Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 126
________________ આપ્તવાણી-૮ ૨૧૭ ૨૧૮ આપ્તવાણી-૮ છે. નહીં તો આત્મા પ્રાપ્ત કરવાના શાસ્ત્રમાં તો જ્ઞાન નીકળે છે, પણ તે જ્ઞાનથી કંઈ આત્મા પ્રાપ્ત થાય એવો નથી. કારણ કે આત્મા શબ્દરૂપ છે નહીં, કે શાસ્ત્રમાં ઉતરી શકે. એ તો નિઃશબ્દ છે, અવક્તવ્ય છે, અવર્ણનીય છે. બાકી લોકોએ જે કયો છે, તેવો આત્મા છે નહીં. આ તો મનમાં માનીને બેસી રહે ને આખી રાત ને દહાડા કાઢે છે ને અડસટ્ટે ચાલ્યા કરે છે, ને અનંત અવતારથી ભટક ભટક કરે છે, અવતાર તો એકુંય હજુ ખૂટ્યા નથી ! ત મિટે “પોતાથી' “પોતાપણું ! દાદાશ્રી : શું નામ આપનું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : ખરેખર ચંદુભાઈ છો, એ ખાતરી છે ? પ્રશ્નકર્તા : લોકોએ મારું નામ પાડ્યું છે. દાદાશ્રી : તો તમે ખરેખર શું છો? માય નેમ ઇઝ ચંદુભાઈ બોલો છો ને ? તો “માય’ કહેનારો એ કોણ ? પ્રશ્નકર્તા : એ જ મારી શોધખોળ છે. એ “કોણ છું’ એ તો શોધવાનું છે. દાદાશ્રી : કેટલા વખતથી શોધખોળ કરો છો એ ? પ્રશ્નકર્તા : બે વરસથી. દાદાશ્રી : પહેલાં નહોતી કરી ? કેમ ? પ્રશ્નકર્તા : જરૂર નહોતી કે એ જાતની સમજણ નહોતી. દાદાશ્રી : ઓહો ! એ સમજણ જ નહોતી કે આપણે આ જ્ઞાન જાણવાનું છે ! બરોબર છે ! એટલે આ જ્ઞાન, ‘હું કોણ છું” એ જાણવાની જરૂર છે. એ જાણેને તો બધો નિવેડો આવી જાય. હવે આમાં ‘ચંદુભાઈ ‘તમારું નામ છે. પણ ‘તમે કોણ છો ? પ્રશ્નકર્તા ઃ આમ તો એક “માણસ” છું. દાદાશ્રી : માણસ તો, આ દેહનો માણસ જેવો ફોટો દેખાય, એને માણસ જ કહેવાય. દેહનો આકાર જ માણસનો છે. ‘તમે’ આ “માણસ” પણ ના કહેવાઓ ! આ દેહ તમારો છે ? પ્રશ્નકર્તા : દેહ મારો નથી. દાદાશ્રી : આ દેહની કંઈ અસર થતી નથી ? ઠંડી લાગે કે ગરમી લાગે છે ? પ્રશ્નકર્તા : દેહને લાગે છે. દાદાશ્રી : દેહને લાગે, પણ તમને નથી લાગતું ને ? આ દેહની અસર થાય છે ખરી ને ? અસર શેની થાય ? જે પોતાનું હોય તેની અસર થાય. જે પરભારી વસ્તુ છે તેની અસર ના થાય. આપને સમજમાં આવે છે ને ? એટલે અસર શેની આપણને થાય ? કે જેમાં પોતાનું મનાયું હોય તે ચીજની જ અસર થાય. ‘આ બોડી મારી છે' કહે તેથી એની અસર થાય છે. ઊંઘમાં ય એવું ભાન હોય, ઊંઘમાં ય કહેશે કે, “આ દેહ મારો છે. આ નામે ય મારું છે.’ હવે તમારું છે, એ તો કંઈ છોડી દેવાય ? એટલે આ ‘હું કંઈ છૂટે એવું નથી. હું તો મોટામાં મોટું ભૂત છે. કેટલાંક કહે છે, “આ દેહ મારો નહીં, આ છોકરો મારો નહીં, વહુ મારી નહીં, કોઈ મારું નહીં.' આમ બધી માથાકૂટ કર્યા કરે ! પણ ત્યારે, છેવટે તું તો ખરો ને ? હવે ક્યાં જઈશ તે ? અને આ મન, વચન, કાયાને ક્યાં નાખી દે ? આ પુદ્ગલ ક્યાં નાખી દે ? બીજાં બધાં પુદ્ગલ નાખી દે, પણ આને ક્યાં ફેંકી દે ? એ તો “જ્ઞાની પુરુષ' પાસે જાય તો એ મુક્ત કરી આપે. આપને સમજાયું ને ?! એ સમજવાની કોશિશ, ફળશે ખરી ? પ્રશ્નકર્તા : આમ તો હું ય આત્મા સમજવાની જ કોશિશ કરું છું. દાદાશ્રી : એ સમજવાની કોશિશ ક્યારે થશે ? ‘તમે’ ‘ચંદુભાઈ

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171