Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 144
________________ આપ્તવાણી-૮ ૨૫૩ ૨૫૪ આપ્તવાણી-૮ બંધાયા, બિલીફ થકી... કરે તો ય એ સંસારથી મુક્ત થાય ? દાદાશ્રી : એ આત્મારૂપ થઈ જાય તો સંસારથી મુક્ત થાય. બાકી, આત્મા સંબંધી વિચાર કરે ત્યાં આત્મા જ નથી. વિચાર જે કરે તે તો આત્મામાં જવાના રસ્તા છે. પ્રશ્નકર્તા : પણ આત્મારૂપ થવાની દશા ઊભી થાય તો સંસારનો ભ્રમ તૂટે ખરો ? દાદાશ્રી : ભ્રમ ધીમે ધીમે છૂટે. પણ જે જૂનો એનો હિસાબ છે ને, એટલે ભ્રમ થયા વગર રહે નહિ ને ! એ તો નવું સંવરપૂર્વકનું થાય તો કામનું. એટલે એક મિનિટ જો આત્મા થઈ ગયો તો પછી એ કાયમ જ રહે. પ્રશ્નકર્તા : એક મિનિટ તો શું, અડતાલીસ સેકન્ડ પણ નથી રહેતું. દાદાશ્રી : નથી રહેતું, તો એવું ચાલે નહિ ! પ્રશ્નકર્તા : અડતાલીસ સેકન્ડ પહેલાં તો ભાગી જાય છે. હવે કરોડ અવતાર થાય તો ય, ‘રાઈટ બિલીફ' ના બેસે. જ્યાં ‘રોંગ બિલીફ’ એકેય જતી નથી, ત્યાં “રાઈટ બિલીફ’ એક્ય બેસે જ શી રીતે તે ? એટલે ‘રોંગ બિલીફ એક્ય ખસતી નથી. ને “રાઈટ બિલીફ” બેસતી નથી ! જગત આખામાં એકે ય માણસને એક પણ ‘રોંગ બિલીફ” ખસતી નથી. આટલાં અવતારોથી ભગવાન મહાવીરનાં શાસ્ત્રો વાંચે છે. પણ એક ‘રોંગ બિલીફ ખસતી નથી અને દહાડો વળતો નથી, શાસ્ત્રો વાંચે તો ઠંડક રહે, પણ ‘બિલીફ ના બદલાય. ‘બિલીફ’ તો, ‘જ્ઞાની પુરુષ' કે જે મોક્ષ-દાતા પુરુષ હોય તે જ બદલાવી શકે. પ્રશ્નકર્તા : મોક્ષ પામવો હોય તો ‘જ્ઞાની પુરુષ' પાસે જવું પડે ! દાદાશ્રી : અને તે ‘જ્ઞાની પુરુષ' પાછા મોક્ષદાતા પુરુષ હોવાં જોઈએ. મોક્ષનું દાન કોણ આપે ? જે પોતે નિરંતર મોક્ષમાં રહેતા હોય, તે મોક્ષનું દાન આપે. ‘રોંગ બિલીફ'માં જ છો, એટલે પછી ગમે તે કરશો, શાસ્ત્ર વાંચશો-કરશો તો ય “રોંગ બિલીફ” જ મજબૂત થયા કરશે, ‘રોંગ બિલીફ'ને જ પોષણ મળ્યા કરશે ! અને આ સંસારમાં જન્મથી જ આપણા લોકો ‘એને” અજ્ઞાનનું પ્રદાન કરે છે કે “આ બાબો. બાબા, આ તારા પપ્પાજી, આ તારા મમ્મી' એમ કરીને અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે, પછી ‘એને આખી “રોંગ બિલીફ’ બેસી જાય છે. એ ‘બિલીફ” કોઈ ‘ફ્રેકચર’ કરી શકતું નથી. બાકી, એમ ને એમ કહે કે ‘તમે શુદ્ધ છો, એ કેમ કરીને ચાલે ? ‘તમારી’ સમજણમાં ગેડ બેસવી જોઈએ, તો જ એ “રોંગ બિલીફ” ફ્રેકચર થાય. નહિ તો ‘રોંગ બિલીફ’ ફ્રેકચર થાય નહિ ને ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું' એ કોઈ ‘એક્સેપ્ટ’ કરે જ નહિ. અત્યાર સુધી આખી જિંદગી ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું.' એમ કરી કરીને પરમાણુ પરમાણુમાં એ બેસી ગયું છે. હવે એ કાઢવાનું, એ ‘રોંગ બિલીફ’ ‘ફ્રેકચર’ કરવી, એ ‘જ્ઞાની પુરુષ' જ કરી આપે. અંતે આત્મરૂપ થયે જ મુક્તિ ! પ્રશ્નકર્તા : એવું પણ કહેવાય છે કે એક મિનિટ આત્માનો વિચાર દાદાશ્રી : પણ જે ભાગી જાય એ આત્મા જ ન્હોય. આત્મા એનું નામ કે જે ભાગી ના જાય. ‘આત્મા’ તેનો તે જ રૂપે છે, જ્યારે જુઓ ત્યારે તે રૂપે જ છે, એટલે આત્મા જુદો લાગવો જોઈએ અને આ બીજું છે એ બધું જુદું લાગવું જોઈએ. પ્રશ્નકર્તા : એની સમજ ખરી, એવો અનુભવ પણ થાય. છતાં ય માયાવી જાળ એટલી બધી મજબૂત ઊભી થાય તે વખતે એ બાજુ ખેંચી જાય. દાદાશ્રી : વસ્તુસ્થિતિમાં એવું છે ને, ‘આપણને કોઈ કશું ખેંચી જાય એવું નથી. “આત્મા’ પ્રાપ્ત થયો હોય એવું હજુ ‘એક્ઝક્ટનેસ'માં આવી ગયું નથી. જો ‘એઝેક્ટનેસ’માં આવે તો કોઈ કશું નામ દે એવું નથી. કારણ કે પછી તો ડિસ્ચાર્જ કર્મ રહે છે, એટલે ભોગવટો જ રહે છે. ખાલી, નવાં કર્મ બંધાતાં જ નથી. જો આત્મા પ્રાપ્ત થયો તો સંવર રહે અને સંવર છે ત્યાં આગળ બંધ ન પડે. આશ્રવ અને નિર્જરા તો અજ્ઞાનીને અને જ્ઞાનીને, બન્નેવને હોય જ. પણ એમાં અજ્ઞાનીને બંધ થાય

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171