Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 150
________________ આપ્તવાણી-૮ ૨૬૫ ૨૬૬ આપ્તવાણી-૮ શબ્દ હશે ? કયો શબ્દ, કયો શબ્દ, તે ચાર કલાક સુધી એ શબ્દ યાદ જ ના આવ્યો.” એટલે શબ્દ જ ભૂલી જાય. એ સમરણથી (નામસ્મરણ) કશું લક્ષમાં ના બેસે. આવાં સમરણ કરે એનાં કરતાં ‘વાઈફ’નું સમરણ કરેલું સારું કે ભજિયાં, જલેબી તો કરી આપે. આવા ખોટાં સમરણ આપી આપીને તો ના દેવગતિમાં ગયા ને ના અહીં આગળ સારી સાહેબી મળી ! એટલે આમે ય રૂખડાવી માર્યો ને તમે ય રૂખડાવી માર્યા. અહીં જો સાહેબી મળી હોય તો ય જાણીએ કે ઠીક છે !! આ તો કહેશે, ‘સમરણ આપીએ છીએ, તમે સમરણ કર્યા કરજો.’ અને અલ્યા, એ સમરણ ભુલાય ત્યારે મારે શું કરવું ? અને સમરણ તો ક્યારે રહે ? કે જેની પર રાગ હોયને તો એ એની મેળે સમરણ રહ્યા કરે. અગર તો જેને બહુ જ ષ હોય, જેની પર બહુ જ ચીઢ હોય, તે યાદ આવ્યા કરે. એટલે બહુ રાગ હોય તો તે યાદ આવ્યા કરે, એનું સમરણ રહે. અને સમરણનું ફળ સંસાર, ભટક-ભટક-ભટક કરવાનું. આપને સમજાઈ આ વાત ? સમરણનો અર્થ સમજાયો ને ? એટલે સતત આત્મા હાજર થઈ એની મેળે જ બોલતો થવો જોઈએ. આપણે બોલાવીએ ને એ બોલે, એવું નહીં. એની મેળે હોવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ આ “શુદ્ધાત્મા છું' એવું મહીંથી બોલવામાં આવે કે ના આવે ? દાદાશ્રી : આવે ને ! પ્રશ્નકર્તા : પછી એ બોલતો હશે કે બોલાવતો હશે ? દાદાશ્રી : એ બોલતા, બોલાવતાનો સવાલ નથી આમાં. કોઈ બોલતો ય નથી અને બોલાવે તો એ બોલાવનાર ગુનેગાર થાય. એટલે તમે જે ખોળો છોને ત્યાં અંધારું છે. તમે આગળ જે માગો છોને, એ બધું અંધારું જ છે. એને બોલાવનાર કોઈ છે જ નહીં. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' બોલે છે અને તમે જે કહો છોને તે બધું તો અંધારું ઘોર છે. તે બાજુ ઘણાં લોકો ગયા ને, તે રખડી મર્યા છે બધાં !! વાડાબંધી તો વિભાવિકતામાં પ્રશ્નકર્તા ઃ તો શુદ્ધાત્માનું જે જ્ઞાન આપની પાસેથી લઈએ, તે એક મંડળ કે વાડો નથી થતો ? દાદાશ્રી : ના, આને વાડો હોય જ નહીં ને ! જ્યાં વિભાવિકતા હોય ત્યાં વાડો હોય. સ્વાભાવિકતા હોય ત્યાં સહજતા ઉત્પન્ન થાય, ત્યાં વાડો હોય જ નહીં ને ! કારણ કે એ ઝાડ-પાન, ગાય-ભેંસ, બધા જીવમાં શુદ્ધાત્માના દર્શન કરે, પછી એમાં જુદાઈ, વાડો જ ક્યાં રહ્યો ? બધે ‘એવરીવ્હેર' ભગવાન દેખાય એને ! “ોંગ બિલીફ' મઢે, ભગવાનમાં અભેદ ! પ્રશ્નકર્તા: જો શુદ્ધાત્મા એ જ ભગવાન છે, પોતાની મહીં જ છે, તો પછી એ દૂર કશે હોય જ નહીં ને ? દાદાશ્રી : હા. બસ, મહીં છે એ જ ભગવાન છે, બીજા કોઈ ભગવાન આ જગતમાં છે નહીં. પ્રશ્નકર્તા : તો પછી એ ભગવાન જોડે પોતાને ભેદ ના હોયને? દાદાશ્રી : પણ અત્યારે તો ‘તમને' ભેદ છે. અભેદ થાય તો જ “ભગવાન” તમને ભેગા થાય એવા છે. પણ ‘તમારે’ તો ‘ચંદુભાઈ” થવું છે અને ‘કોઈ બાઈના ધણી થવું છે, છોકરાનાં બાપ થવું છે, કોઈના મામા થવું છે, કોઈના કાકા થવું છે.” તો પછી “ભગવાન” ‘તમને” ભેગા થાય જ નહીં ને ! ‘તમે ‘ભગવાન’નાં થાવ તો “એ” ‘તમારી’ જોડે અભેદ થઈ જાય. ‘તમે’ ‘શુદ્ધાત્મા’ થયા, ‘ભગવાન'નાં થયા તો ‘તમે’ અભેદ થઈ જાવ. આ તો ભેદ ‘તમે પાડ્યો છે, ‘ભગવાને” ભેદ નથી પાડ્યો. ‘આ બાઈનો ધણી થઉં છું” એવું કહ્યું, એટલે ભગવાન કહે છે, “જા, ધણી થાવ.” તે આમ ભગવાન જોડે ભેદ પડ્યો ! હવે ભગવાનની જોડે એકાકાર થઈ ગયા કે થઈ ગયું બધું અભેદ ! અને એ અભેદ થવાને માટે આ બધું ‘વિજ્ઞાન છે. આખું જગત ભગવાનને ખોળે છે અને તે અભેદ થવા માટે ખોળે છે.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171