Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 146
________________ આપ્તવાણી-૮ ૨૫૭ ૨૫૮ આપ્તવાણી-૮ પ્રશ્નકર્તા : આ જે કર્મ વળગ્યાં છે એ ? દાદાશ્રી : માન્યતા બદલાઈ એટલે જે કર્મ બધાં વળગ્યાં છેને, એ બધાં છૂટાં થવા માંડે છે. માન્યતા બદલાઈ એટલે કર્મ બધાં છૂટાં થતાં જાય. નહિ તો માન્યતા ના બદલાઈ હોય તો કર્મો છુટાં થાય નહીં. આ તો બધી ‘રોંગ બિલીફો જ છે. પોતે પરમાત્મા છે, પણ જુઓને આ દશા શી થઈ છે ! ‘બિલીફથી “બિલીફ તો છેદ ! પ્રશ્નકર્તા: હવે આ “રોંગ બિલીફોને પાછી આ ‘રાઈટ બિલીફ' બેસાડીએ, તો ‘રાઈટ બિલીફ’નો ય લાભ મળે ને ? પણ એ ય ‘બિલીફ’ તો ખરી જ ને ? અને ‘બિલીફ’ છે ત્યાં સુધી એનાં ફળમાં કર્મ તો રહે જ ને ? કે મરી ગયો એટલે કંઈ મોક્ષે નથી જતો. મરી ગયો એટલે અહીં જે એની પાસે ‘સ્ટોક'માં સામાન હતો તે જોડે લઈને જાય છે, ક્રોધ-માન-માયાલોભ બધું ‘સ્ટોક'માં છે એ બધું જ જોડે લઈ જાય છે, કશું બાકી ના રાખે, આખો પરિવાર જ એની સાથે જાય છે અને ફરી જ્યાં નવો જન્મ થાય ત્યાંથી પાછી શરૂઆત થાય. પ્રશ્નકર્તા : પણ આપણે આમ કહીએ છીએ ને, કે મર્યા પછી બધું છોડીને જવાનું છે, તો પછી બધું “સ્ટોક'માં શી રીતે રહે ? દાદાશ્રી : એ તો સ્થળ બધું છોડી દેવાનું. સૂક્ષ્મ આ, પરિવાર સાથે બધું ય જોડે જ આવવાનું ! આ સ્થળ એટલે જે આંખે દેખાય એવું, આંખે ના દેખાય એવું, ને દુરબીનથી ના દેખાય એવું ય સ્થળ છે. એ બધું ય અહીં છોડી જવાનું અને સૂક્ષ્મ ભાગ બધો ય જોડે જવાનો, પોતાનાં કર્મો બધાં બાંધીને ત્યાં જોડે લઈ જવાનાં. બિલીફ બદલાયે, કર્મો છૂટે ! પ્રશ્નકર્તા : આ પછી ‘રોંગ બિલીફ' ફ્રેકચર કેવી રીતે થાય ? દાદાશ્રી : એ તમારે નહિ કરવાની, એ અમારે કરી આપવાની. એ તમારાથી ના થાય. તમારાથી થતી હોય તો તો અનંત અવતારથી તમે છો જ ને ! એટલે એ ડૉકટરનું કામ છે. તમારે તો એક કલાક ડૉકટરને દેહ સોંપવાનો કે “ભાઈ, તમારે જે ઓપરેશન કરવું હોય તે કરી નાખો મારું, ને મારો ઉકેલ લાવી આપો.' એટલે કામ થઈ જાય. પ્રશ્નકર્તા: કર્મ છે અને માન્યતા છે, એ બેનો સંબંધ શો ? કારણ કે કોઈ એક ખોટી ‘બિલીફ' તુટી ગઈ, તે ઘડીએ એકદમ હળવાશ અનુભવે. તે ઘડીએ કર્મથી નિવૃત્ત થયો કહેવાય ? દાદાશ્રી : એ તો ‘રોંગ બિલીફોથી નિવૃત્ત થાય છે ! પ્રશ્નકર્તા ઃ તો એટલાં કર્મ બળ્યાં કે ના બળ્યાં ? દાદાશ્રી : ના, એ જ કર્મ બદલાય છે ને ! ‘બિલીફ' નિવૃત્ત થાય એટલે કર્મો શાંત થઈ જાય, એ શાતા વેદનીયમાં ગયું. દાદાશ્રી : પણ ‘રાઈટ’માં તો ‘બિલીફ' જ નથી. આ તો “રીંગ બિલીફ’ને છેદ કરવા માટે “રાઈટ બિલીફ’ છે. નહિ તો ‘રોંગ બિલીફ'નો છેદ થાય નહિ ને ! અને ‘રાઈટ બિલીફથી ‘રોંગ બિલીફનો છેદ કરે ત્યારે ‘રાઈટ બિલીફથી પોતાની મેળે જ, ખુદસે જ ખુદનો છેદ થઈ જાય છે. એટલે પછી એને કોઈ છેદ કરવાનો રહેતો નથી ! એવાં ક્રમથી આ બધું ગોઠવાયેલું છે. એવું છે ને, નહિ તો વધતું વધતું પાર જ ના આવે એનો. આ સમ્યકુદર્શન છે ને, ‘રાઈટ બિલીફ છે ને, તે પોતે જ ઓગળી જાય છે. ‘રાઈટ બિલી’ સ્વ-સત્તાધારી છે અને “રોંગ બિલીફ” પરસત્તા છે. તિરાલંબી દ્રષ્ટિએ, “વસ્તુત્વ'નો સિદ્ધાંત ! ‘જ્ઞાની પુરુષ' તો ભાન કરાવશે કે “જગત’ને ‘તું” અડ્યો છે. નહિ તો વસ્તુ ‘તને કોઈ અડે એવી નથી. ત્યારે એ કહેશે, “મારે કંઈ જરૂર નથી ?” ત્યારે કહીએ, “ના, તારે કંઈ જરૂર જ નથી. તને જગતમાં અવલંબનની જરૂર જ નથી.” ત્યાર પછી “એ” ભાનમાં આવે ત્યારે એ કહેશે, “શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું.” પછી મહીં ચિંતા-ઉકળાટ કશું જ ના રહે. ચિંતા-ઉકળાટ એ તો બધું “પરવસ્તુમાં થાય છે અને ‘પોતે માથે લઈ લે છે કે “મને આમ થાય છે.' અરે, આ ‘તારું નથી અને પેલાં બીજાને ઘેર ત્યાં થાય છે. “તને ક્યાં કશું થાય છે ? થાય છે

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171