Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 135
________________ આપ્તવાણી-૮ ૨૩૫ ૨૩૬ આપ્તવાણી-૮ અને મન પોતે જડ છે, ‘કમ્પ્લીટ ફિઝિકલ’ છે, એટલે મનના વિચારનું તમે ‘સ્ટડી” કરો છો. એ જે ‘સ્ટડી” કરે છે ને, તે “ઈગોઇઝમ’ કરે છે. અને ‘ઈગોઝમ'ની પાર ‘આત્મા’ છે. અતુભૂતિતી અવળી આંટી! પ્રશ્નકર્તા: મને જે આત્માનો અનુભવ થાય છે એ કહું છું કે જેમ પાણીના ફૂવારા ઉડતા હોય એમ મહીં આનંદ આનંદ થઈ જાય છે. દાદાશ્રી : હા, આત્માની વાત સંભારતા જ કોઈને પાણીના ફૂવારા જેવું ઉડે, કોઈને અજવાળાં દેખાય, બીજું થાય. પ્રશ્નકર્તા : ફુવારા ઉડવાની વાત નહીં, પણ આ તો આપણને અંદર આનંદ આનંદ વર્યા કરે. દાદાશ્રી : હા, પણ એ એક જાતની આવી બધી કલ્પનાઓ થાય મહીં, પણ એ બાજુનો વિચાર કરો તો તો આટલો બધો આનંદ થાય છે, તો એ બાજુ ત્યાં પહોંચીએ તો કેટલો આનંદ થાય ? એક ભાઈ કોઈ સરળ, સ્વચ્છ હૃદયના સંત પાસે ગયેલાં. પછી મને આવીને કહે છે કે, ‘મને તો અનુભવ થયો છે.’ મેં કહ્યું, ‘શાનો અનુભવ થયો છે ?” ત્યારે કહે છે, ‘આત્માની અનુભૂતિ થઈ છે.’ કહ્યું, આત્માનો પડછાયો જોયો નથી કોઈએ. ભલે આત્માને ના પહોંચે. પણ આત્માનો પડછાયો, જેમ માણસની પાછળ પડછાયો પડે છે ને એ પડછાયામાં આપણે પગ મૂકીએ, એવી રીતે આત્માના પડછાયામાં જો પહોંચ્યા તો સમકિત થશે. એટલે આ તો આત્માના પડછાયાને પહોંચ્યા નથી. આપણાં હિન્દુસ્તાનના કેટલાંક લોકો અનુભૂતિ થઈ કહે છે. હવે અનુભૂતિ થઈ હોય તો તો ભગવાન જ થઈ ગયો, એ કૃષ્ણ ભગવાન જ કહેવાય ! ને આવી અનુભૂતિ જે કહેતા આવ્યા છે, તેમાં બધી ય ઠોકાઠોક છે ને કશું ય વળ્યું નથી. મેં પેલા ભાઈને કહ્યું કે, ‘શાને તમે અનુભૂતિ કહો છો ?” ત્યારે કહે, ‘મને એવું ખબર નથી. પણ મને એટલું લાગે છે કે આ આનંદ થાય છે તે ઘડીએ આત્માનો જ આનંદ થાય છે.” ત્યારે મેં કહ્યું, ‘ન હોય એ આત્માનો આનંદ ! આત્મા તો પ્રાપ્ત કર્યો નથી, આત્મા સાંભળ્યો ય નથી, અરે ! પડછાયો જોયો નથી. આ તો બધો મનનો આનંદ છે. સંજોગ ભેગા થાય એટલે મનનો આનંદ ઉત્પન્ન થાય.” ત્યારે કહે છે, “જ્યારે આનંદ થાય છે ત્યારે અમે તો એમ જાણીએ છીએ કે આત્માનો આનંદ નીકળ્યો.” “અરે, ન હોય, આ આત્માનો આનંદ. આ તો મનનો આનંદ છે ! આત્માનો આનંદ તો એક ફેરો થયા પછી એ આનંદ જાય નહીં.” ત્યારે કહે, ‘હવે સાચી વાત લાગે છે. પણ અમારા ગુરૂઓ તો બધા આવું કહેતા હતા કે આ આત્માનો જ આનંદ છે. આ જ અનુભૂતિ છે.’ મેં કહ્યું કે, “ના, આવી અનુભૂતિને લઈને તો બે પગનાં ચાર પગ થશે !” આવું ઊંધું આ લોકો એ બિચારાને શીખવાડેલું ! માનસિક અજ્ઞાનનો આનંદ ભોગવવો, એનું નામ જ અધોગતિનું કારણ. ખરું તો જ્ઞાનનો આનંદ જ ભોગવાય ! એટલે અજ્ઞાનથી માનસિક આનંદ ભોગવવો એ બધું અધોગતિનું કારણ છે. જગતનાં લોકો નિરંતર એ માનસિક આનંદમાં જ રહેવાનાં. અમુક ઉપાધિ થાય પણ પાછું માનસિક આનંદનો રસ્તો ખોળી કાઢે કે ચાલ્યું પાછું ! માતેલું નહીં, જાણેલું જોઈશે ! સંસાર રોગ ઓછો થયો કે નહીં એટલું જ જોવાનું છે. જો કદી આ ડૉકટરો કર્યા અને જો રોગ ના ઘટ્યો, તો આપણી ભૂલ થઈ છે. પ્રશ્નકર્તા : ઘટ્યો છે. દાદાશ્રી : શું ઘટયું છે ? પ્રશ્નકર્તા : મનથી ઘટ્યું એટલે બધું ઘટયું. મનથી દરેક વસ્તુનો ત્યાગ થઈ ગયો; એટલે બધું થઈ ગયું. દાદાશ્રી : હા, પણ ગ્રહણ શું થયું ? ત્યાગ થઈ ગયો એટલે ખાલી થઈ ગયા. આપણી પાસે રહ્યું નહીં ને, કશું ? પછી ગરીબ થઈ ગયા પછી

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171