકળતો હોય અહીંથી અને ત્યાં યોનિમાં પણ હાજર હોય. કારણ કે આ ટાઇમિંગ છે, વીર્ય અને રજનો સંયોગ હોય તે ઘડીએ. અહીંથી દેહ છૂટવાનો હોય, ત્યાં પેલો સંયોગ હોય, એ બધું ભેગું થાય ત્યારે અહીંથી જાય. નહિ તો એ અહીંથી જાય જ નહિ, કારણ કે અહીંથી જાય તો એ ત્યાં ખાય શું ? ત્યાં યોનિમાં ગયો પણ ખોરાક ખાય શું ? પુરુષનું વીર્ય અને માતાનું રજ એ બેઉ જ હોય, એ આખું ય જતાંની સાથે જ ભૂખનો માર્યો ખાઈ જાય છે. અને ખાઈને પછી પીંડ બંધાય છે. બોલો હવે આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ! દાદાશ્રી : હા, એ વાસના, આપણા લોક જે કહે છે ને કે મરતાં પહેલાં આવી વાસના હતી, પણ એ વાસના કંઈ લાવી લવાતી નથી. એ તો સરવૈયું છે આખી જિંદગીનું. આખી જિંદગી જે તમે કર્યું ને, એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે ત્યારે સરવૈયું આવે છે. અને સરવૈયા પ્રમાણે એની ગતિ થઈ જાય છે. પ્રશ્નકર્તા : મૃત્યુ પછી બધાં કંઈ મનુષ્યરૂપે જન્મતા નથી. કોઈ કૂતરાં, ગાય થાય છે. દાદાશ્રી : હા, એની પાછળ “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે, વૈજ્ઞાનિક કારણો બધાં ભેગાં થાય છે. આમાં આનો કોઈ કર્તા નથી કે ‘ભગવાને આ કર્યું નથી અને ‘તમે ય એ કર્યું નથી. ‘તમે ફક્ત માનો છો કે “મેં આ કર્યું એટલે આવતો ભવ ઉત્પન્ન થાય છે. જ્યારથી ‘તમારી’ આ માન્યતા તૂટી જશે. ‘હું કરું છું'ની ‘રોંગ બીલિફ’ એ ભાન ‘તમારું' તૂટી જશે અને ‘સેલ્ફ'નું ‘રીયલાઇઝ થશે પછી ‘તમે કર્તા છો જ નહીં. પ્રશ્નકર્તા : પણ એ “રીયલાઇઝ' કરવા માટે આ બધું છોડીને હિમાલય પર જતા રહીએ ? દાદાશ્રી : ના, હિમાલય પર નહીં જવાનું. અમે તમને એક

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171