Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 133
________________ આપ્તવાણી-૮ ૨૩૧ ૨૩૨. આપ્તવાણી-૮ અલ્યા, સમરણ તો એની પર રાગ બેસવો જોઈએ, તો સમરણ કરી શકાય. અને રાગ બેઠો ત્યાં બધો ય સંસાર છે, ને સંસાર છે ત્યાં સમરણ છે. સમરણ તો હોવું જ ના જોઈએ. સમરણ તો નાછૂટકાનો ઉપાય છે. આમ એકાગ્ર રાખે પોતાને, પણ તે નાછૂટકાનો ઉપાય છે. બાકી એની મેળે નિરંતર લક્ષમાં રહ્યા કરે એ આત્મા. બીજું તો ભેળવાળો આત્મા !! એને બચકાં ના ભરવાં જોઈએ. એને તો આશીર્વાદ આપવા જોઈએ કે તે મને કર્મમાંથી મુક્ત કર્યો. આવું રહેવાશે તમારાથી ? આટલી સમજણ પડે તો ય બહુ થઈ ગયું ! તમારે પેલા ગજવા કાપનારનો ગુણ માનવો જોઈએ કે આ કર્મમાંથી મને છોડાવ્યો. અગર તો તમને કોઈ ગાળ ભાંડે તે ઘડીએ તમને હાજર રહેવું જોઈએ કે આ મારા કર્મના ઉદયથી છે અને આ ભાઈ તો નિમિત્ત છે. એટલું હાજર રહેવું જોઈએ. પછી કોઈક મારે, હાથ કાપી નાખે, તો ય આ મારા કર્મના ઉદય છે અને આ નિમિત્ત છે, એટલું જ્ઞાન હાજર રહેશે તો જાવ તમને આત્મા પ્રાપ્ત થઈ જશે. પણ એ જ્ઞાન આ દુષમકાળને લઈને હાજર રહેતું નથી. અને માણસનું મન એટલું બધું બળવાન પણ રહે નહીં ને ! અત્યારે આ જમાનામાં ના રહે ને ? મન તો બધું ફ્રેકચર થઈ ગયેલું છે ! એટલે અમે એક ફેરો જાગૃતિ આપીએ પછી જાગૃતિ જાય નહીં. પાપો બળે જ, લક્ષ-જાગૃતિ વર્તે છે! હવે જાગૃતિ ક્યારે આવે ? પાપો ભસ્મીભૂત થાય ત્યારે જાગૃતિ આવે. કષષ્ણુ ભગવાને શું કહ્યું છે કે, “જ્ઞાની પુરુષ' પાપોને ભસ્મિભૂત કરી નાખે છે અને પાપો ભસ્મિભૂત કરે પછી નિરંતર જાગૃતિ રહે અને નિરંતર જાગૃત રહેવું એ છેલ્લી દશા છે. એટલે મૂળ વસ્તુ જાગૃતિ જોઈએ. તમને જાગૃતિ ઓછી છે ? પ્રશ્નકર્તા : હા, દાદા. એટલે સતત આત્માનો અનુભવ થવો જોઈએ. દાદાશ્રી : હા. સતત એટલે નિરંતર, રાત્રે ય ભૂલાય નહીં. ત્યારે જ જાણવું કે આપણે કંઈક પામ્યા. નહીં તો બીજું તો કામનું જ નહીં ને ! આવું તો અનંત અવતારથી ભેળવાળો આત્મા પ્રાપ્ત કર્યો છે. ભેળ પણ બાર રૂપિયે કિલો અને ભેળવાળો આત્મા ય બાર રૂપિયે કિલો, તે આ બધા આત્માની બૂમો પાડનારા છે ને, તે ય બધા બાર રૂપિયે કિલોનો જ આત્મા કહે છે. કોઈ એમ નથી કહેતું કે લ્યો, હું તમને સાચો આત્મા આપું છું, લઈને જા ! નહીં તો સમરણ (નામસ્મરણ) આપશે કે આ સમરણ કર્યા કરજો. ‘એકડા' વગર શૂન્યસ્થિતિ તકામી ! પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન એટલે પોતાને જાણવું ને ? દાદાશ્રી : હા, પોતાને જાણવું એ જ, બસ બીજું કંઈ નથી ! પ્રશ્નકર્તા : હવે એક વસ્તુને જાણવી હોય તો તો એની અંદર ‘ડીપ’માં ઉતરવું જોઈએ. એમ આત્માને જાણવો હોય તો પોતાનામાં અંદર ‘ડીપ’માં ઉતરવું જોઈએ ને ? દાદાશ્રી : પોતાની મેળે બધા ઉતરે જ છે ને ! એવી રીતે વેદાંતના જે બનાવનારા હતા તે બધા ઉતર્યા. છેવટે ચાર વેદ બનાવ્યા, પછી કહ્યું કે, “ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ.' વેદથી આત્મા જણાય એવો નથી. પ્રશ્નકર્તા : આત્મા જણાય એવો નથી, તો કેવો છે ? દાદાશ્રી : જણાય એવો ય નથી ને બોલાય એવો ય નથી. બોલવું તે ય જોખમ છે. એ ચાર વેદે પોતે ના પાડી છે ! વાણીથી વર્ણન થાય એવો નથી, વક્તવ્ય થાય એવો આત્મા નથી. પ્રશ્નકર્તા : તો પછી આત્માનુભવ કેવી રીતે થાય ? દાદાશ્રી : અત્યારે તમને શેનો અનુભવ છે ? પ્રશ્નકર્તા : અત્યારે શૂન્યાવસ્થા કરવાનો પ્રયત્ન કરું છું. દાદાશ્રી : શૂન્ય એટલે ? પ્રશ્નકર્તા: સંકલ્પ-વિકલ્પ આવે નહીં, એનું નામ શૂન્ય. દાદાશ્રી : સામસામી એન્જિનો દોડાવીએ, એક આ દિશાથી આવે

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171