________________
આપ્તવાણી-૮
૨૬૩
૨૬૪
આપ્તવાણી-૮
છો જ ! સોડમૂનો અર્થ શું થયો ? કે ‘તે હું છું, તેમાં આપણે શું કલ્યાણ વળ્યું ? એટલે ‘હું શુદ્ધાત્મા છું' એમાં જ પોતાનું કલ્યાણ છે, એમાં ‘આ શુદ્ધાત્મા તે હું છું.” જ્યારે સોડહમ્ એટલે તો ‘તે હું છું.’ એમાં કશો અર્થ નથી ! સોડહમ્ તો શુદ્ધાત્મા પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. જેને સાધ્ય મળી જાય પછી એને સાધન છૂટી જાય છે.
શુદ્ધ થયે “શુદ્ધાત્મા' બોલાય ! પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું' બોલવાથી શુદ્ધાત્મા થઈ જવાય ?
દાદાશ્રી : એમ નહીં થઈ જવાનું. એમ તો કેટલાંક લોકો બોલે છેને કે “હું શુદ્ધાત્મા છું' પણ કશું વળે નહીં.
પ્રશ્નકર્તા : આપની પાસેથી જ્ઞાન ઉપલબ્ધ ન થયું હોય, એ જો ચોપડીમાંથી વાંચીને અથવા તો કોઈના કહેવાથી ‘હું શુદ્ધાત્મા છું' બોલે તો ફાયદો થાય ?
દાદાશ્રી : એમાં દહાડો વળે નહીં કશો ય ! એવું લાખ અવતાર સુધી ‘શુદ્ધાત્મા’ બોલે ને તો ય કશું વળે નહીં.
જેમ તમારો એક ભાઈબંધ હોય, તે તમારી જોડે વાત કરતાં કરતાં ઊંઘી ગયો હોય, પણ તમે એમ જાણો કે એ જાગે છે, એટલે તમે એને રૂપિયા આપવાનું પૂછો, ફરી પૂછો ત્યાર પહેલાં એ બોલે કે, “હું તને પાંચ હજાર રૂપિયા આપીશ.’ તો આપણે શું એ સાચું માનવું ? આપણે તપાસ તો કરવી પડેને કે એ ઊંઘમાં છે કે જાગતાં બોલે છે ? ઊંઘતો બોલેને તો આપણે આખી રાત બેસી રહીએ તો ય કશું આપે નહીં અને જાગતો બોલતો હોય તો આપણને આપે ! એવી રીતે આ ઊંઘતાં બોલે છે કે “હું શુદ્ધાત્મા છું.’ એટલે કશું વળે નહીં. ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન ‘જ્ઞાની પુરુષ'નું આપેલું હોવું જોઈએ એટલે જાગતો હોય ને બોલે તો કામનું. એવું હું તમને જાગતા કરીને ‘શુદ્ધાત્મા છું' બોલાવડાવું છું, એમ ને એમ નથી બોલાવડાવતો ! અને એક કલાકમાં તો આખો મોક્ષ આપી દઉં છું. મોક્ષ એટલે કોઈ દહાડો ચિંતા ના થાય, એવો મોક્ષ આપું છું !
પ્રગટથી પ્રગટે કે પુસ્તકતા દીવાથી ?! પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગર પુસ્તકમાં વાંચીને “શુદ્ધાત્મા છું' બોલે, તો ય એનું ફળ મળે ને ?
દાદાશ્રી : કશું ય ફળ ના મળે ! “જ્ઞાન” લીધા વગર ‘શુદ્ધાત્મા છું' બોલે તો કામ ના લાગે. એને ‘શુદ્ધાત્મા’ તો યાદ જ ના આવે ને !
અને પેલું ચોપડીમાં તો એવું લખેલું છે કે “આત્મા શુદ્ધ છે ને તું શુદ્ધાત્મા છે. આ બધું તું ન હોય. અને સંસારમાં આપણે શુદ્ધાત્મા તરીકે કંઈ કરી શકીએ એમ છીએ જ નહીં. એ દ્રવ્ય એનું કામ કરે છે, આ દ્રવ્ય એનું કામ કરે છે.” એવું બધું કહેવા માગે છે. પણ લોકોને શુદ્ધાત્મા શી રીતે રહે ? આ તો અહંકાર ને ક્રોધ-માન-માયા-લોભ બધું ય સાથે છે, તો એને શુદ્ધાત્મા શી રીતે રહે ?! આમ આખો દહાડો ગોખીને ‘શુદ્ધાત્મા છું' બોલે છે, પણ એમને શુદ્ધાત્માનું લક્ષ બેસે નહીંને ! ‘જ્ઞાની પુરુષ’ પાપ બાળી આપે ત્યારે શુદ્ધાત્માનું લક્ષ બેસે અને તે લક્ષ આખો દહાડો રહે, નહીં તો લક્ષમાં રહે નહીં ને ! એટલે પહેલાં પાપ ધોવાઈ જવાં જોઈએ.
પ્રશ્નકર્તા: આપની પાંચ આજ્ઞા લખાયેલી હોય તો આજથી સો વર્ષ- બસ્સો વર્ષ પછીથી પણ પાંચ આજ્ઞા વાંચીને એ બોલે, એના પર વિચાર કરે, તો પછી એને શુદ્ધાત્માનું પદ મળે કે નહીં ?
દાદાશ્રી : ના, ના ! એ તો કોઈ જ્ઞાનીઓ રહેવાના, બસ્સો-પાંચસો વર્ષ સુધી કંઈનું કંઈ ફૂટવાનું. દરેકનામાં વહેલો-મોડો ‘પ્રકાશ' થયા કરવાનો, તે એવા કોઈ હોય તો બધાને કામ લાગે. બાકી, એમ ને એમ શુદ્ધાત્મા થવાય નહીં.
સમરણે,” શુદ્ધાત્મા તહીં સાધ્ય ! એક માણસ કહે છે, “હું શુદ્ધાત્મા છું, એવું યાદ કર્યા કરું છું.' ત્યારે મેં કહ્યું, “અલ્યા, યાદ કર્યા કરે છે તો ય શુદ્ધાત્મા પ્રાપ્ત થયો નહીં ?” ત્યારે કહે છે, “ના. અને બીજે દહાડે તો મને મનમાં એમ થયું કે પેલો ક્યો