Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 148
________________ આપ્તવાણી-૮ ૨૬૧ ૨૬૨ આપ્તવાણી-૮ દાદાશ્રી : એ ખરું ! તમારું તો શૂરવીરનું કામ છે. પણ એની માટે તમારે ‘ભગવાન શું છે? એ જાણવું જોઈએ. ‘જગત શું છે ? કોણે બનાવ્યું ? ભગવાન શું છે ? આપણે કોણ છીએ ? આ બધું જગત કેવી રીતે ઉત્પન્ન થયું ? હવે ભગવાનનો સાક્ષાત્કાર આપણને કઈ રીતે પ્રાપ્ત થાય ?” એ બધું જાણવું પડે. પ્રશ્નકર્તા : એનો રસ્તો કયો છે ? “શુદ્ધાત્મા’ શબ્દની સમજ ! પ્રશ્નકર્તા : એવું કહે છે કે, આત્મા સચ્ચિદાનંદ ઘન છે. એમાં આ કલ્પના છે કે સાચું છે ? દાદાશ્રી : કેમ ?! સાચું છે. આત્મા સચ્ચિદાનંદ ઘન છે, એ સાચી વાત છે. એમાં કલ્પના નથી ! પ્રશ્નકર્તા : બીજા લોકો એને કલ્પના પણ કહે છે, તે ? દાદાશ્રી : રસ્તો તો આ અહીં જ છે, બીજે વર્લ્ડમાં કોઈ જગ્યાએ આનો રસ્તો છે જ નહીં. અહીં જ બધો રસ્તો છે ! દાદાશ્રી : કલ્પના કરનારને ‘સચ્ચિદાનંદ શું છે', એનું ભાન નથી. જો ભાન થાયને તો પોતાને કાયમનો શાશ્વત આનંદ થાય. સનાતને સુખ પ્રાપ્ત થાય, ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ થાય.. પ્રશ્નકર્તા : પણ અનુભવ વગર નકામું ને ? દાદાશ્રી : હા, અનુભવ તો થવો જ જોઈએ. પ્રશ્નકર્તા : એ ક્યારે થાય ? દાદાશ્રી : ભગવાન સિવાય, આત્મા સિવાય કશું જ જોઈતું ના હોય ત્યારે અનુભવ થાય. પછી એમાં સ્ત્રી, પૈસો કશું જોઈતું ના હોય. અને અહીં તો તમને એવો અનુભવ થઈ જશે. જ્યારે ? આ ભવમાં જ, તે પણ બે-ત્રણ મહિનામાં નહીં, કલાકમાં થઈ જશે. પ્રશ્નકર્તા : પછી નિરંતર આત્મામાં તન્મયાકાર કેવી રીતે રહેવું ? દાદાશ્રી : અહીં આગળ જ્ઞાન લે, અને પછી ‘અમારી’ ‘આજ્ઞામાં રહે તો નિરંતર “આત્મા’માં રહી શકે. પણ આ જંજાળ છે ને તે નિરંતર ‘એને’ ‘આત્મા’માં રહેવા ના દે. ‘તમને’ જંજાળ તો ખરી જ ને, પછી ? છોકરાં કહે, ‘બાપુજી ફી લાવો.” અલ્યા, ફી તો ઘરમાં છે. પણ સોની નોટ વટાવવા જવું પડે કે ના જવું પડે ? પૈણ્યા ના હોય તો નોકરી, ધંધા હોય. એટલે આ બધી જંજાળ છે અને આ છે ત્યાં સુધી નિરંતર ‘આત્મામાં ના રહી શકાય. પણ ‘આપણા’ ભાવ જ્યારે આ જંજાળથી ઓછાં થશે અને સુખ ‘આત્મા’માં છે એવું સમજાશે, એમ આ જંજાળ ઓછી થતી જશે, તેમ પછી ‘આત્મા’માં રહી શકાય. પ્રશ્નકર્તા : આત્મા સચ્ચિદાનંદ ઘન છે, તો ‘શુદ્ધાત્મા’ કેમ રહ્યું ? દાદાશ્રી : આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. પણ આ લોકોને સચ્ચિદાનંદ શબ્દ કેમ નથી આપ્યો ? કારણ કે ‘સચ્ચિદાનંદ' એ ગુણવાચક શબ્દ હોવાથી આ લોકોને નહીં સમજાય, આમને શુદ્ધાત્માની જરૂર છે, એટલા માટે આ લોકોને શુદ્ધાત્મા શબ્દ આપ્યો છે. શુદ્ધાત્માની જરૂર કેમ ? આ લોકો કહે છે કે હું પાપી છું.’ ત્યારે કહે, ‘જો ‘તું' ‘વિજ્ઞાન’ જાણે તો તને પાપ અડે એવું નથી. ‘તું' છે ‘શુદ્ધાત્મા’ જ. પણ ‘તારી’ ‘બિલીફ રોંગ” છે.” જેમ એક માણસ અહીં આગળ રૂમમાં રાત્રે એકલો સૂઈ ગયો હોય, અને દિવસે એણે ભૂતની વાત સાંભળી હોય, તો રાત્રે અંદર પ્યાલો ખખડ્યો કે ત્યાં જ ‘એની’ ‘બિલીફ રોંગ’ પેસી ગઈ કે કંઈક ભૂત છે. હવે એ ‘રોંગ બિલીફ” નીકળે નહીં ત્યાં સુધી ‘એની’ દશા આવી ને આવી જ રહે, તરફડાટ રહ્યા કરે. સોડહથી શુદ્ધાત્મા સધાય તા ! પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલવું અને ‘સોડહમ્ બોલવું, એમાં શો ફેર છે ? દાદાશ્રી : સોડહમ્ બોલવાનો અર્થ જ નથી. ‘શુદ્ધાત્મા’ તો ‘તમે’

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171